________________
૪
jainology
આગમસાર ૫. ઉપદેશ શ્રવણ ક્ય પછી જિનવાણીની હૃદયપૂર્વક પ્રશંસા અનુમોદના કરવી જોઇએ. ૬. પોતાની શક્તિનું મૂલ્યાંકન કરીને અથવા વિકાસ કરીને વ્રત ધારણ કરવા જોઇએ. ૭. પરિવારના સહસભ્યોને પણ ધર્મકાર્યમાં, વ્રત પ્રત્યાખ્યાનમાં જોડાવા માટે ઉત્સાહિત કરવા જોઈએ. ૮. શ્રાવકપણામાં પણ તત્વજ્ઞાનની વૃદ્ધિ કરતા રહેવું આગમોનો સ્વાધ્યાય પણ કરવો.
શીધ્રપણે જ જવાબદારીઓમાં થી મુક્ત થઈને અથવા મુક્ત થવાની લગની રાખીને ઘર, વ્યાપારનો કારોબાર પુત્ર વગેરેને સોપી દેવો જોઇએ. એમ નહીં કે મરે ત્યાં સુધી ઘર, દુકાન, ધંધો અને મોહ છૂટે જ નહીં. આવી મનોવૃત્તિ થી આરાધના થવી સંભવ નથી. તેથી સમય આવ્યે ધંધાથી નિવૃત્ત થઈને સાધનાની અભિવૃદ્ધિ કરવાનું લક્ષ્ય રાખવું જોઇએ. તે શ્રાવકનો પહેલો
મનોરથ પણ છે. ૧૦. નિવૃત્ત જીવનમાં શક્તિ અનુસાર તપ અને ધ્યાનમાં તેમજ આત્મ ચિંતન-મનનમાં લીન થઈ સાધના કરવી જોઇએ. ૧૧. પારિવારિક લોકોના મોહની એટલી હદે પ્રગાઢતા કે લાચારી ન હોવી જોઇએ કે અનશન લેતી વખતે તે બાધક બને. ૧૨. ગુણોનો વિકાસ ચરમ સીમાએ પહોંચ્યા પછી પણ વિનયનો ગુણ ન છોડવો જોઇએ. આનંદ શ્રાવકનું જીવન ત્યાગ, તપ,
ધ્યાન, પડિમાયુક્ત હતું, આદર્શ શ્રાવક રત્ન હતાં; અવધિજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું, શરીર હાડપીંજર થઈ ગયું હતું. તેમાં
છતાં ગૌતમ સ્વામીને જોઈને તેમના પ્રત્યે શ્રદ્ધા અને વિનય–ભક્તિ યુક્ત વંદન નમસ્કાર કરી ચરણોમાં મસ્તક નમાવ્યું. ૧૩. સત્યનું સન્માન જીવનમાં હંમેશાં હોવું જોઈએ. વિનયવાન હોવા છતાં પણ સત્ય માટે દઢ મનોબળ હોવું જોઇએ. સત્યમાં
કોઈનાથી દબાવાની કે ડરવાની જરૂર હોતી નથી. ૧૪. પોતે કરેલી ભૂલની ખબર પડે તો ઘમંડ અથવા ખોટો દંભ ન કરવો જોઈએ. સરલતા અને ક્ષમાયાચના રૂપે નમ્રતા ધારણ
કરીને જીવન સુંદર અને સાધનામય બનાવવું જોઇએ. સાર:- જિન શાસનમાં ત્યાગનુ, વ્રત નિષ્ઠાનું, શુદ્ધ શ્રદ્ધા તેમજ, સરલતા, નમ્રતા, આદિ ગુણોનું, સત્ય નિષ્ઠતા, નિડરતા અને ક્ષમાપના આદિગુણોનું તેમજ તે ગુણો યુક્ત આત્મવિકાસ કરનારાઓનું મહત્વ છે. આ પ્રકારના ગુણ સંપન્ન સાધકો અંતિમ સમય સુધી ઉચ્ચ સાધનામાં લીન બનીને આત્મ કલ્યાણ કરી લે છે. તેઓ સાધનાની વચ્ચે ગુસ્સો,ઘમંડ, અપ્રેમ, વૈમનસ્ય, કલહ, દ્વેષ, નિંદા, પ્રમાદ, આળસ આદિ દુર્ગુણોના શિકાર બનતા નથી.
બીજું અધ્યયન – શ્રમણોપાસક કામદેવ ભગવાન મહાવીરના સમયમાં પૂર્વ બિહારમાં ચંપા નામની નગરી હતી. જિતશત્રુ રાજા રાજય કરતો હતો. તે જ નગરમાં કામદેવ નામના શેઠ રહેતા હતા. જે આનંદ શ્રાવકની જેમ જ શ્રેષ્ઠ ગુણ વાળા અને સૌમ્ય પ્રકૃતિવાળા હતા. જેથી તેઓ સમાજમાં અગ્રસ્થાને હતા. લોકો તેમનો યોગ્ય આદર કરતા હતા. તેમને ભદ્રા નામની પતિપરાયણ અને ગુણ સંપન્ન સ્ત્રી હતી. સમૃદ્ધિમાં કામદેવ શ્રેષ્ઠિ આનંદથી ચડિયાતા (વિશેષ) હતા. તેમનું સાંસારિક જીવન ખૂબ જ સુખી અને સમૃદ્ધ હતું.
ભગવાન મહાવીરનું ચંપાનગરીમાં પદાર્પણ થતાં પરિષદ તેમનો ઉપદેશ સાંભળવા ગઈ. કામદેવ પણ ગયા. ધર્મદેશના શ્રવણ કરતાં જ કામદેવ ગદ્ગદિત થઈ ગયા; બાર વ્રત ધારણ ક્ય. ઇચ્છાઓ સીમિત થઈ ગઈ. જીવન સંયમિત બન્યું, સંસારના પદાર્થો પ્રત્યેની આસક્તિ ઘટી ગઈ. વિરક્ત ભાવે કુટુંબનું પરિપાલન કરતાં ધર્મ આરાધના કરવા લાગ્યા. ચૌદ વર્ષ સુધી શ્રાવક વ્રતનું પાલન ક્ય બાદ તેમના જીવનમાં ફરી પરિવર્તન આવ્યું. ભારે સમારોહની સાથે પુત્રને કુટુંબનો ભાર સોંપી નિવૃત્ત જીવનમાં અધિકાધિક સાધના કરવા પૌષધશાળામાં રહેવા લાગ્યા
એક વખત કામદેવના વ્રત કસોટીના એરણે ચઢયા. તે પૌષધશાળામાં ધ્યાનસ્થ હતા. તેમની ધર્મ દ્દઢતાની પ્રશંસા ઇસભામાં શકેન્દ્ર કરી મિથ્યાત્વી દેવથી તે સહન ન થઈ, તે કામદેવ શ્રાવકને ધર્મથી વિચલિત કરવા પૌષધશાળામાં આવ્યો; વિકરાળ પિશાચનું રૂપ લીધું હાથમાં તલવાર લઈ કામદેવને ધમકાવતાં એમ કહ્યું – તમે આ ક્રિયા કલાપ તથા ધર્મોપાસના છોડી દો. નહિંતર આ તલવારથી તમારા ટુકડે ટુકડા કરી નાખીશ. જેથી આર્તધ્યાન કરતાં અકાળમાં જ તમે મૃત્યુ પામશો. બીજી અને ત્રીજી વખત પણ તે જ પ્રમાણે કહ્યું અને જોયું કે કામદેવ શ્રાવક તો પોતાની સાધનામાં મસ્ત બની ગયા છે. તેની ધમકીની કિંચિત્ પણ પરવા તેમને નથી. તે જોઈ દેવનો ગુસ્સો ખુબજ વધી ગયો. તત્કાળ તલવારથી તેના શરીરના ટુકડે ટુકડા કર્યા. ભયંકર વેદના હોવા છતાં કામદેવ શ્રમણોપાસક સમભાવથી સ્થિર રહ્યા.
દેવમાયાથી ફરીને શરીર જોડાઈ ગયું. બીજી વખત દેવે હાથીનું રૂપ કરી ડરાવ્યો, ધમકાવ્યો. ત્રણ વખત કહેવા છતાં પણ કામદેવ શ્રમણોપાસક નહિ માનવાથી સૂંઢથી ઉપાડી આકાશમાં ઉછાળ્યો અને દાંતોથી ઝીલી લીધો પછી પગ નીચે કચડ્યો. ઘોર વેદના સહન કરવા છતાં કામદેવ નિશ્ચલ રહ્યા. દેવમાયાથી પુનઃ તેમનું શરીર દુરસ્ત થઈ ગયું.
ફરીને ત્રીજી વખત વિષધર સર્પનું રૂપ ધારણ કર્યું. ડરાવ્યો, ધમકાવ્યો, ધર્મ છોડવા માટે કહ્યું તેમ છતાં કામદેવ સહેજ પણ ચલિત ન થયા. ત્યારે સર્પરૂપધારી દેવે તેના ગળામાં ત્રણ લપેટા દઈ છાતીમાં ડંખ માર્યો; ઘોરાતિઘોર વેદના આપી; હજી કામદેવ શ્રાવક અડોલ જ હતા. આખરે માનવ પાસે દાનવની હાર થઈ. ક્રૂરતા ઉપર શાંતિનો વિજય થયો. કામદેવ શ્રાવક પરીક્ષામાં ઉતીર્ણ થયા. દેવ ગુણાનુવાદ કરતો, ક્ષમા માંગતો, ભવિષ્યમાં હવે આવું નહીં કરું એવો સંકલ્પ કરી વારંવાર વિનય કરતો, દેવલોકમાં ચાલ્યો ગયો. ભગવાન મહાવીર સ્વામી વિચરણ કરતાં તે નગરમાં પધાર્યા. સવાર થતાં કામદેવે પૌષધ પાળી, યોગ્ય વસ્ત્ર પરિધાન કરી, જન સમૂહની સાથે ભગવાનના દર્શન કરવા ચાલ્યા. વંદન નમસ્કાર કરી બેઠા. ભગવાને ધર્મદેશના આપી. સ્વયં ભગવાને કામદેવ શ્રાવકને પૂછ્યું કે ' આજ રાત્રે દેવે આ પ્રમાણે ઉપસર્ગ આપ્યા હતા? " કામદેવે સ્વીકાર ક્ય.તે ઘટના બતાવી ભગવાને કામદેવને ધન્યવાદ આપ્યા તથા શ્રમણ-શ્રમણીઓને સંબોધિત કરતાં કહ્યું કે એક શ્રમણોપાસક ગૃહસ્થ પણ ધર્મની શ્રદ્ધા રાખી શકે છે; પરીક્ષાની ઘડીએ ધીર-ગંભીર બની સહન કરે છે. દાનવને પણ પરાજિત કરે છે; આ ઘટના દ્વારા દરેક સાધકે દઢ શ્રદ્ધાની અને