________________
jainology
આગમસાર તેની દશા “બિલ્લી આવે ત્યારે ઉડી જવું” એ પ્રમાણે રટણ કરનારા પોપટ સમાન થાય છે. અર્થાત્ પોપટનું તે પ્રકારનું કોરું. રટણ બિલ્લીના ઝપાટા-માંથી તેને બચાવી શકતું નથી. તેવી રીતે અજ્ઞાની જીવો (આચરણ વગરનું જ્ઞાન, ખરેખર તો તે જ્ઞાન નથી પણ માહિતી છે, તેથી તેઓને અજ્ઞાની જીવો કહયા છે.)જન્મ-મરણના દુઃખથી છૂટી શકતા નથી.
ફકત શુભભાવોથી પણ મુકિત નથી, સાથે ક્રિયા અવશ્ય કરવાની છે. જો ફકત ભાવોથી મુકિત પ્રાપ્ત થતી હોત તો સર્વાથસિધ્ધ વિમાનવાસી દેવો ૩૩ સાગરોપમ સુધી પરમ શુકલ લેશ્યા અને શુભભાવોથી રહેલા હોય છે.લોકના સર્વોચ પ્રકારના સુખો પ્રત્યે પણ પરમ અનાસકત ભાવ તેઓ સંપૂર્ણ જીવનકાળ દરમયાન જાળવે છે. પરંતું છતાં કરણી કર્યા વગર તેમને પણ મુકિત નથી.
અનુકંપા અને આત્માની શુધ્ધતા
હાથીના ભવમાં મેઘકમારે સસલાંના જીવની દયા પાળી સંસાર પરિત કર્યો. ત્યારે આત્માનું કોઈ વિશેષ જ્ઞાન તેમની પાસે ન હતું. એક ગાઉ પ્રમાણ વનસ્પતિનું નિકંદન કાઢ મેદાન તૈયાર કર્યું હતું. તેથી વનસ્પતિનાં જીવોથી પણ અજાણ હતા. છ દવ્ય કે નવ તત્વથી અજાણ હોવા છતાં એક જીવ પર આવેલા અનુકંપાના ઉત્કૃષ્ટ પરિણામોથી સમયકત્વની નજીકનાં ભાવોને પ્રાપ્ત કર્યા. અહીં સમકિતનાં પ્રારંભિક અને મુખ્ય લક્ષણ તરીકે અનુકંપાના ભાવોનું મહત્વ દેખાઇ રહયું છે. જ જીવોની દયા પાળવાથી જ સંભવ છે. આત્મા અને શરીર ભિન્ન છે એ જ્ઞાન જરૂરી હોવા છતાં તે જ્ઞાન એકલું જ મુક્તિનું કારણ બની શકતું નથી.
દેવ પર્યાયમાં ઉત્પન્ન થયેલ જીવ પોતાના પૂર્વના શરીરની અંતિમ ક્રિયા થઈ રહેલી જોઈ શકે છે. તથા છ મહિના આયુષ્ય બાકી રહે ત્યારે નવો જન્મ કયાં થશે તે પણ જાણી શકે છે. આમ તે પ્રત્યક્ષ શરીર અને આત્માને જુદા જાણે છે. પણ તેનું આ ભેદ વિજ્ઞાન તેને કંઈ કામ આવતું નથી.
જમ સાકરનો ગુણ મીઠાસ છે તેની શુધ્ધતા નથી. તેમ આત્માનો ગુણ અનુકંપાનો ભાવ છે. શુધ્ધતા સ્વયં કોઈ ગુણ નથી.
એક વાકયમાં ધર્મની વ્યાખ્યા કરવી હોય તો “અહિંસા પરમો ધર્મ” કહી શકાય પરંતુ “હું એક શુધ્ધ આત્મા છું” એટલું જ પુરતું નથી.
' લોક જીવ અને અજીવથી બનેલો છે. અજીવ પુદગલ પ્રત્યેનો અનાસક્ત ભાવ અડધો વ્યવહાર શુદ્ધ કરે છે. આત્મભાવોમાં રમાતા કરવાથી પોતાના પર ઉપકાર કર્યો કહેવાય. બાકી રહેલા અડધા ભાગ, જીવદવ્ય પ્રત્યેના અનુકંપા ભાવથી જ સંપૂર્ણ વ્યવહાર શુદ્ધ થાય છે.
વ્યવહારમાં પણ કોઈનાં ડૉકટર હોવા માત્રથી તે સ્વયં પણ બીમારીથી બચી શકતો નથી. તે પોતે પણ ઉપચારની ક્રિયા વગર સાજો થતો નથી. તેનું જ્ઞાન ક્રિયા વગર અધુરું છે.
જીવોના સુખ દુઃખનું કારણ તેમનેં કર્મ છે. આપણો જીવ તેમાં પ્રમાદવશ નીમીત બને છે. આ પ્રમાદના કારણે આત્માનાં અનુકંપાના ગુણની ઘાત થાય છે. તથા રાગદ્વેષ નાં પરિણામો કરી જીવ કર્મોનો હાંધ કરે છે. એકેન્દ્રિયના જીવોને તુચ્છ સમજી ( પૃથ્વી, પાળ અગ્નિ, વનસ્પતિ વાયરો) તે જીવો પ્રત્યે ઉપેક્ષાભાવ રાખી આત્માની શુધ્ધતાનું રટણ કરવું એ નિષક્રિયતા છે. આત્માનું શુભભાવથી ક્રિયાશીલ થવું એટલે અનુકંપા.
કોડીઓની રક્ષા માટે કડવી તુંબીનું શાક પી જનાર અાગાર કે માથા પર અંગારા સહેનાર ગફુકુમારની જેમ જીવ જ્યારે ખરેખર અનુકંપાના ભાવ સાથે પ્રવૃતિ કરે છે ત્યારે પોતાનાં શરીર બળને પકા ઓળંગી જાય છે.
જાણ હોવા છતાં ચંડકોશીકનાં માર્ગ પર આગળ વધે છે તે આત્મા છે. પાસે જઈ ડેમ સહે છે તે આત્મા છે, લોહીની ધારા વહી રહી છે છતાં ઉપદેશ આપે છે તે આત્મા છે. સાહસિક સહનશીલ અનુકંપાધારક આવા અનેક ગુણવાચક શબ્દોને અપૂરતાં સાબીત કરનાર આત્માની ઓળખ, માત્ર શુધ્ધતા ક્વો રોતે હોઈ શકે ?
સાતમું અધ્યયન: દષ્ટાંતયુક્ત ધર્મપ્રેરણા (૧) જે પ્રકારે ખાવા-પીવામાં મસ્ત બનેલો બકરો, જાણે કે અતિથિઓની પ્રતીક્ષા જ કરે છે એટલે કે યજમાન આવતાં જ તેનું મસ્તક ધડથી જુદુ કરી, તેના માંસને પકાવીને ખાવામાં આવે છે. તે જ રીતે અધાર્મિક પ્રાણી પોતાના કૃત્યોથી જાણે નરકની જ ચાહના કરે છે. એટલે કે તેઓ અધર્મ આચરણના કારણે નરકમાં જાય છે. (૨) તે અજ્ઞાની પ્રાણી હિંસા, જૂઠ કે ચોરી ના કૃત્યો કરનારા, લુંટારાં, માયાચારી, સ્ત્રીલંપટ, મહારંભી, મહાપરિગ્રહી, માંસ-મદિરાનું સેવન કરનારા, હૃષ્ટપુષ્ટ શરીરવાળા બનીને નરકની આકાંક્ષા કરે છે. (૩) તે ઇચ્છિત ભોગોનું સેવન કરી, દુઃખથી એકત્રિત કરેલ ધન સામગ્રીને છોડીને, અનેક સંચિત્ત કર્મોને સાથે લઈ જાય છે. વર્તમાનમાં રાચનારા, ભવિષ્યનો વિચાર ન કરનારા ભારે કર્મી બની મૃત્યુ સમયે ખેદ કરે છે. (૪) જેવી રીતે એક કાંગણી(કોડી) ને લેવા જતાં મનુષ્ય હજાર મહોરોને ગુમાવે છે, અપથ્યકારી આમ્રફળને ખાઈ રાજા રાજ્યસુખ હારી જાય છે, તે પ્રકારે તુચ્છ માનવીય ભોગોમાં આસક્ત પ્રાણી દૈવિક સુખ અને મોક્ષના સુખને હારી જાય છે.(અહીં બે કથાઓ છે) (૫) ત્રણ પ્રકારના વણિક– ૧. લાભ મેળવવા વાળા ૨. મૂળ મૂડીનું રક્ષણ કરવાવાળા ૩. મૂળ મૂડીને પણ ગુમાવી દેવાવાળા. તે જ રીતે ધર્મની અપેક્ષાએ સાધક પ્રાણીની ત્રણ અવસ્થા છે- ૧. દેવગતિ કે મોક્ષગતિના લાભને મેળવનારા ૨. મનુષ્ય ભવ રૂપ મૂળ મૂડીને પુનઃ પ્રાપ્ત કરનારા ૩. નરક–તિર્યંચ ગતિ રૂપ દુર્ગતિને પ્રાપ્ત કરનારા (૬) નરક–તિર્યંચગતિમાં જનારો સદાય પરાજિત થયેલો હોય છે. તે ગતિમાંથી દીર્ઘકાળ સુધી બહાર નીકળી શકતો નથી અર્થાત્ તેનું બહાર નીકળવું દુર્લભ છે. (૭) મનુષ્યનું આયુષ્ય અને તેના ભોગ સુખ દેવની તુલનામાં અતિ અલ્પ છે. પાણીનું ટીપું અને સમુદ્ર જેટલું અંતર છે. તેવું જાણ્યા છતાં પણ જે મનુષ્ય સંબંધી ભોગોથી નિવૃત્ત થતો નથી, તેમનું આત્મપ્રયોજન નષ્ટ થઈ જાય છે. તે મોક્ષમાર્ગને પ્રાપ્ત કરીને પણ પથભ્રષ્ટ થઈ જાય છે. (૮) ભોગોથી નિવૃત્ત થનારા પ્રાણી ઉત્તમ દેવગતિને અને પછી મનુષ્ય જીવનને પ્રાપ્ત કરી અનુત્તર મોક્ષના સુખોને પ્રાપ્ત કરે છે. (૯) બાલ જીવ ધર્મને છોડી, અધર્મને સ્વીકારી દુર્ગતિ પ્રાપ્ત કરે છે. અને ધીર, વીર પુરુષ અધર્મને છોડી ધર્મને સ્વીકારી સદ્ગતિને પ્રાપ્ત કરે છે.