________________
26
આગમચાર-પૂર્વાર્ધ કેટલોક સમય વીત્યા બાદ કાલી આર્યાને શરીર પ્રત્યે આસક્તિ ઉત્પન્ન થઈ. વારંવાર અંગોપાંગ ધોતી અને જ્યાં સ્વાધ્યાય કાઉસગ્ગ આદિ કરતી ત્યાં પાણી છાંટવા લાગી. સાધ્વાચારથી વિપરીત પ્રવૃત્તિ જોઈ આર્યા પુષ્પચૂલાજીએ વારંવાર સમજાવવાનો પ્રયત્ન ર્યો, પણ ન માની. અંતે જુદા ઉપાશ્રયમાં રહેતી સ્વચ્છેદ થતા વિરાધક બની. અંતિમ સમયે પંદર દિવસનો સંથારો કરી, શિથિલાચારની આલોચના પ્રતિક્રમણ ર્યા વિના મૃત્યુ પામી કાલીદેવી પણે ઉત્પન્ન થઈ છે. ગૌતમ સ્વામીએ પુનઃ પ્રશ્ન ર્યો, 'હે પ્રભુ! હવે તે ક્યાં જન્મ લેશે?" "ગૌતમ! દેવીનો ભવ પૂર્ણ કરી મહાવિદેહમાં જન્મ લેશે. ત્યાં નિરતિચાર સંયમની આરાધના કરી સિદ્ધિ પ્રાપ્ત કરશે. પ્રેરણા - શિક્ષા :- મહાવ્રતોન વિધિવત પાલન કરવાવાળો જીવ. તે ભવમાં જો સમસ્ત કર્મોનો ક્ષય કરે તો નિર્વાણ પ્રાપ્ત કરે. કર્મ બાકી રહી જાય તો વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે. પણ મહાવ્રતને અંગીકાર કરવા છતાં જો વિધિવત્ પાલન ન કરે તો શિથિલાચારી બને છે, કુશીલ બને છે, સમ્યજ્ઞાન આદિનો વિરાધક બને છે. કાય કલેશ આદિ બાહ્ય તપશ્ચર્યા દ્વારા દેવગતિ પ્રાપ્ત કરે છે પણ વૈમાનિક જેવી ઉચ્ચગતિ નથી મેળવી શકતો. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી દેવ બને છે.
દશ વર્ગોના વિષયોનું વર્ણન દ્વિતીય શ્રત સ્કંધના દશ વર્ગ છે. પ્રથમ વર્ગમાં ચમરેન્દ્રની અગ્રમહિષીઓનું વર્ણન છે. બીજા વર્ગમાં વૈરોચનેન્દ્ર બલીન્દ્રનું, ત્રીજામાં અસુરેન્દ્રને છોડી દક્ષિણ દિશાના નવ ભવનવાસી ઈન્દ્રોની અગ્રમહિષીઓ અને ચોથામાં ઉત્તર દિશાના ઇન્દ્રોની અગ્રમહિષીઓનું વર્ણન છે. પાંચમામાં દક્ષિણ અને છઠ્ઠામાં ઉત્તર દિશાના વાણવ્યંતર દેવોની અગ્રમહિષીઓનું, સાતમામાં જયોતિષેન્દ્ર ચન્દ્રની, આઠમામાં સૂર્યેન્દ્રની તથા નવમા અને દશમાં વર્ગમાં વૈમાનિકના સૌધર્મેન્દ્ર તથા ઈશાનેન્દ્રની અગ્રમહિષીઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ બધી દેવીઓનું વર્ણન તેમના પૂર્વભવનું છે. જે મનુષ્ય પર્યાયમાં સ્ત્રીરૂપે હતી. સાધ્વી બન્યા પછી ચારિત્રની વિરાધના કરી. શરીરબકુશ બની. ગુરુણીની મનાઈ હોવા છતાં માની નહિ અને અંતે ગચ્છથી મુક્ત થઈ સ્વચ્છંદ પણે રહેવા લાગી. અંતિમ સમયે તેમણે દોષોની આલોચના – પ્રતિક્રમણ ન ક્ય. કાળધર્મ પામી.
ચમરેન્દ્રની અગ્રમહિષી બલીન્દ્રની અગ્રમહિષી દક્ષિણના નાગકુમાર આદિ ૯ની અગ્રમહિષી ૬૪૯ | ૫૪ ઉત્તરના નાગકુમાર આદિ ૯ની અગ્રમહિષી ૬૪૯ ૫૪ દક્ષિણ વ્યંતરના આઠ ઇન્દ્રોની અગ્રમહિષી ૪૪૮ | ૩૨ ઉત્તર વ્યંતરના આઠ ઇન્દ્રોની અગ્રમહિષી ૪૪૮ | ૩૨ ચન્દ્રની અગ્રમહિષી સૂર્યેન્દ્રની અગ્રમહિષી સૌધર્મેન્દ્રની અગ્રમહિષી
ઈશાનેન્દ્રની અગ્રમહિષી આ પ્રમાણે દશ વર્ગના ૨૦૬ અધ્યયનમાં ૨૦૬ દેવીઓનું વર્ણન કરવામાં આવ્યું છે.એક ભવ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે સાર – જિનવાણી પ્રત્યે, જિનાજ્ઞા પ્રત્યે શ્રદ્ધા, આસ્થા શુદ્ધ છે. તપ-સંયમની રુચિ છે તો બકુશવૃત્તિ ભવપરંપરા નથી વધારતી પણ અંતે સાચા હૃદયથી આલોચના–પ્રતિક્રમણ ન કરવાથી જીવ વિરાધક બને છે.
ઉપાસક દશા પ્રસ્તાવના: જૈન ધર્મમાં ત્યાગ અને સાધનાનું મહત્વપૂર્ણ સ્થાન છે. તીર્થકર પ્રભુ કેવલ જ્ઞાનની પ્રાપ્તિ બાદ ધર્મ તીર્થની સ્થાપના કરે છે. જેમાં ચાર અંગ હોય છે. સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એમની સાધનાને બે ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. શ્રમણ ધર્મ અને શ્રમણોપાસક ધર્મ. શ્રમણ સર્વત્યાગી સંયમી હોય છે. જ્યાં આત્મ સાધના જ સર્વસ્વ છે. આ શ્રમણ "સલ્વે સાવજર્જ જોગં પચ્ચક્ખામિ" આ સંકલ્પ સાથે જ નવા જીવનમાં પ્રવેશ કરે છે. ત્યાં તેઓ કરવું કરાવવું અને અનુમોદન કરવું આ ત્રણ કરણ અને ત્રણ યોગથી જીવન પર્યન્ત બધાં જ પાપોનો ત્યાગ કરે છે. તેમની એ સાધના સર્વવિરતિ સાધના છે.
મહાવ્રતોની સમગ્ર પરિપૂર્ણ આરાધના રૂપ ઉપર્યુક્ત સાધનાની અપેક્ષાએ હળવો, સુકર, સરળ બીજો માર્ગ પણ છે. જેમાં સાધક પોતાની શક્તિ અનુસાર સીમામાં (મર્યાદામાં) વ્રત સ્વીકાર કરે છે. એવા સાધકોને શ્રમણોપાસક (શ્રાવક) કહેવામાં આવે છે. તેમની આ સાધનાને દેશ વિરતિ સાધના કહેવામાં આવે છે.
ઉપાશક દશાંગ સૂત્ર અંગ સૂત્રોમાં સાતમું અંગ સૂત્ર છે. એમાં દેશ વિરતિ સાધના રૂપે શ્રમણોપાસક જીવનની ચર્ચાઓ છે. ભગવાન મહાવીરના સમયના દશ શ્રાવક આનંદ, કામદેવ, ચૂલણીપિયા, સુરાદેવ, ચુલશતક, કુંડકૌલિક, સકડાલપુત્ર, મહાશતક, નિંદિની પિયા અને શાલિહિપિયા નુ વર્ણન છે.
આમ, ભગવાન મહાવીરના દોઢ લાખથી વધુ સંખ્યામાં શ્રાવકો હતાં. તેમનાંમાં મુખ્ય પ્રમુખ શ્રાવકો સંખ- પુષ્કલીજી વગેરે હતાં. તદપિ અહીંયા આ ૧૦ શ્રાવકોનું જીવન કંઈક વિશેષ ઘટનાઓ અને ઉપસર્ગોને કારણે તેમજ પ્રેરક હોવાથી અંકિત કરવામાં આવ્યું છે. સૂત્રમાં વર્ણિત દશે શ્રાવકોએ વીસ વર્ષ સુધી શ્રાવક વ્રતોનું પાલન ક્યું. જેમાં છેલ્લા છ વર્ષોમાં બધાયે નિવૃત્તિમય જીવન