________________
jainology |
આગમસાર
(૩–૪) શીત–ઉષ્ણ પરીષહ– અલ્પ વસ્ત્ર અથવા અચેલ સાધનાના સમયે ઠંડી કે ગર્મીની અધિકતા હોવા છતાં દીન ન બને. અગ્નિ કે પંખાની ચાહના ન કરે. સ્નાનની ઇચ્છા મનથી પણ ન કરે.
83
(૫) દંશમશક પરીષહ– મુનિ ડાંસ–મચ્છર આદિ ક્ષુદ્ર જીવોના ત્રાસથી ગભરાય નહિ, પરંતુ સંગ્રામમાં અગ્રભાગે રહેલા હાથીની જેમ સહનશીલ બને. (૬) અચેલ પરીષહ– વસ્ત્રની અલ્પતાથી પણ દીનતા ન કરે.
(૭) અરતિ પરીષહ– ગ્રામાનુગ્રામ વિચરતાં અનેક સંકટ ઉપસ્થિત થાય તો પણ કદી શોકાકુલ ન બને, અપ્રસન્ન ન થાય, સદા સંયમપાલનમાં પ્રસન્ન રહે.
(૮) સ્ત્રી પરીષહ– શીલ રક્ષાના હેતુએ ‘સ્ત્રીનો સંગ આત્માને માટે કીચડ સમાન છે.’ એમ સમજીને તેનાથી વિરક્ત રહે. સ્ત્રીઓથી પૂર્ણ સાવધાન રહેનારનું શ્રમણ જીવન સફળ બને છે.
(૯) ચર્યા પરીષહ– વિહાર સંબંધી કષ્ટોને સમભાવે સહન કરતા થકા મુનિ ગ્રામાદિમાં કે કોઈ વ્યક્તિમાં મમત્વ બુદ્ધિ ન કરે. રાગદ્વેષ ન કરતાં એકત્વ ભાવમાં રમણ કરે.
(૧૦–૧૧) શય્યા–નિષદ્યા પરીષહ અનુકૂળ-પ્રતિકૂળ ઉપાશ્રયમાં સમભાવ રાખે. ભૂત-પ્રેત આદિથી યુક્ત સ્થાનમાં પણ નિર્ભય રહે.
(૧૨–૧૩) આક્રોશ—વધ પરીષહ– કઠોર શબ્દ અથવા મારપીટ–તાડનના પ્રસંગમાં પણ મુનિ સમાન ભાવ રાખે. પરંતુ મૂર્ખની સામે મૂર્ખ ન બને. અર્થાત્ ભિક્ષુ કદી ક્રોધ ન કરે, પ્રતિકાર ન કરે પરંતુ શાંત ભાવે સહન કરે અને વિચારે કે આત્મા તો અમર છે, પ્રહાર કરવા છતાં આત્માનું કંઈ બગડવાનું નથી.
(૧૪–૧૫) યાચના—અલાભ પરીષહ– દીર્ધ જીવન કાળમાં સંયમ પાલનના હેતુ માટે ભિક્ષા કરવી આવશ્યક છે. તેથી ભિક્ષાની યાચના કરવામાં તેમજ ભિક્ષા ન મળવા પર ભિક્ષુ ક્યારેય ખેદ ન કરે પરંતુ તપમાં રમણ કરે.
(૧૬) રોગ પરીષહ– સંયમ મર્યાદાની સુરક્ષા હેતુ અને કર્મ નિર્જરાર્થે ક્યારેય પણ રોગાંતક થવા છતાં ઔષધ–ચિકિત્સાની ભિક્ષુ ઇચ્છા ન કરે. તે રોગાંતકનો ઉપચાર ર્યા વિના સહન કરવામાં જ સાચી સાધુતા છે.
(૧૭) તૃણસ્પર્શ પરીષહ– અલ્પ વસ્ત્રથી રહેવામાં અને ખુલ્લા પગે ચાલતાં જો તૃણ, કાંટા, પત્થર આદિથી કષ્ટ ઉત્પન્ન થાય તો મુનિ તેને સમભાવે સહન કરે.
(૧૮) જલ્લ–મેલ પરીષહ– બ્રહ્મચારીમુનિ પસીના કે મેલ આદિથી ગભરાઈને ક્યારેય સ્નાન કરવાની ઇચ્છા ન કરે પરંતુ કર્મ નિર્જરાના લક્ષ્ય અને ઉત્તમ ભગવદ્ આજ્ઞા સમજીને જીવનપર્યંત પસીનાથી ઉત્પન્ન મેલને શરીર પર ધારણ કરે.
(૧૯) સત્કાર–પુરસ્કાર પરીષહ– અતિશય માન–સન્માન પામીને ફુલાઈ ન જવું પરંતુ વિરક્ત રહેવું અને અન્યના માન-સન્માન જોઈને તેની ચાહના ન કરવી. સૂયગડાંગ સૂત્રમાં પૂજા–સત્કારને સૂક્ષ્મ શલ્ય કહેવામાં આવેલ છે.
(૨૦–૨૧) પ્રજ્ઞા–અજ્ઞાન પરીષહ– તપ-સંયમની વિકટ સાધના કરવા છતાં પણ બુદ્ધિની મંદતા ન ઘટે અને અતિશય જ્ઞાન(અવધિ, મન:પર્યવ આદિ) ઉત્પન્ન ન થાય તોપણ ખેદ ન કરવો. ધૈર્ય અને શ્રદ્ધાથી સાધનામાર્ગમાં આગળ વધતા રહેવું. (૨૨) દર્શન પરીષહ– કોઈપણ પ્રકારના ખેદથી અથવા તો અલાભથી ગભરાઈને સંયમ સાધનાથી અને ન્યાય માર્ગથી વ્યુત ન થવું પરંતુ દઢ શ્રદ્ધાની સાથે મોક્ષ માર્ગમાં અગ્રેસર થવું.
આ પરીષહોથી પરાજિત ન થનાર મુનિ શીઘ્રાતિ શીઘ્ર આત્મકલ્યાણ કરે છે, સંસાર સાગરનો પાર પામી જાય છે.
ત્રીજું અધ્યયન : ચાર દુર્લભ અંગ
(૧) જીવ કર્મ સંયોગથી વિવિધ યોનિઓમાં ભ્રમણ કરતો થકો કીટ, પતંગ, પશુ, નરક, દેવ રૂપમાં ઉત્પન્ન થાય છે. ક્યારેક બ્રાહ્મણ તો ક્યારેક ક્ષત્રિય, વૈશ્ય અને ક્યારેક ક્ષુદ્ર પણ બને છે.
(૨) સંસાર ભ્રમણ કરતા જીવને મનુષ્યભવ અત્યંત અલ્પ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. પુણ્યયોગે તે પ્રાપ્ત થઈ જાય તો પણ ધર્મશ્રવણ અને તેમાં શ્રધ્ધા, પ્રતીતિ, રુચિ થવી અત્યંત દુર્લભ છે.
(૩) કોઈ જીવને ધર્મશ્રવણની પ્રાપ્તિ અને શ્રધ્ધા થઈ જાય તો પણ કંઈક અંશે પુણ્યની અલ્પતાને કારણે ધર્મતત્ત્વ (વ્રત, નિયમ, સંયમ) નો સ્વીકાર કરી શકતા નથી અથવા તો પાલન કરી શકતા નથી.
(૪) જે મનુષ્યભવને પ્રાપ્ત કરી સંયમ તપમાં પુરુષાર્થ કરે છે તેનો માનવ જન્મ સફળ છે. કારણ કે માનવભવ સિવાય બીજી કોઈપણ યોનિમાં સંયમની આરાધના કરવાની યોગ્યતા જ નથી.
(૫) સંયમ તપથી કર્મ નિર્જરા કરતાં પુણ્ય સંચય થવાથી કોઈ જીવ દેવગતિને પ્રાપ્ત કરે છે.
(૬) પછી મનુષ્યભવમાં આવીને દસ ગુણોથી સંપન્ન અવસ્થાને પ્રાપ્ત કરી યથાસમયે ભૌતિક સમૃદ્ધિનો ત્યાગ કરી સંયમ, તપ આદિની આરાધના દ્વારા સંપૂર્ણ કર્મ ક્ષય કરીને મુક્ત થઈ જાય છે.
(૭) પ્રત્યેક મુમુક્ષુ પ્રાણીએ ૧. મનુષ્યભવ ૨. ધર્મ શ્રવણ ૩. ધર્મ શ્રદ્ધા ૪. તપ-સંયમમાં પરાક્રમ, આ ચાર મોક્ષના દુર્લભ અંગ જાણીને પ્રાપ્ત અવસરમાં આળસ, પ્રમાદ, મોહ, પુદ્ગલ આસક્તિને હટાવીને સંયમમાર્ગમાં ઉપસ્થિત થવું જોઇએ.
(૮) સરલ અને પવિત્ર આત્મામાં જ ધર્મનો વાસ હોય છે અને તેનું જ કલ્યાણ થાય છે. (ધર્મ ઉપદેશનાં પાણીથી ફળદ્રુપ કસવાળી જમીન હોય તો ધર્મનું વૃક્ષ ઉગી નીકળે છે, સત્વ વગરનાં લોકોને ઉપદેશ ફળીભૂત થતું નથી)