SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ jainology આગમસાર જમીનમાં આંબો, દ્રાક્ષ, શેરડી, મરચા આદિના પરમાણુ પડ્યા છે તેવી શ્રદ્ધાથી કોઈ વ્યક્તિ બીજ વાવે તો ફળ પ્રાપ્ત કરી શકે પરંતુ કોઈ ધરતીને ખોદી તેના કણ-કણમાં તે આમ્ર, દ્રાક્ષ, શેરડી, મરચાના પરમાણુઓને પ્રત્યક્ષ જોવાનો પ્રયત્ન કરે તો તેને ઇચ્છિત ફળ ની પ્રાપ્તિ થતી નથી. જ્યારે આ રૂપી પદાર્થ પણ રૂપી હોવા છતાં સામાન્ય જ્ઞાન વાળાને દષ્ટિગોચર નથી થતા તો આત્મા જેવો અરૂપી અને અતિ સૂક્ષ્મ પદાર્થ જોવાની કલ્પના કરવી તે બાલિશતા છે, નાદાનતા છે. તેથી આત્મા, પરલોક, પુદ્ગલ પરમાણુ, સૂક્ષ્મ સમય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવની આદિ, તૈજસ-કાશ્મણ શરીર, કર્મ આદિ કેટલાક તત્વ સામાન્ય જ્ઞાનીઓ માટે શ્રદ્ધા ગમ્ય અને બુદ્ધિ ગમ્ય હોઈ શકે. પ્રત્યક્ષ ગમ્ય નહિ. રાજા :–ભંતે! જીવને અલગ તત્વ માનશું તો તેનું પરિમાણ, કદ કે માપ કેટલું માનવું? તે આત્મા ક્યારેક હાથીની વિશાળ કાયામાં અને ક્યારેક કીડી જેવા નાના શરીરમાં કેવી રીતે રહી શકે? જો તેનું કદ કીડી જેટલું માનીએ તો હાથીના શરીરમાં કેવી રીતે રહી શકે ? અને જો હાથી જેટલું કદ માનીએ તો કીડીના શરીરમાં કેમ સમાઈ શકે? તેથી શરીર અને આત્માને ભિન્ન તત્વ ન માનવા જોઇએ. કેશી :- રાજ! જે પ્રકારે દીપક મોટા હોલમાં રાખવામાં આવે તો તેનો પ્રકાશ આખા હોલમાં ફેલાય છે અને નાના ખંડમાં રાખવામાં આવે તો પણ તેના પ્રકાશનો સમાવેશ થઈ જાય છે. તેવી રીતે બલ્બને એક કોઠીમાં રાખો તો તેનો પ્રકાશ કોઠીમાં સમાઈ જાય છે. તેનું કારણ એ છે કે રૂપી પ્રકાશમાં સંકોચ વિસ્તરણનો ગુણ છે. આ જ રીતે આત્માના પ્રદેશમાં પણ ઉક્ત ગુણ છે. તે જે કર્મના ઉદયથી જેવું અને જેટલું શરીર પ્રાપ્ત કરે છે તે શરીરમાં વ્યાપ્ત થઈને રહે છે. તેમાં કોઈ મુશ્કેલી નથી. તેથી હે રાજન્ ! તમે શ્રદ્ધા કરો કે આત્મા અને શરીર ભિન્ન છે. જીવ તે શરીર નથી. રાજા :- ભતે ! આપે જે કંઈ સમજાવ્યું છે તે બધું ઠીક પણ મારા પૂર્વજો એટલે કે બાપ-દાદાના વખતથી ચાલ્યો આવતો આ ધર્મ કેમ છોડું? કેશી - હે રાજન! તમે લોહ વણિકની જેમ હઠીલા ન બનો. નહિતર તેની જેમ પસ્તાવુ પડશે.યથા – એકદા કેટલાક વણિકો ધન કમાવાની ઈચ્છાથી યાત્રાર્થે નીકળ્યા. મોટા જંગલમાં આવ્યા ત્યાં કોઈ એક સ્થાને લોખંડની ખાણ જોઈ. બધાએ વિચાર વિમર્શ કરી લોખંડના ભારા બાંધ્યા. આગળ જતાં સીસાની ખાણ આવી. બધાએ વિચારી લોખંડ છોડી સીસાના ભારા બાંધ્યા. એક વણિકને અનેક રીતે સમજાવવા છતાં તેણે એમ જ કહ્યું કે આટલે દૂરથી મહેનત કરી વજન ઉપાડ્યું હવે તેને કેમ છોડાય? આગળ જતાં ત્રાંબાની, પછી ચાંદીની, ત્યાર પછી સોનાની, રત્નની અને અંતે હીરાની ખાણો આવી. બધા વણિકોએ અગાઉની વસ્તુનો ત્યાગ કરી હીરા ભરી પુનઃ ઘર તરફ જવાની તૈયારી કરી. પણ પેલા વણિકે પોતાની જીદ અને અભિમાનમાં લોખંડ છોડ્યું નહિ અને હીરા લીધા જ નહિ. નગરમાં આવ્યા પછી બધા વણિકોએ હીરા વેચી અખૂટ ધન સંપતિ પ્રાપ્ત કરી. વિશાળ સંપતિના માલિક બનીને સમય પસાર કરવા લાગ્યા. પરંતુ લોહ વણિક ફક્ત લોઢાના મૂલ્ય જેટલું ધન મેળવી પૂર્વવત્ જીવન જીવવા લાગ્યો અને તેના સાથીઓના વિશાળ બંગલા અને ઋદ્ધિને જોઈ પારાવાર પશ્ચાતાપ કરવા લાગ્યો. વણિક હોવા છતાં હાનિ-લાભ, સત્યઅસત્યનો વિચાર ન ક્ય. પૂર્વાગ્રહમાં રહી પશ્ચાતાપ મેળવ્યો, તેમ હે રાજન્ ! તું બુદ્ધિમાન થઈ, જાણતો હોવા છતાં સત્યઅસત્યનો નિર્ણય કરી સત્યનો સ્વીકાર નથી કરતો, તો તારી દશા લોહ વણિક જેવી જ થશે. રાજાનું પરિવર્તન :- કેશીકુમાર શ્રમણના નિર્ભીક સચોટ વાક્યોથી, અને તર્કસંગત દષ્ટાંતોથી પ્રદેશ રાજાના જીવનમાં પરિવર્તન આવ્યું. ચિત્ત સારથીનો પુરુષાર્થ સફળ થયો. રાજાએ વંદન નમસ્કાર કરી મુનિને કહ્યું – ભંતે! હું લોહ વણિક જેવું નહીં કરું કે જેથી મારે પસ્તાવું પડે. હું તમારી પાસે ધર્મશ્રવણ કરવા ઇચ્છું છું. કેશી શ્રમણે સમય ઉચિત્ત ધર્મ ઉપદેશ આપ્યો. જેથી પ્રદેશ રાજા વ્રતધારી શ્રમણોપાસક બન્યા. બીજે દિવસે સંપૂર્ણ પરિવાર પાઠ પૂર્વક દર્શનાર્થે આવ્યા. પાંચ પ્રકારના અભિગમ સહિત તેમના અવગ્રહમાં પ્રવેશ . વિધિયુક્ત વંદન નમસ્કાર કર્યો. અગાઉ કરેલ અવિનય, અશાતનાની ક્ષમા યાચના કરી. ઉપદેશ સાંભળવા વિશાળ પરિષદ સાથે કેશી શ્રમણ સમક્ષ બેસી ગયા. કેશી શ્રમણે પરિષદને લક્ષ્યમાં રાખી ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળી પરિષદ વિસર્જિત થઈ. કેશી શ્રમણે રાજાને સંબોધિત કરી કંઈક ભલામણ રૂપે શિક્ષા વચનો કહ્યા – - હે પ્રદેશી! જેવી રીતે ઉદ્યાન, ઈક્ષનું ખેતર, નૃત્ય શાળા આદિ ક્યારેક રમણીય હોય છે તો ક્યારેક અરમણીય પણ બની જાય છે. તેમ તું ધર્મની અપેક્ષાએ રમણીય બની પુનઃ ક્યારેય અરમણીય બનતો નહીં. રાજા :- ભંતે! હું શ્વેતાંબિકા સહિત સાત હજાર ગામ નગરોને ચાર વિભાગમાં વિભક્ત કરીશ. યથા– (૧) રાજય વ્યવસ્થા માટે (૨) ભંડાર માટે (૩) અંતઃપુર માટે અને (૪) દાન શાળા માટે. દાનશાળાની વ્યવસ્થા માટે સુંદર કુટાકાર શાળા તથા નોકરોને નિયુક્ત કરીશ; જેમાં સદા ગરીબોને તથા અન્ય વાચકો અને ભિક્ષાચરોને ભોજન આદિની સુંદર વ્યવસ્થા રહેશે. તદુપરાંત હું પણ વ્રત, પચ્ચકખાણ અને પૌષધ કરતો ઉત્તરોત્તર ધર્મ આરાધનામાં અભિવૃદ્ધિ કરીશ. આ પ્રકારે પ્રદેશીએ દ્રવ્ય અને ભાવથી જીવન પરિવર્તન કર્યુ. ધર્માચરણમાં તેની રુચિ કેન્દ્રિત થઈ ગઈ. રાજ્ય વ્યવસ્થાની લગન ઘટી ગઈ. ભવિતવ્યતા વશ પ્રદેશનું ધર્મયુક્ત જીવન રાણી સૂર્યકાંતા સહી ન શકી. તેની દષ્ટિમાં રાજા વાસનાથી વૈરાગી - ધર્મઘેલા બની ગયા હોય તેવું લાગ્યું. અનેક વિકલ્પોથી ઘેરાઈ ગઈ. ત્યાં સુધી વિચાર્યુ કે રાજાને ઝેર દઈ મારી નાખવા. પોતાની અધીરાઈને રોકી ન શકી. પોતાના કુત્સિત વિચારો સૂર્યકાંતકુમાર પાસે રજૂ ક્ય. સૂર્યકાંત કુમારે તેની હળાહળ ઉપેક્ષા કરી તેથી રાણીને લાગ્યું કે કદાચ કુમાર મારા વિચારો રાજા પાસે રજુ કરી ન દે.. અવસર જોઈ રાજાને ભોજનનું નિમંત્રણ આપી વિષમય આસન, શય્યા, વસ્ત્ર, આભૂષણ અને આહાર–પાણી બનાવ્યા. યથાસમયે પ્રદેશને વિષયુક્ત ભોજન આપ્યું. તેનો ભોગ ઉપભોગ કરતાં જ રાજાને બેચેની થવા માંડી, વિષનો પ્રભાવ વધવા માંડ્યો. રાજાને સમજતાં વાર ન લાગી. તે ત્યાંથી ઉઠયા. પૂર્ણ શાંતિ અને સમભાવના સાથે કર્મનો ઉદય અને ભવિતવ્યતાનો વિચાર કરી સૂર્યકાંતા
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy