________________
આગમસાર–પૂર્વાર્ધ
28 પૂર્વે તેઓ ન બોલ્યા હોય તો તેમની સાથે આલાપ સંલાપ કરવો તથા તેઓને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ (ધર્મબુધ્ધિથી) આપવું ન કલ્પ,(અનુકંપા ભાવથી કલ્પ) પણ એમાં આ પ્રમાણે આગારો છે. રાજાના હુકમથી, કુળપરંપરાથી, દેવના ઉપદ્રવથી, ગુરનિગ્રહથી, બલથી, વિપતિકાળમાં. એ છ આગાર સિવાય ધર્મબુધ્ધિથી, ઉપર્યુકતનો ત્યાગ છે.
મારે શ્રમણ નિગ્રંથોને પ્રાસુક અચિત અને એષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, આહાર, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાયપોચ્છનક,પીઠ, આસન, ફલક-પાટીયું, શય્યા, વસ્તિ, સંસ્તારક તથા ઔષધ અને ભૈષજય વડે સત્કાર કરવા યોગ્ય છે.
એમ કહીને આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કરે છે.
પ્રતિજ્ઞા ગ્રહણ ક્ય પછી આનંદે પોતાના મનમાં ઉઠેલા પ્રશ્નો પૂછીને સમાધાન કર્યું. ત્યાર પછી ઘેર જઈને આનંદ શ્રાવકે પોતાની પત્ની શિવાનંદાને પણ વ્રત ધારણ કરવાની પ્રેરણા આપી. તેણે પણ ભગવાન સમક્ષ ઉપસ્થિત થઈને વિનય ભક્તિ પૂર્વક ઉપદેશ સાંભળીને શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા.
ક્રમશઃ શ્રમણોપાસક પર્યાયનું પાલન કરતાં-કરતાં શિવાનંદા પત્ની સહિત આનંદ શ્રાવક જીવ-અજીવ આદિ તત્વોના જ્ઞાતા બની ગયા; નિગ્રંથ પ્રવચનમાં તેમની શ્રદ્ધા દઢ થી દઢતર બની. કોઈ પણ દેવ કે દાનવ તેમને ધર્મમાંથી વિચલિત કરી શકતા નહિ. ધર્મનો રંગ તેના રોમે-રોમમાં વણાઈ ચૂક્યો હતો. તેઓ મહિનામાં છ દિવસ ઘરનાં બધાંજ કાર્યોથી નિવૃત્ત થઈને પરિપૂર્ણ પૌષધ વ્રતનું સમ્યક્ પ્રકારે પાલન કરતા. ચૌદ વર્ષ પછી આનંદ શ્રાવકે મોટા(ભવ્ય) સમારંભ સાથે સંપૂર્ણ કુટુંબની જવાબદારી પોતાના પુત્રોને સોંપીને પૌષધશાળામાં નિવૃત્તિથી રહેવા લાગ્યા. તે નિવૃત્ત જીવનમાં તેમણે શ્રાવકની ૧૧ પડિમાઓ સ્વીકારી. તે પડીમાઓની સાડા પાંચ વર્ષ સુધી સમ્યક આરાધના કરી. અને અંતમાં મૃત્યુનો સમય નજીક આવતો જાણીને તેમણે ભક્ત પ્રત્યાખ્યાન સંથારો ગ્રહણ ર્યો. સંથારા દરમ્યાન શુભ અધ્યવસાયોલેશ્યાનું શુદ્ધિકરણ વિશુદ્ધિ કરણ થતાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી વિશિષ્ટ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે અવધિજ્ઞાન વડે તેઓ ઊંચા-નીચા અને તિચ્છ લોકના સીમિત ક્ષેત્રને અને તેમાં રહેલ જીવ-અજીવ પદાર્થોને પ્રત્યક્ષ જાણવા અને જોવા લાગ્યા.
વિચરણ કરતાં-કરતાં ભગવાન મહાવીર સ્વામી તે નગરમાં પધાર્યા. ગૌતમ સ્વામી ભગવાનની આજ્ઞા લઈને છઠના પારણાર્થે ગોચરી વહોરવા નગરમાં પધાર્યા. આનંદ શ્રમણોપાસકના અનશનની વાત સાંભળીને ગૌતમ સ્વામી ત્યાં પૌષધશાળામાં આનંદ શ્રાવક પાસે આવ્યા. આનંદ શ્રાવકનું શરીર ધન્ના અણગારની જેમ અસ્થિપંજર(અત્યંત કૃશ) થઈ ગયું હતું. પોતાની જગ્યાએથી હલવું ચાલવું પણ તેમના માટે શક્ય ન હતું. માટે ગૌતમ સ્વામીને નજીક આવવાની પ્રાર્થના કરી. ગૌતમ સ્વામી નજીક ગયા. આનંદે તેમને ભક્તિ સભર વંદન-નમસ્કાર ર્ધા અને નિવેદન ક્યું કે હે ભંતે! મને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે, જેથી હું ઉપર સૌધર્મ દેવલોક સુધી નીચે લોલુચ્ય નામક નરકાવાસ સુધી અને પૂર્વ-પશ્ચિમ તેમજ દક્ષિણમાં લવણસમુદ્રમાં ૫૦૦-૫૦૦ યોજન સુધી તથા ઉત્તરમાં ચુલ્લ હિમવંત પર્વત સુધી જોઈ રહ્યો છું. ri ગૌતમ સ્વામીએ કહ્યું કે શ્રાવકને અવધિજ્ઞાન થઈ શકે છે પરંતુ આટલું વિશાળ ન થઈ શકે. માટે તમે આ કથનની આલોચના અને પ્રાયશ્ચિત્ત કરો. આનંદ શ્રમણોપાસકે ગૌતમ સ્વામીને પ્રશ્ન ર્યો કે હે ભંતે! શું જિનશાસનમાં સત્યનો પણ પ્રાયશ્ચિત્ત હોય? ગૌતમ સ્વામીએ ઉત્તરમાં જણાવ્યું કે એવું નથી અર્થાત્ સાચા વ્યક્તિ ને પ્રાયશ્ચિત આવતું નથી. ત્યારે ગૌતમ સ્વામીને આનંદ શ્રાવકે ફરીને નિવેદન ક્યું કે હે ભંતે! તો આપે જ આલોચના-પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ.
દઢતા યુક્ત આનંદ શ્રમણોપાસકના શબ્દો સાંભળીને ગૌતમસ્વામી સંદેહશીલ થઈ ગયા અને ભગવાનની પાસે જઈને આહાર-પાણી બતાવ્યા અને સંપૂર્ણ હકીકત કહીને ભગવાનને પૂછયું કે આનંદ શ્રાવકે પાયશ્ચિત કરવું જોઇએ કે મારે? ભગવાને જણાવ્યું કે હે ગૌતમ! તમારે જ પ્રાયશ્ચિત્ત કરવું જોઇએ અને શુદ્ધ થવું જોઇએ તેમજ આનંદ શ્રાવક પાસે આ પ્રસંગની ક્ષમાયાચના કરવી જોઇએ. ત્યારે ગૌતમ સ્વામીએ પોતાની ભૂલનું પ્રાયશ્ચિત્ત ક્યું. અને પાછા પૌષધશાળામાં જઈને આનંદ શ્રાવક પાસે ક્ષમાયાચના કરી અને પછી આવીને પારણું ક્યું. આનંદ શ્રાવકનો આ સંથારો એક મહિના સુધી ચાલ્યો. પછી સમાધિ પૂર્વક તેમણે પંડિત મરણ પ્રાપ્ત કર્યું. દેહ ત્યાગ કરીને તેઓ પ્રથમ દેવલોકમાં ચાર પલ્યોપમની સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને તપ-સંયમનું પાલન કરીને મોક્ષ પ્રાપ્ત કરશે. શિક્ષા – પ્રેરણા -૧. વ્યક્તિએ બુદ્ધિમાન, વ્યવહાર કુશળ અને મિલનસાર બનવું જોઇએ. ૨. પત્નીનો પતિ તરફ હાર્દિક અનરાગ શ્રદ્ધા અને સમર્પણ ભાવ હોવો જોઇએ. ૩. ધર્મ પ્રત્યેની સાચી શ્રદ્ધા, નિષ્ઠા સમજ પ્રાપ્ત થઈ જાય પછી વ્રત ધારણ કરવામાં આળસ ન કરવી જોઇએ. કેટલી પણ
વિશાળ સંપત્તિ હોય કે ગમે તેટલું વિશાળ કાર્ય ક્ષેત્ર કેમ ન હોય પણ શ્રાવકને વ્રત ધારણ કરવામાં તે કોઈ બાધક રૂપ નથી બનતાં. કારણ કે સંપત્તિ ધર્મમાં બાધક હોતી નથી પરંતુ તેની અમર્યાદા અને મોહ તેમજ મમત્વ બાધક બને છે. કેટલાયે લોકો વર્ષો સુધી ધર્મ સાંભળે છે અને ભક્તિ કરે છે. પરંતુ શ્રાવકના બાર વ્રતોને ધારણ કરવામાં આળસના કારણે તેઓ પરિસ્થિતિઓ અને જવાબદારીઓનાં બહાનાઓને આગળ કરે છે. તેમણે આ શ્રાવકોનાં જીવનમાંથી પ્રેરણા લેવી જોઇએ. સંતોએ પણ આવેલી પરિષદને શ્રાવકના વ્રતોનું સ્વરૂપ સરળતા પૂર્વક વિધિવત્ સમજાવવું જોઇએ અને તેમને વ્રતધારી બનવા ઉત્સાહિત પ્રોત્સાહિત કરવા જોઇએ. આજ-કાલ કેટલાયે ઉપદેશકો વગેરે આ વિષયનું વિશ્લેષણ કરતાં જ નથી અને કોઈક આ વિષયનું પ્રતિપાદન કરે તો પણ શ્રાવકના વ્રતોને પહાડ સમાન બતાવીને તેની કઠિનતાનો (અઘરાપણાનો) ભય શ્રાવકોમાં ભરી દે છે. જેથી કરીને શ્રાવક લોકો આ વ્રતોને ધારણ કરવાની વાતોને પહેલેથી ધકેલી દે છે, ઉપેક્ષા કરી દે છે. માટે એવું ન કરતાં આ બાબતમાં વિદ્વાન સાધુ ભગવંતો અને સંત સતિઓએ વિશેષ ધ્યાન આપવું જોઇએ.