________________
આશંકાઓ ઉદ્દભવે છે, એટલે પરલોકની કથાઓ તો એમને મન કોરાં ગપ્પાં જ જણાય છે; આવા આત્માઓ દેવને, ગુરૂને અને ધર્મને તથા શાસ્ત્રોનું માનવાનો ખુલ્લો ઇન્કાર ન પણ કરે પરંતુ એ બધીએ વસ્તુઓ પોતાની વિષયાશક્તિને પુષ્ટ કરવામાં ઉપયોગી કેવી રીતિએ થાય એનોજ તેઓ રાત્રિદિવસ વિચાર કર્યા કરે છે અને એની યોજનાઓ ઘડ્યા કરે છે; એમ છતાં પણ જો એ બધી વસ્તુઓ પોતાની એ વિષયાશક્તિતા, વિષયાશક્તિની સફળતા માટે અતિશય આવશ્યક ભારે આરંભશીલતા અને અપરિમિત પરિગ્રહશીલતાને, પોષણ કે અનુમોદન ન આપવી હોય તો એ સઘળી વસ્તુઓ સામે કારમો બળવો જગાડવાનું તેઓને કર્તવ્યરૂપ લાગે છે. આવા આત્માઓ નરકગામી અને બલસંસારી બને એમાં આશ્ચર્ય પણ શું?
ર્મવશવર્તિ પ્રાણીઓના ર્મ વિપાક્ન વિશિષ્ટ પ્રકારે વર્ણન
નીચતમ નરક ગતિમાં પડેલા નારકીઓની દુર્દશાનું દિગદર્શન સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજીના આશયને સ્પષ્ટ કરવા માટે ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા, ચારે ગતિની યોનિ આદિનું વર્ણન કરવા ઇચ્છે છે એમ આપણે જોઇ આવ્યા. ચારે ગતિની યોનિ આદિનું વર્ણન કરવા ઇચ્છતા ટીકાકાર મહર્ષિએ, નરકગતિની યોનિ આદિનું વર્ણન કર્યું અને હવે તિર્યંચગતિ આદિની યોનિ આદિનું વર્ણન કરતાં એ પરમર્ષિ શું શું ફરમાવે છે એ જોવા પૂર્વે આપણે ચરમ શરીરી શ્રી મૃગાપુત્રજી, નરકનાં દુઃખો પોતે કેવાં કેવાં સહ્યાં છે એનું વર્ણન કરતાં શું કહે છે તે જોઇએ - શ્રી મૃગાપુત્રજીએ કરેલું નરક દુઃખોનું વર્ણન:
ચરમશરીરી શ્રી મૃગાપુત્રજીને મુનિવરના દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. એ જ્ઞાનના પ્રતાપે શ્રી મૃગાપુત્રજીએ પોતાની પૂર્વજાતિ જાણી અને પૂર્વે જે શ્રમણપણું પાળ્યું હતું તે પણ જાણ્યું. એ કારણે વિષયોથી રાગ નહિ પામતા અને સંયમમાં રાગ પામતા શ્રી મૃગાપુત્રજીએ, પોતાના માતાપિતા સામે સંયમ લેવાની અનુમતિ માંગી. સંયમ માટે અનુમતિ માંગતા શ્રી મૃગાપુત્રજી પ્રત્યે સંયમની દુષ્કરતાનું દર્શન કરાવી માતા પિતાએ કહ્યું કે :
“હે પુત્ર ! તું સુખ માટે યોગ્ય છો, તું સુકુમાર છો અને તું સ્નાન તથા અલંકારો આદિથી અલંકૃત રહેનારો છો માટે તું સંયમના પાલન માટે અસમર્થ છા.”
માતા પિતાના એ કથનનો પ્રતિકાર કરવા શ્રી મૃગાપુત્રજીએ, પોતે પૂર્વે વેચેલી અનેક પ્રકારની વેદનાઓનું વર્ણન કરતાં નરકગતિમાં વેકેલી વેદનાઓનું પણ વર્ણન કર્યું છે : તેમાંની શીતવેદના અને ઉષ્ણવેદનાનું વર્ણન તો આપણે જોઈ જ ગયા છીએ : તે સિવાયની વેદનાઓનું વર્ણન કરતાં પણ શ્રી મૃગાપુત્રજી, પોતાના માતા પિતા પ્રત્યે કહે છે કે:
"कं दंतो कंदुकुंभीस, उड़पाओ अहोसिरो। हुआसणे जलंतम्मि, पव्वापूच्चो अणंतसो //91/
महादवग्गिसंकासे, मरुम्मि व इरवालुए। कलंववालुआए अ, दडपच्चो अणंतसो ///
Page 111 of 234