________________
79.
jainology
આગમસાર દ્વિતીય અધ્યયન- સૂર્યદેવનો પૂર્વભવઃ- શ્રાવસ્તી નગરીમાં સુપ્રતિષ્ઠિત નામનો વણિક રહેતો હતો. તેનું સંપૂર્ણ વર્ણન અંગજીત સમાન જાણવું. અર્થાત્ સાંસારિક ઋદ્ધિ, સંયમગ્રહણ, જ્ઞાન, તપ, સંલેખના, સંયમની વિરાધના આદિ પ્રથમ અધ્યયન સમાન જ છે. પાર્શ્વનાથ ભગવાનની પાસે દીક્ષા અંગીકાર કરી અને જયોતિષેન્દ્ર સૂર્યદેવ થયા. ચંદ્રદેવની સમાન તેઓ પણ ભગવાન મહાવીર સ્વામીની સેવામાં દર્શન કરવાં ઉપસ્થિત થયા તેમજ પોતાની ઋદ્ધિ અને નાટયકળાનું પ્રદર્શન કર્યું. આ ચંદ્ર અને સૂર્ય બને જયોતિષેન્દ્ર મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને ત્યાં યથાસમય તપ-સંયમનું પાલન કરી સંપૂર્ણ કર્મક્ષય કરી શિવગતિને પ્રાપ્ત કરશે. વૈજ્ઞાનિકો સૂર્યના રત્ન વિમાનને અગ્નિનો ગોળો સમજે છે પણ આ માત્ર તેમની કલ્પનાનો ભ્રમ છે. જૈન સિદ્ધાંતમાં તેને રત્નોનાં વિમાન કહ્યા છે. જે જયોતિષેન્દ્ર ચંદ્ર-સૂર્યદેવના સંપૂર્ણ પરિવારનું નિવાસ સ્થાન અને જન્મસ્થાન છે. તેમાં હજારો દેવ-દેવીઓ ઉત્પન્ન થાય છે, નિવાસ કરે છે. આ જંબૂદ્વીપમાં ભ્રમણ કરનારા સૂર્યના વિમાન છે. બે સૂર્ય અને બે ચંદ્રના વિમાન જંબૂદ્વીપમાં ભ્રમણ કરે છે. સંપૂર્ણ મનુષ્યક્ષેત્રમાં ૧૩૨ ચંદ્ર અને ૧૩૨ સૂર્યવિમાન ભ્રમણ કરે છે. અઢી દ્વીપથી બહાર અસંખ્ય ચંદ્ર-સુર્ય પોતપોતાના સ્થાન પર સ્થિર છે.
તૃતીય અધ્યયન – શુક્ર મહાગ્રહ શુક્ર મહાગ્રહનો પૂર્વભવઃ- વારાણસી નગરીમાં સોમિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ચાર વેદ તથા અનેક શાસ્ત્રોમાં નિષ્ણાત હતો. એક વખત તે નગરીમાં પાર્શ્વનાથ ભગવાન પધાર્યા. સોમિલ બ્રાહ્મણને ખબર પડતાં અનેક પ્રશ્નોનું સમાધાન કરવા પ્રભુ સમીપે ગયો. પ્રભુએ શંકાનું સમાધાન ક્યું. સંતોષ મેળવી જૈન ધર્મ અને શ્રાવક ધર્મ સ્વીકાર ક્ય. કાળક્રમે સંત સમાગમની ઉણપને કારણે સોમિલ ધર્મ પ્રત્યે શિથિલ થઈ ગયો અને તેને અનેક પ્રકારના ઉદ્યાન બનાવવાની ઇચ્છા થઈ. અનેક પ્રકારના આમ્ર આદિના ફળો તથા ફૂલોના બગીચા બનાવ્યા. કાળાંતરે તેણે દિશા પ્રેક્ષિક તાપસની પ્રવ્રજયા અંગીકાર કરી. તેમાં તે છઠ્ઠના પારણે છઠ્ઠ કરતો. પારણાના દિને સ્નાન, હવન આદિ ક્રિયાઓ કરી પછી આહાર કરતો. પ્રથમ પારણામાં તે પૂર્વદિશામાં જતો અને તે દિશાના સ્વામીદેવની પૂજા કરી, તેની આજ્ઞા લઈ કંદ આદિ ગ્રહણ કરતો. બીજા પારણામાં દક્ષિણ દિશામાં, ત્રીજા પારણામાં પશ્ચિમ દિશામાં અને ચોથા પારણામાં ઉત્તર દિશામાં જતો. આ પ્રમાણે તાપસી દીક્ષાનું આચરણ કરતો હતો. તાપસી દીક્ષાનું પાલન કરતાં તેને સંલેખના કરવાનો વિચાર ઉદ્ભવ્યો. તેણે પ્રતિજ્ઞા કરી કે ઉત્તર દિશામાં ચાલતાં ચાલતાં જ્યાંપણ હું પડી જાઉં ત્યાંથી ઉઠીશ નહિ. પહેલે દિવસે ઉત્તર દિશામાં ચાલ્યો. દિવસ ભર ચાલતાં સાંજે કોઈપણ યોગ્ય સ્થાનમાં વૃક્ષનીચે પોતાના વિધિ વિધાન કરી, કાષ્ઠમુદ્રાથી મુખને બાંધી, મૌન ધારણ કરી, ધ્યાનમાં સ્થિર થઈ ગયો. રાત્રે ત્યાં આકાશમાં એક દેવ પ્રગટ થયો અને આકાશવાણી કરી કે, હે સોમિલ! આ તારી પ્રવ્રજયા દુષ્પવ્રજયા છે અર્થાત્ તારું આ આચરણ ખોટું છે. સોમિલે તેના કહેવા પ્રત્યે ધ્યાન ન દોર્યું. દેવ ચાલ્યો ગયો. બીજે દિવસે ફરીને કાષ્ઠમુદ્રા બાંધી ઉત્તર દિશામાં ચાલવા લાગ્યો. સાંજે યોગ્ય સ્થાને બેઠો. રાત્રે ફરીને દેવ આવ્યો, પહેલાંની જેમ જ કહ્યું છતાં સોમિલે ધ્યાન ન આપ્યું. એ પ્રમાણે ત્રીજો તથા ચોથો દિવસ પણ વીતી ગયો. પાંચમે દિવસે પુનઃ દેવ આવ્યો, વારંવાર કહેતાં સોમિલે પ્રશ્ન પૂછયો – હે દેવાનુપ્રિયા કેમ મારી દીક્ષા ખોટી છે? પ્રત્યુત્તરમાં દેવે કહ્યું કે, - 'તમે પાર્શ્વનાથ ભગવાન પાસે શ્રાવકના બાર વ્રત અંગીકાર ક્ય હતા. તે છોડી તાપસી દીક્ષા અંગીકાર કરી છે તે યોગ્ય નથી ક્યું.' પુનઃ સોમિલે પૂછયું કે 'મારું આચરણ સુંદર કેવી રીતે બને?' દેવે ફરીને બારવ્રત સ્વીકારવાની પ્રેરણા કરી.
ત્યારબાદ સોમિલે સ્વયં બાર વ્રત અંગીકાર કર્યા. ઉપવાસથી લઈને માસખમણ સુધીની તપશ્ચર્યા કરી. અનેક વર્ષો સુધી શ્રાવકવ્રતનું પાલન કરી, પંદર દિવસનું અનશન કરી, મૃત્યુ પામી શુક્રાવતુંસક વિમાનમાં શુક્ર મહાગ્રહના રૂપમાં દેવપણે ઉત્પન્ન થયા. એકદા આ શક્ર મહાગ્રહ દેવ પણ ભગવાન મહાવીરની સેવામાં ઉપસ્થિત થયો. વંદન કરી પોતાની ઋદ્ધિનું પ્રદર્શન કરી ચાલ્યો ગયો. વ્રતભંગ અને તાપસી દીક્ષા સ્વીકાર કરવાની આલોચના-પ્રતિક્રમણ ન કરવાથી તે વિરાધક થયો. દેવ ભવનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ આત્મ કલ્યાણ કરશે, મુક્ત થશે.
ચતુર્થ અધ્યયન – બહુપત્રિકા દેવી બહુપુત્રિકા દેવી – વારાણસી નગરીમાં ભદ્ર નામનો સાર્થવાહ રહેતો હતો. તેની પત્નીનું નામ સુભદ્રા હતું, તે વધ્યા હતી. પુત્ર ન થવાથી અત્યંત દુઃખી થતી હતી. એક વખત સુવ્રતા આર્યાની શિષ્યાઓ તેના ઘરે ગોચરી અર્થે પહોંચી સુભદ્રાએ આહાર-પાણી વહોરાવી સાધ્વીજી પાસે સંતાન ઉત્પત્તિ માટે વિદ્યા, મંત્ર ઔષધિની યાચના કરી. સાધ્વીજીઓએ કહ્યું કે આ સંબંધમાં કંઈપણ બતાવવું એ અમારા સિદ્ધાંત વિરુદ્ધનું કાર્ય છે. ત્યારબાદ સંક્ષેપમાં નિર્ગસ્થ પ્રવચનનો ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને તે શ્રમણોપાસિકા બની. કેટલોક સમય પસાર થયા બાદ તેણે સંયમ પણ અંગીકાર ક્યું પરંતુ બાળક-બાળિકાઓ ઉપર તેનો સ્નેહ વધવા લાગ્યો. સંયમ મર્યાદાનું ઉલ્લંઘન કરી બાળક–બાળિકાઓની સાથે સ્નેહ, ક્રિીડા, શૃંગાર, સુશ્રુષા આદિ પ્રવૃત્તિઓ કરવા લાગી. ગુણી દ્વારા અને અન્ય આર્યાઓ દ્વારા નિષેધ કરવા છતાં, સમજાવવાં છતાં, તેની ઉપેક્ષા કરી અન્ય સ્થાન(ઉપાશ્રય)માં જઈ રહેવા લાગી. સંયમ તપનું પાલન કરતાં, પંદર દિવસનો સંથારો કરી ઉક્ત દૂષિત પ્રવૃત્તિઓની આલોચના કર્યા વિના વિરાધક થઈ પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થઈ.
જ્યારે જ્યારે દેવલોકની ઈન્દ્રસભામાં તે જાય છે ત્યારે ઘણા બાળક –બાળિકાઓની વિગૂર્વણા કરી સભાનું મનોરંજન કરે છે. એટલા માટે ત્યાં તે બહુપુત્રકિા દેવીના નામથી ઓળખાય છે. એક વખત તે રાજગૃહ નગરમાં ભગવાન મહાવીરના સમોસરણમાં આવી પોતાની બન્ને ભુજાઓમાંથી ક્રમશઃ ૧૦૮ બાળક તથા ૧૦૮ બાળિકાઓ કાઢયા. તે સિવાય અન્ય અનેક બાળકોની વિપૂર્વણા કરી.