SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ jainology 71 આગમસાર કેશી - રાજન્ ! શરીર એ જ આત્મા નથી. આત્મા શરીરથી ભિન્ન છે. આત્માના અસ્તિત્વનું જ્ઞાન સ્વસંવેદનથી થઈ શકે છે. સંસારમાં જેટલા પ્રાણી છે તેમને સુખ અને દુઃખ, ધનવાન અને નિર્ધન, માન અને અપમાનનું જે સંવેદન થાય છે– અનુભૂતિ થાય છે, તે આત્માને જ થાય છે, શરીરને નહિ. શરીર તો જડ છે. આત્માની શંકા કરે, આત્મા પોતે આપ - શંકાનો કરનાર તેજ, અચરજ એહ અમાપ, આત્માના અસ્તિત્વની શંકા જડને નથી થતી. એવો સંશય ચેતન તત્વને જ થાય છે – “આ મારું શરીર છે.” આ કથનમાં જે 'મારું શબ્દ છે તે સિદ્ધ કરે છે કે હું કોઈ શરીરથી અલગ વસ્તુ છું અને તે આત્મ તત્વ છે, આત્મા છે,જીવ છે, ચૈતન્ય છે. શરીરના નાશ થવા પછી પણ તે રહે છે, પરલોકમાં જાય છે. ગમનાગમન અને જન્મ મરણ કરે છે. તેથી સંશય કરવાવાળો, સુખ–દુઃખ નો અનુભવ કરવાવાળો, આત્માનો નિષેધ કરવાવાળો અને હું મારું શરીર' આ બધાનો અનુભવ કરવાવાળો આત્મા જ છે અને તે શરીરથી ભિન્ન તત્વ છે. આંખ જોવાનું કામ કરે છે, કાન સાંભળવાનું કામ કરે છે પણ તેનો અનુભવ કરી ભવિષ્યમાં યાદ કોણ કરે છે? તે યાદ રાખનાર આત્મ તત્વ છે, જે શરીર અને ઇન્દ્રિયોથી ભિન્ન છે. રાજા :- ભંતે ! મારા દાદા મારા ઉપર અત્યંત સ્નેહ રાખતા હતા. તે મારા જેવા અધાર્મિક હતા, આત્મા અને શરીરને એક જ માનવા વાળા હતા તેથી તે નિઃસંકોચ પાપ કર્મ કરતાં જીવન પસાર કરતા હતા. તમારી માન્યતા અનુસાર તે નરકમાં ગયા હશે. ત્યાં દારૂણ દુઃખ ભોગવતા હશે. તેમને મારા ઉપર અપાર સ્નેહ હતો. માટે મને સાવધાન કરવા મારી પાસે તેઓએ આવવું જોઈતું હતું કે હે પ્રિય પૌત્ર! હું પાપકાર્યના ફલસ્વરૂપ નરકમાં ગયો છું અને મહાન દુઃખો ભોગવું છું તેથી તું આવું પાપ કાર્ય ન કરતો, ધર્મ કર, પ્રજાનું સારી રીતે સંરક્ષણ-પાલન કર. પણ આજ સુધી ક્યારેય આવ્યા જ નથી. તેથી તે બંને ! આત્મા કંઈ અલગ નથી, શરીર એ જ આત્મા છે. શરીરના નાશ થયા પછી આત્માની સ્વતંત્ર કલ્પના કરવી તે જૂઠું છે. કેશી - રાજનું! તારા દાદા નરકમાં ગયા હશે તો પણ આવ્યા નથી તેનું કારણ એ છે કે – જેમ તારી રાણી સૂર્યકાંતાની સાથે કોઈ અન્ય પુરુષ ઇચ્છિત કામભોગોનું સેવન કરે તે જોયા બાદ તે તેને કેવો દંડ કરે? રાજા :- તે દુષ્ટ પાપીને તત્કાળ દંડ દઉં અર્થાત્ તલવારથી ટુકડે ટુકડા કરી પરલોકમાં પહોંચાડી દઉં. કેશી :- જો તે એમ કહે કે મને એકાદ બે કલાકનો સમય આપો, જેથી હું મારા પરિવારને મળી આવું, સૂચના આપી આવું તો તું તેને છોડી દે? રાજા :- ના...એટલો બોલવાનો પણ સમય ન આપું. અથવા તે બોલવાની હિંમત પણ ન કરી શકે અને કદાચ કહે તો દુષ્ટને એક ક્ષણ પણ રજા ન આપું. કેશી :- રાજ! આ અવસ્થા નરકના જીવોની અને તારા દાદાની હશે. પોતાના દુઃખથી અહીં આવવાનો વિચાર પણ ન કરી. શકે અથવા તે આવવા ઈચ્છે તો આવી ન શકે તથા તેનું નરક લોકનું આયુષ્ય અને કર્મ ક્ષય ન થવાના કારણે તે ત્યાંથી આવી ન શકે. તેથી તારા દાદા તને કહેવા ન આવ્યા હોય તે માટે જીવ અને શરીર એક જ છે, તેમ માનવું યોગ્ય નથી. રાજા :- ભંતે! મારી દાદી બહ ધર્માત્મા હતી. તેથી તમારી માન્યતા અનુસાર જરૂર સ્વર્ગમાં ગઈ હશે. તેને પાપ ફળને પ્રતિબંધ નહીં હોય તો તે આવીને મને કહી શકે કે હે પૌત્ર! હું ધર્મ કરી સ્વર્ગમાં ગઈ છું. તું પાપ નહીં કરતો. આત્મા અને શરીર ભિન્ન છે, તેમ માની ધર્મ કર, પ્રજાનું યથાતથ્ય પાલન કર, ઇત્યાદિ. પણ હજી સુધી તે મને સાવધાન કરવા ક્યારેય આવી નથી. તેને મારા ઉપર અત્યંત પ્રેમ હતો તો પણ કેમ આવી નહિ? તેથી પરલોક, દેવલોક અને આત્મા એવું કાંઈ નથી એવી મારી માન્યતા છે. [નોંધઃ કેશી સ્વામીનાં સમય કાળમાં પોતાનાં સંપૂર્ણ આયુષ્ય દરમિયાન પ્રદેશી રાજાએ દેવોને જોયા નથી. તેથી ચોથા આરામાં પણ દેવો જવલેજ (તિર્થંકર,ચક્રવર્તી કે વાસુદેવની હાજરીમાં) આવાગમનની પ્રવૃતિ કરતાં હશે એવું અનુમાન થાય છે.] કેશી :- રાજન્! જ્યારે તું સ્નાન આદિ કરી પૂજાની સામગ્રી આદિ લઈ મંદિરમાં જઈ રહયો હોય, અને માર્ગમાં કોઈ પુરુષ અશુચિથી ભરેલા શૌચગૃહ પાસે બેઠો તમને કહે.'અહીં આવો, થોડી વાર બેસો. તો તમે ત્યાં ક્ષણભર પણ નહીં જાવ. તે પ્રકારે છે રાજન્ ! મનુષ્ય લોકમાં ૫00 યોજન ઉપર અશુચિની દુર્ગધ જાય છે. તેથી દેવો અહીં નથી આવતા. તેથી તમારા દાદી પણ તમને કહેવા ન આવ્યા હોય. દેવલોકમાંથી તિથ્યલોકમાં ન આવવાના કારણ (૧) ૫00 યોજન ઉપર દુર્ગધ ઊછળે છે. (૨) ત્યાં ગયા પછી અહીંનો પ્રેમ સમાપ્ત થઈ જાય છે. (૩) ત્યાં ગયા પછી હમણાં જાઉં જાઉં એવો વિચાર કરી કોઈ નાટક જોવામાં કે એશ-આરામમાં પડી જાય; તેટલા સમયમાં અહીં કેટલીય પેઢીઓ પસાર થઈ જાય છે.(૪) ત્યાંના કામભોગોમાં મુંજાઈ જાય છે. તેથી દાદીના આવવાનું તમારું માનવું યોગ્ય નથી. રાજા :- ભંતે! તે સિવાય પણ મારો અનુભવ છે કે શરીરથી ભિન્ન જીવ તત્વ નથી. એક વખત મેં એક અપરાધી પુરુષને લોખંડની કોઠીમાં બંધ કરી, ઢાંકણું ઢાંકી તેની ઉપર ગરમ લોખંડ અને ત્રાંબાનો લેપ ર્યો. વિશ્વાસુ માણસને પહેરેગીર તરીકે રાખ્યો. કેટલાક દિવસ પછી તે કોઠીને ખોલવામાં આવી તો તે વ્યક્તિ મૃત્યુ પામી હતી. તે કોઠીમાં સોઈની અણી જેટલું પણ છિદ્ર નહોતું પડ્યું. જો આત્મા અલગ હોય તો કોઠીમાંથી નીકળતાં ક્યાંક સૂક્ષ્મ છિદ્ર પડવું જોઈએ ને? ખૂબ ધ્યાન પૂર્વક નીરખ્યું હોવા છતાં ક્યાંય છિદ્ર ન દેખાયું. તેથી મારી માન્યતાને પુષ્ટિ મળી. કેશી : રાજન! ચોતરફ બંધ દરવાજાવાળો એક ખંડ હોય. તેની દિવાલો નક્કર બની હોય, તેમાં કોઈ વ્યક્તિ બૅડ-વાજા-ઢોલ આદિ લઈને ગઈ હોય, પછી દરવાજા બંધ કરી તેની ઉપર લેપ કરી સંપૂર્ણ છિદ્ર રહિત કરી, પછી જોર-જોરથી ઢોલ, ભેરી વગાડે તો અવાજ બહાર આવશે? તેની દિવાલ આદિમાં છિદ્ર થશે? રાજા :- દિવાલમાં છિદ્ર ન હોવા છતાં અવાજ તો જરૂર આવશે. કેશી :- રાજન્! જેવી રીતે છિદ્ર વિનાની દિવાલમાંથી અવાજ બહાર આવે છે તો અવાજથી પણ આત્મ તત્વ અતિ સૂક્ષ્મ છે. તેની
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy