________________
74
આગમસાર–પૂર્વાર્ધ પ્રત્યે બિલકુલ દ્વેષ ન કરતાં ધીરે ધીરે ચાલતાં પૌષધશાળામાં પહોચી ગયા.
ઘાસના સંથારે પથંકાસને બેસી વિધિવત્ ભક્તપ્રત્યાખ્યાન સંથારો ક્યો. પ્રથમ નમોત્થણે સિદ્ધ પરમાત્માને અને બીજું નમોત્થણે ધર્મગુરુ ધર્માચાર્ય કેશી શ્રમણને આપ્યું અને ઉચ્ચારણ કર્યું કે હે ભંતે! આપ ત્યાં બેઠા મને જોઈ – જાણી શકો છો હું આપને વંદન નમસ્કાર કરું છું. ત્યાર પછી અઢાર પાપ અને ચાર આહારનો ત્યાગ ક્ય. શરીરના મમત્વનો ત્યાગ ક્ય, શરીરને વોસિરાવી દીધું. વિષનું પરિણમન વૃદ્ધિગત થતાં પ્રગાઢ વેદના પ્રજ્જવલિત થઈ પરંતુ પરીક્ષાના સમયે સમભાવને ન ચૂકતા પ્રદેશ રાજા આયુષ્ય પૂર્ણ કરી, ધર્મના આરાધક બની સૂર્યાભ દેવ બન્યા.
આ પ્રકારે અમાવસ્યાથી પૂનમ તરફ આવીને એટલે કે નાસ્તિકમાંથી આસ્તિક બની, દિવ્ય દેવાનુભવ તથા ઐશ્વર્યને પ્રાપ્ત ક્ય. દેવભવની ચાર પલ્યોપમની સ્થિતિ પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, રાજ દ્ધિનો ત્યાગ કરી બાળ બ્રહ્મચારી દઢ પ્રતિજ્ઞ નામના શ્રમણ થશે. ઘણા વર્ષોની કેવલી પ્રવજ્યા પાળી અંતિમ દિવસોમાં અનશન કરી નિર્વાણ પ્રાપ્ત કરશે. ભવચક્રથી મુક્ત થઈ જશે. શિક્ષા એવં જ્ઞાતવ્ય: (૧) ધૃણા પાપસે હો પાપીસે નહીં કભી લવલેશ – ભૂલ સુજા કર સત્ય માર્ગ પે, કરો યહી યત્નશ.
ચિત્ત સારથી અને કેશી શ્રમણના અનુપમ આદર્શથી એક દુરાગ્રહી, પાપિષ્ઠ માણસ જેના હાથ લોહીથી રંગાયેલા રહેતા
હતા, તેવી ઉપમા સૂત્રમાં જેને આપવામાં આવી છે, તે એક વખત સંત સમાગમ થતાં, વિશદ ચર્ચા કરતાં, દઢધર્મી બન્યો. (૨) કેશી શ્રમણનો ઉપદેશ સૂર્યકાંતા મહારાણીએ પણ સાંભળ્યો હતો. તે રાજા જેવી પાપિષ્ઠ નહોતી, રાજાને પ્રિયકારી હતી,
તેથી પુત્રનું નામ માતાના નામ ઉપરથી સૂર્યકાંત રાખવામાં આવ્યું હતું. છતાં રાજાના પૂર્વના નિકાચિત્ત કર્મ ઉદયમાં આવતાં રાણીને કુમતિ સૂઝી. જીવ અજ્ઞાન દશામાં કોઈ ઉતાવળું કાર્ય કરી બેસે છે; જેનાથી તેને કોઈ લાભ થતો નથી. છતાં ફક્ત ઉત્પન થયેલ સંકલ્પોને પૂર્ણ કરવા દત્તચિત્ત બની જાય છે. આ પણ જીવની અજ્ઞાનદશા છે. અંતે અપયશ મેળવી આ ભવ-પરભવને બગાડી દુ:ખની પરંપરાનું સર્જન કરે છે. ધર્મની સમ્યફ સમજણ આવ્યા પછી રાજા હોય કે પ્રધાન, શ્રાવકના બાર વ્રત ધારણ કરવામાં કોઈને તકલીફ પડતી નથી. તેથી ધર્મપ્રેમી કોઈપણ આત્મા સંયમ સ્વીકાર નથી કરી શકતા તેમણે શ્રાવકવ્રત ધારણ કરવામાં આળસ, પ્રમાદ, લાપરવાહી કે ઉપેક્ષાવૃતિ ન રાખવી જોઈએ. દા.ત. ચિત્ત સારથી અન્ય રાજ્યમાં રાજ્ય વ્યવસ્થા માટે ગયો હોવા છતાં ત્યાં બારવ્રતધારી બન્યો. પરદેશી રાજા અશ્વ પરીક્ષાર્થે નીકળ્યા હોવા છતાં મુનિના સત્સંગથી બારવ્રતધારી શ્રાવક બન્યા. આજે વર્ષોથી ધર્મ કરણી કરતા માણસો બાર વ્રત ધારી નથી બની શકતા. તેમણે આ સૂત્રમાંથી પ્રેરણા મેળવી વ્રતધારી શ્રાવક બનવું જોઇએ. આધ્યાત્મ ભાવની સાથે સાથે ગૃહસ્થ જીવનમાં અનુકંપા દાન અને માનવસેવાને સ્થાન આપવું જોઈએ. પ્રદેશી શ્રમણોપાસકને કેશી શ્રમણે 'રમણીક રહેવાની પ્રેરણા આપી હતી. તેના ફળ સ્વરૂપે રાજાએ દાનશાળા ખોલી.
વિચન એક ચક્ષથી નથી ચાલતું. ઉભય ચક્ષ પ્રવર્તક છે. કેટલાક ફક્ત માનવસેવાને જ ધર્મ માને છે. વ્રત નિયમની ઉપેક્ષા કરે છે. તો કેટલાક શ્રાવક આધ્યાત્મ ધર્મમાં આગળ વધે છે પણ સંપન્ન હોવા છતાં દયા, દાન, માનવસેવા, ઉદારતાના ભાવોની ઉપેક્ષા કરે છે. તે બધાની ગૃહસ્થ જીવનની સાધના એક ચક્ષુભૂત સમજવી. તેઓ છતી શક્તિએ ધર્મની પ્રભાવના કરી શકતા નથી આ પ્રમાણે આ સૂત્રના અંતિમ પ્રકરણથી શ્રાવકોએ ઉભય ચક્ષુ બનવાની પ્રેરણા પ્રાપ્ત કરવી જોઇએ. અર્થાત્
અધ્યાત્મધર્મની સાધનાની સાથે છતી શક્તિએ અનુકંપા દાન આદિની ઉપેક્ષા ન કરવી જોઇએ. (૫) શ્રમણ વ કેશીશ્રમણની આ ચર્ચાથી અનુપમ પ્રેરણા લેવી જોઇએ કે દુરાગ્રહી પ્રશ્નકર્તાઓને પણ સંતોષ આપી શકાય છે.
આવા પ્રકરણોનું વારંવાર સ્વાધ્યાય, મનન કરવાથી બુદ્ધિ અને તર્કશક્તિનો વિકાસ થાય છે. (૬) કેવળજ્ઞાની ભગવંતો પણ અંતિમ સમયે ઘણા દિવસોનો સંથારો કરે છે તે પ્રદેશના ભવિષ્યના ભવ દઢપ્રતિજ્ઞના વર્ણનથી
સ્પષ્ટ થાય છે. (૭) કથાનકોમાં પ્રદેશી રાજાએ છઠના પારણે છઠની ૩૯ દિવસની શ્રમણોપાસકની પર્યાયમાં આરાધના કરી છે તેમ વર્ણવ્યું છે, પણ આ સૂત્રમાં તે ઉપલબ્ધ નથી. રાણીએ છઠનાં પારણા માં ઝેર આપ્યું હોય એ પણ શક્ય છે.
(૩)
આ બધા તારા રૂપ પણ છે. કથામાં ઉપસ્થિત જીવાત્માઓમાં મારો આત્મા છે, તમારો આત્મા પણ છે, આજ સુધી અનંત ભવભ્રમણ કરતાં જીવ હજી સિધ્ધ ગતિ નથી પામ્યો. અને આજથી પૂર્વે જીવે અનંત ભવ કર્યા તેથી આમાંના સઘળા ભવ જીવે ક્ય. તેથી તે જીવો પ્રત્યે આત્મભાવમાં ઘુણા ન લાવતાં, કરુણા ભાવ રાખવો. નાગેશ્રી સુર્યકાંતાં, મહાશતક પત્ની રેવતી કે ગોશાલક જ્વા જીવો પ્રત્યે પણ વૃશાભાવ ન રાખવો, કે ન તેમનાં ભવભ્રમણનું વાંચન કરતાં, ન્યાય થયો એમ જાણવું. પરંતુ જીવોની આ પણ એક દશા છે. એમ જાળી કરુણાભાવ રાખવો. કારણકે હે જીવ તે જીવાત્મા તું પોતે પણ છે. તેથી હવે તું પોતાના પર ઉપકાર કર, દયા કર અને ફરી આવા ભવ ભ્રમણ ન કરવા પડે તે માટે પ્રયત્ન કર.