________________
આગમસાર–પૂર્વાર્ધ
78
આ ઉપાંગસૂત્રનો નિરયાવલિકા નામનો પ્રથમ વર્ગ સમાપ્ત થયો.
વર્ગ બીજો – કલ્પાવતંસિકા
આ વર્ગના દસ અધ્યયન છે જેમાં દસ જીવોના દેવલોકમાં જવાનું વર્ણન છે માટે આ વર્ગનું નામ કલ્પાવતંસિકા રાખવામાં આવ્યું છે પ્રથમ અધ્યયન પદ્મકુમાર
પ્રાચીનકાળે ચંપાનગરીમાં કોણિક રાજા રાજ્ય કરતો હતો. ત્યાં શ્રેણિકરાજાની પત્ની અને કોણિકની અપરમાતા કાલી નામની રાણી હતી. તેને કાલકુમાર નામનો પુત્ર હતો. જેણે પદ્માવતી સાથે લગ્ન ર્યા હતા. એક વખત પદ્માવતીને રાત્રે સિંહનું સ્વપ્ન આવ્યું. કાલાંતરે પુત્રરત્નનો જન્મ થયો જેનું નામ 'પદ્મકુમાર' રાખવામાં આવ્યું. તરૂણાવસ્થામાં આઠ કન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ થયું. માનુષિક સુખોનો ઉપભોગ કરતો થકો તે સમય વ્યતીત કરવા લાગ્યો.
એક વખત તે ચંપાનગરીમાં ભગવાન મહાવીર પધાર્યા. પદ્મકુમાર પણ વંદન કરવા માટે ગયા. ધર્મદેશના સાંભળી, વૈરાગ્યમય વાણીથી માનવજીવનની ક્ષણભંગુરતાનો ખ્યાલ આવ્યો. ક્ષણિક ભોગ સુખોનું દારૂણ પરિણામ અને મનુષ્ય ભવનું મહત્વ સમજાયું. ઉપદેશ સાંભળ્યા પછી ભગવાન સમક્ષ પ્રવ્રજયા અંગીકાર કરવાની ભાવના પ્રગટ કરી. પરિવારિક જનોની આજ્ઞા લઈ દીક્ષિત થયા. દીક્ષા લીધા બાદ પદ્મમુનિએ અગિયાર અંગસૂત્રોનું જ્ઞાન કંઠસ્થ ર્યું. તેમજ અનેક પ્રકારની તપશ્ચર્યા દ્વારા શરીરને અને કર્મને કૃશ – (પાતળા) ર્યા. પાંચ વર્ષ સુધી સંયમ પાળી, એક માસનો સંથારો કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાં બે સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, સંયમ અંગીકાર કરી સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી મુક્ત થશે.
=
આ પ્રમાણે જ મહાપદ્મકુમાર આદિ શેષ નવનું વર્ણન સમજવું. પૂર્વ અધ્યયનમાં વર્ણિત કાલકુમાર આદિ દસે ભાઈઓના આ દશ પુત્ર હતા. શ્રેણિક રાજાના પૌત્ર અને કુણિકના ભત્રીજા હતા. આ દશે આત્માઓએ ક્રમશઃ (૧) પાંચ (૨) પાંચ (૩) ચાર (૪) ચાર (૫) ચાર (૬) ત્રણ (૭) ત્રણ (૮) ત્રણ (૯) બે (૧૦) બે વર્ષ સંયમ પાળી, એક મહિનાનો સંથારો (અનશન) ર્યો. નવમું અને અગિયારમું દેવલોક વર્જી દશે આત્માઓ ક્રમશઃ પહેલા દેવલોકથી માંડી બારમા દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થયા. આ દશેના પિતા નરકમાં ગયા. તેમના દાદીઓ ભગવાનની પાસે સંયમ અંગીકાર કરી તે જ ભવમાં મોક્ષે ગયા.
સાર ઃ– એક જ પરિવારના દરેક જીવોની પોતપોતાના કર્મો અનુસાર ગતિ થાય છે. પિતા નરકમાં, માતા મોક્ષમાં, પુત્રો નરકમાં, પૌત્રો સ્વર્ગમાં, (શ્રેણિક, કાલિ આદિ રાણીઓ, કાલકુમારાદિ અને પદ્માદિ)
ખરેખર તો પુણ્યશાળી તે જ છે કે જે મળેલી પુણ્ય સામગ્રીમાં અંતિમ સમય સુધી ફસાયેલા (આસક્ત) રહેતા નથી પરંતુ સ્વેચ્છાએ તેનો ત્યાગ કરી મનુષ્ય ભવની અમૂલ્ય ક્ષણોને આત્મસાધનામાં પસાર કરે છે. મોક્ષપ્રદાયી આ માનવભવમાં એક દિવસ ધન–સંપત્તિ, સ્ત્રી–પુત્ર પરિવાર અને ઇન્દ્રિયના સુખોનો સ્વેચ્છાએ ત્યાગ કરે છે, ગુસ્સો, ઘમંડ, લોભ આદિ કષાયો ઉપર વિજય પ્રાપ્ત કરી લે છે અને જીવનમાં પૂર્ણ સરલ, નમ્ર અને શાંત બની સંયમ–તપની આરાધનામાં મગ્ન બની જાય છે. તેને જ સાચો બુદ્ધિશાળી સમજવો જોઇએ.
જીવનની અંતિમ ક્ષણો સુધી જે ધન–પરિવાર આદિમાં ફસાયેલો રહે છે, કષાયોથી મુક્ત થઈ સરલ–શાંત નથી બનતો; તેને આગમની ભાષામાં બાલ(અજ્ઞાની) જીવ કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં તેને મૂર્ખ કહેવાય છે. કારણ કે મનુષ્યભવ સંપત્તિને ગુમાવી નરક, તિર્યંચ ગતિના દુ:ખોનો મહેમાન બની જાય છે.
માટે જ, પ્રત્યેક માનવે અમૂલ્ય એવા મનુષ્ય ભવને પામીને નિષ્પ્રયોજન પ્રવૃત્તિને ટાળી સંયમ, વ્રત, ત્યાગ અને ધર્મમાં અવશ્ય પ્રયત્નશીલ થવું જોઇએ.
વર્ગ ત્રીજો – પુષ્પિકા
પ્રથમ બે વર્ગમાં કેવળ શ્રેણિક રાજાના પરિવારના જીવોનું વર્ણન છે, જ્યારે આ ત્રીજા વર્ગમાં દશ અધ્યયનોમાં જુદા જુદા દશ જીવોનું વર્ણન છે માટે તેનું નામ પુષ્પિકા રાખવામાં આવ્યું છે.
પ્રથમ અધ્યયન – ચંદ્ર દેવનો પૂર્વભવ
શ્રાવસ્તી નગરીમાં અંગજીત નામનો ધનસંપન્ન વણિક રહેતો હતો. અનેક લોકોનો તે આલંબનભૂત, આધારભૂત અને ચક્ષુભૂત હતો. અર્થાત્ અનેકોનો માર્ગદર્શક હતો.
એકદા પાર્શ્વનાથ ભગવાન ત્યાં પધાર્યા. અંગજીત શેઠ ભગવાનના દર્શન કરવા ગયા. દેશના સાંભળી સંસારથી વિરક્ત થયા. પુત્રને કુટુંબનો ભાર સોંપી ભગવાન પાસે દીક્ષિત થયા. અગિયાર અંગ કંઠસ્થ ર્યા. વિવિધ તપશ્ચર્યાઓ કરી, પંદર દિવસનો સંથારો સહ કાળ કરી ચંદ્ર વિમાનમાં ઇન્દ્રપણે ઉત્પન્ન થયા. સંયમની આરાધનામાં થોડી ઉણપ રહેવાથી વિરાધક થયા.
.
ચંદ્ર દેવનું મનુષ્ય લોકમાં આગમન :–દૈવિક સુખોને ભોગવતા થકા ચંદ્રદેવે અવધિજ્ઞાનમાં ઉપયોગ મૂક્યો. જંબુદ્વીપના આ ભરતક્ષેત્રમાં વિચરતા ભગવાન મહાવીર સ્વામીને જોયા. સપરિવાર ભગવાનના દર્શન કરવા આવ્યા. જતી વખતે બત્રીસ પ્રકારની નાટયવિધિ અને પોતાની ઋદ્ધિનું પ્રદર્શન ર્યું. તેના ગયા બાદ ગૌતમ સ્વામીના પૂછવાથી ભગવાને તેના પૂર્વભવનું કથન ર્યું. વર્તમાનમાં આપણે ચંદ્રવિમાન જોઇએ છીએ તેમાં આ અંગજીતનો જીવ ઇન્દ્રરૂપે છે. ત્યાં તેની ચાર અગ્રમહિષી–દેવી છે. સોળ હજાર આત્મરક્ષક દેવ આદિ વિશાળ પરિવાર છે.
વૈજ્ઞાનિક ભ્રમ :– આજના વૈજ્ઞાનિકો આ ચંદ્રવિમાનમાં ન પહોંચતાં પોતાની કલ્પના અનુસાર અન્યાન્ય પર્વતીય સ્થાનોમાંજ પરિભ્રમણ કરે છે. કારણ કે જયોતિષ–રાજ ચંદ્રનું વિમાન રત્નોથી નિર્મિત છે અને અનેક દેવોથી સુરક્ષિત છે. જ્યારે વૈજ્ઞાનિકો પોતાના કલ્પિત સ્થાનમાં માટી કે પત્થર સિવાય કંઈજ મેળવી શક્યા નથી.
અંગજીતમુનિએ સંયમની વિરાધના કેવી રીતે કરી તેનો સ્પષ્ટ ઉલ્લેખ સૂત્રમાં નથી પરંતુ વિરાધના કરવાનો સંકેતમાત્ર છે.