________________
46
(૩).
આગમસાર–પૂર્વાર્ધ પહોંચીને ગમનાગમનનું પ્રતિક્રમણ કર્યું. દોષોની આલોચના કરી અને આહાર દેખાડ્યો. પછી ભગવાનની આજ્ઞા લઈને રાગ-દ્વેષના ભાવોથી રહિત થઈને તે આહાર પાણી વાપર્યા. અર્જુન અણગારની મુક્તિઃ - અર્જુન અણગારે આ પ્રમાણે છ મહિના સુધી શુદ્ધ સંયમનું પાલન કર્યું. છઠના પારણે છઠ અને સમભાવોથી તેણે પોતાના કર્મોના દલિકો તોડી નાખ્યાં અલ્પ દીક્ષા પર્યાય અને પંદર દિવસના સંથારા વડે અર્જુન મુનિએ સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને મોક્ષની પ્રાપ્તિ કરી. શિક્ષા–પ્રેરણા:-(૧) લલિત ગોષ્ઠી પર અંકુશ ન મૂકવાને કારણે રાજાશ્રેણિકની રાજધાનીના નાગરિકોમાં અશાંતિ વધી અને સેંકડો
લોકોનો સંહાર થયો. (૨) તીર્થકર ભગવાનના પગલાં થયા પછી તે ક્ષેત્રમાં થઈ રહેલા ઉપદ્રવ કે રોગાતંક કોઈપણ નિમિત્તે શાંત થઈ જાય છે.
અર્જુનનો ઉપદ્રવ પણ સુદર્શન શ્રાવકના નિમિત્તથી દૂર થયો. મૂળ કારણ તો ભગવાનનું આગમન જ સમજવું જોઈએ. જેના કારણે દૈવી શક્તિ પણ સ્તબ્ધ થઈ ગઈ. કોઈ પણ વ્યક્તિના ભૂતકાળના જીવન પરથી વર્તમાન સમયમાં તેના પર ધૃણા કરવી સનતા નહિ પરંતુ દુર્જનતા છે.દિશા બદલતાં જ વ્યક્તિની દશા બદલાઈ જાય છે. ભૂતકાળની દષ્ટિથી જ વ્યક્તિને જોતાં રહેવું એ માનવની એક તુચ્છ અને મલિન વૃત્તિ છે. વ્યક્તિનો ક્યારે કેટલો વિકાસ થાય છે. એ વાતનો પણ વિવેક રાખવો જોઇએ. પાપીમાં પાપી પ્રાણી પણ પોતાનું જીવન પરિવર્તિત કરી નાખે છે. પ્રદેશ રાજા, અર્જુન માળી, પ્રભવ ચોર ઇત્યાદિક અનેક તેનાં ઉદાહરણો છે. કવિનાં શબ્દોમાં – ધૃણા પાપ સે હો, પાપી સે નહિં કભી લવલેશ
ભૂલ સૂજાકર ન્યાય માર્ગમે, કરો યહી યત્નશ. (૪) કોઈ પણ ધાર્મિક વ્યક્તિ કે માનવ અથવા પ્રાણી માત્રથી ધૃણા કરવી કે તેની નિંદા કરવી, એ નિમ્ન કક્ષાના લોકોનું કામ
છે.સજજન અને વિવેકી ધર્મજનન એ જ કર્તવ્ય છે કે તે કોઈ પણ વ્યક્તિની નિંદા કે ઘણા ન કરે અને નિંદાનો વ્યવહાર પણ ન કરે. પાપ અથવા પાપમય સિદ્ધાંતની નિંદા કરવી કે ધૃણા રાખવી તે ગુણ છે અને વ્યક્તિથી ધૃણા કરવી તે અવગુણ અને
અધાર્મિકતા છે. (૫) ભગવાને સેંકડો માનવોનાં હત્યારા અર્જુન પ્રત્યે જરાપણ ધૃણા કે છૂતાછૂત જેવો વ્યવહાર ન કર્યો. ભગવાનની વાત તો દૂર
રહી, પરંતુ તેનો એક ઉપાસક(સુદર્શન શેઠ) પણ તેને દુષ્ટ, હત્યારા જેવા શબ્દ પ્રયોગ વડે નથી ધુત્કાર્યો. પરંતુ તેની તત્કાળ સેવા-પરિચર્યા કરી છે. તેને ભગવાનના સમવસરણમાં પોતાની સાથે લઈ ગયા. અને ભગવાને પણ તેને તે જ દિવસે તે જ હાલતમાં પોતાની શ્રમણ સંપદામાં ગ્રહણ કરી લીધો હતો. આ દષ્ટાંત દ્વારા આપણને હૃદયની વિશાળતાનો આદર્શ શીખવા મળે છે. જેને આપણે આપણા જીવનમાં ઉતારવો જોઈએ અને તુચ્છતા તેમજ સંકુચિત્તતા આદિ અવગુણોને તિલાંજલિ આપવી જોઇએ. અર્જુને અલ્પ સમયમાં જ પોતાના જીવન અને વિચારોને તીવ્ર ગતિથી ફેરવી નાખ્યા. આજે આપણે પણ આપણી સાધનામાં માન-અપમાન, ઈર્ષ્યા-દ્વેષ, કષાય આદિ પ્રવૃત્તિઓનું ઉપશમન કરવામાં અને પોતાના આત્માને સમભાવોમાં તેમજ સહજ ભાવોમાં સંલગ્ન કરવામાં ઢીલ ન કરવી જોઇએ.વર્ષો સુધીનું ધાર્મિક જીવન પર્યાય કે શ્રમણ પર્યાય વીતી જાય તેમ છતાં પણ આપણે ક્યારેક તો અશાંત બની જઈએ છીએ; ક્યાંક આપણે માન-અપમાનની વાતો કરીએ છીએ તો ક્યારેક બીજા લોકોના વ્યવહારની ચર્ચા કરીએ છીએ; કોઈની નિંદામાં અને તિરસ્કારમાં રસ લઈએ છીએ; જીવનની થોડીક અને ક્ષણિક સુખમય ક્ષણોમાં આપણે ફૂલી જઈએ છીએ, તો ક્યારેક મુર્જાઈને પ્લાન અને ઉદાસીન બની જઈએ છીએ. આ સર્વ વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ માર્ગથી ભટકવા સમાન છે.ચલિત થવા બરાબર છે. એનાથી સંયમની સફળતા કે ધર્મ જીવનની સફળતા ન મળી શકે. આપણા આત્મ પ્રદેશના કણ-કણમાં અને વ્યવહારિક જીવનમાં જ્યારે ધાર્મિકતા, ઉદારતા, સરળતા, નમ્રતા, શાંતિ ક્ષમાં, વિચારોની પવિત્રતા અને પાપી–ધર્મી બધા પ્રત્યે સહજ સ્વાભાવિકતાનો વ્યવહાર આવશે, ત્યારે જ અર્જુન અને
ગજસુકુમાર જેવા ઉદાહરણો સાંભળવાનો આપણને સાચા અર્થમાં લાભ પ્રાપ્ત થશે. (૮).
ભલે ને ગૃહસ્થ જીવન હોય કે સંયમ જીવન, ધર્મના આચરણો દ્વારા આપણા જીવનમાં શાંતિ, પ્રેમ, મૈત્રી, માધ્યસ્થ ભાવોની અને સમભાવોની વૃદ્ધિ થવી જોઇએ. એથી વિપરીત જો કોઈ પણ વ્યક્તિ પ્રત્યે અશાંતિ, અપ્રેમ, અમૈત્રી, વિપરીત ભાવ
તે સમજવું જોઈએ કે આત્મામાં ધર્મને સાચા અર્થમાં પરિણમન થયું નથી. પરંતુ આ ધર્માચરણ માત્ર દેખાવ પૂરતું કે દ્રવ્ય આચરણરૂપ જ છે. આ જાણીને પ્રત્યેક મુમુક્ષુ આત્માઓએ ધર્મનો સાચા અર્થમાં લાભ અને સાચો આનંદ લેવા માટે આત્માને હંમેશને માટે સુસંસ્કારોથી સિંચિત કરતા રહેવું જોઇએ. પોતાના દુર્ગુણો અને અવગુણોને
શોધી–શોધીને કાઢવાનો પ્રયત્ન કરવો જોઇએ અને આત્મ ગુણોની વૃદ્ધિ કરવી જોઇએ. (૯) સુદર્શન શ્રાવકના જીવનમાંથી ધર્મપ્રેમની ઉત્કૃષ્ટતા, દઢતા અને નિર્ભીકતાનો બોધપાઠ લેવો જોઇએ. ગંભીરતા અને વિવેક
તથા સંકટમાં પણ શાંતિ સહ સંથારો કરવાની શિક્ષા પણ લેવી જોઇએ. (૧૦) એક જ ઉત્તમ વ્યક્તિ આખાયે નગરને સુખી અને ઘરને સ્વેગ સમાન બનાવી દે છે,અને અધર્મી વ્યક્તિ સારાયે નગરને
સંકટમાં નાખી દે છે અને ઘરને નર્કમય બનાવી દે છે. તેથી પોતાની જવાબદારી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી કોઈમાં પણ
કુસંસ્કાર કે અન્યાય, અનીતિ વૃદ્ધિ ન પામે એનો વિવેક અવશ્ય રાખવો જોઈએ. (૧૧) લલિતગોષ્ટીના કરતૂતોથી નાગરિકન હેરાન પરેશાન થઈ ગયાં હતાં અને અંતમાં યક્ષના ઉપદ્રવના ભયાનક સંકટથી ગ્રસ્ત
બન્યાં.
(૬)