SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ 160 આગમસાર–પૂર્વાર્ધ ૭. રોગના કારણે દીક્ષા લેવી. ૯. દેવ દ્વારા પ્રતિબોધ દેવા પર દીક્ષા લેવી. ૮. અપમાનિત થવા પર દીક્ષા લેવી. ૧૦. પુત્ર-સ્નેહના કારણે તેની સાથે દીક્ષા લેવી. આમાંથી કોઈપણ નિમિત્તે દીક્ષા લેનાર આત્મ કલ્યાણ કરી શકે છે. શ્રાવકની ભાષા:૧. પહેલા બોલે શ્રાવકે થોડું બોલવું. ૬. છઠ્ઠા બોલે શ્રાવકે મર્મકારી ભાષા નહીં બોલવી. ૨. બીજા બોલે શ્રાવકે કામ પડ્યેથી બોલવું. ૭. સાતમા બોલે શ્રાવકે સૂત્ર સિદ્ધાંતના ન્યાયથી બોલવું. ૩. ત્રીજા બોલે શ્રાવકે મીઠા બોલવું. ૮. આઠમા બોલે શ્રાવકે સર્વ જીવોને સાતાકારી ૪. ચોથા બોલે શ્રાવકે ચતુરાઇથી કે અવસર જાણી બોલવું. ભાષા બોલવી. ૫. પાંચમા બોલે શ્રાવકે અહંકાર રહિત બોલવું. આયુષ્ય બંધના કારણો - (૧) નરકનું આયુષ્ય ૪ પ્રકારે બાંધે– ૧. મહા આરંભ કરે (પાપના મોટા ધંધા કરે) ૨. મહા પરિગ્રહ રાખે (ઈચ્છા સીમિત ન કરે) ૩. મધ-માંસનો આહાર કરે. ૪. પંચેન્દ્રિયની વાત કરે. (ર) મનુષ્યનું આયુષ્ય ૪ પ્રકારે બાંધ:૧. ભદ્ર પ્રકૃતિ વાળા હોય. ૨. વિનય પ્રકૃતિવાળા હોય. ૩. દયાવાળા હોય. ૪. ધમંડ-ઈર્ષ્યા રહિત હોય. (૩) તિર્યંચનું આયુષ્ય ૪ પ્રકારે બાંધે – ૧. કપટ કરે ૨. માયા કપટ કરે, છલ-પ્રપંચ કરે ૩. જૂઠ બોલે ૪. ખોટા તોલ, ખોટા માપ કરે. (૪) દેવતાનું આયુષ્ય ૪ પ્રકારે બાંધે:૧. સંયમ પાળે ૨. શ્રાવકના વ્રત પાળે ૩. અજ્ઞાન દશાથી તપ કરે ૪. અનિચ્છાથી કષ્ટ સહન રહે. (૫) મોક્ષ પ્રાપ્તિ ૪ પ્રકારે :- ૧. સભ્ય જ્ઞાન ૨. સમ્યગ્દર્શન ૩. સમ્યફ ચારિત્ર ૪. સમ્યફ તપ, આ ચારેયની ઉત્તમ આરાધના કરી કેવળ જ્ઞાન અને કેવળ દર્શનનું ઉપાર્જન કરવાથી અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. અંધા:- ૧. ક્રોધથી અંધ. ૬. દ્વેષથી અંધ. ૨. માનથી અંધ. ૭. જન્મથી અંધ. ૩. માયાથી અંધ. ૮. વિષયના અંધ. ૪. લોભથી અંધ. ૯. દિનના અંધ(ઘુવડ) ૫. રાગથી અંધ. ૧૦. રાતના અંધ(રતાંધળા). છ પ્રકારે અજીર્ણ : ૧. જ્ઞાનનું અજીર્ણ – ઘમંડ, કુતર્ક ૨. દાનનું અજીર્ણ – યશોકામનાની મતિ ૩. તપનું અજીર્ણ – ૪. ક્રિયાનું અજીર્ણ – અન્યથી ધૃણા, ઈર્ષ્યા ૫. ધનનું અજીર્ણ લાલસા, કંજૂસાઈ, પર–તિરસ્કાર ૬. બલનું અજીર્ણ લડાઇ, આત્મોત્કર્ષ–સ્વપ્રશંસા છ સુફલ:૧. જ્ઞાનનું સુકલ નમ્રતા, નિરહંકાર ૨. દાનનું સુફલ લઘુતા, અનુકમ્પા ૩. તપનું સુફલ કર્મનિર્જરા, શાંતિ, નિર્મોહ, અલ્પેચ્છા ૪. ક્રિયાનું સુફલ આત્માનંદ, પ્રેમ, સમભાવ વૃદ્ધિ ૫. ધનનું સુફલ સંતોષ, દાન, સવ્યવહાર ૬. બલનું સુફલા સેવા-ભાવ, ગંભીરતા, ગમ ખાવી. ક્રોધ યશો ભાવના શું છે?: માનવ કંઈ કરીને યશ-પ્રશંસા ઈચ્છે તે અવગુણ છે. માનવ કંઈ કરીને બીજાથી પોતાને ચઢિયાતો દેખાડવા ઇચ્છે તે અજ્ઞાનદશા છે. માનવ કંઈ કરીને પોતાને ઊંચા અને બીજાઓને નિમ્ન દેખાડવા ઇચ્છે તો તે મૂર્ખતા છે. જ્ઞાની કહે છે કે– યશ, પૂજા, સત્કાર, સન્માનને કીચડ સમાન સમજો. આ બધા અહંભાવના પોષક છે. તે આત્માને માટે સૂક્ષ્મ શલ્ય છે, કાંટા છે. માટે યશ અને નામનાની ચાહના કરવી, તે આત્માની અવનતિ કરવાની એક પ્રક્રિયા છે. સુખી અને ઉન્નત જીવનના ત્રણ ગુણ :- (૧) કમ ખાઓ (૨) ગમ ખાઓ (૩) નમ જાઓ.
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy