SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ છે ત્યારે એમ થાય છે કે આ અંગે મનમાં પ્રવેશી ગયેલા જાતજાતના કચરાને એક વાર તો બહાર કાઢી જ નાખું, કારણ કે જ્યાં સુધી એ કચરો બહાર નહીં નીકળે, ત્યાં સુધી મન સતત અંદર ને અંદર ધૂંધવાયા જ કરશે. આપની અનુમતિની અપેક્ષા રાખું છું. દર્શન, ખુશીથી તારા મનની શંકાઓ રજૂ કરતો જા . મારી સમજ મુજબ એનાં સમાધાનો તને આપતો જઈશ પણ એક વાત તો ખાસ તારા ધ્યાન પર લાવવા માગું છું કે જીવનમાં સ્વસ્થતા ટકાવી રાખવા અને કુટુંબને પ્રેમના તાંતણે બાંધી રાખવા ન સમજાઈ હોય તેવી વાતોને પણ સમજાઈ ગઈ છે એમ માનીને આગળ ચાલવું જ પડે છે. જરૂર નથી કે મમ્મી-પપ્પાની દરેક આજ્ઞા પાછળનું રહસ્ય આપણને સમજાવું જ જોઈએ, જરૂરી નથી કે એમના દરેક પ્રકારના વર્તન પાછળનું ગણિત આપણા ખ્યાલમાં આવવું જ જોઈએ. ના, શરીરનાં સંખ્યાબંધ રહસ્યોને સમજ્યા વિના જો શરીરને ચાલવામાં કોઈ જ જાતનો વાંધો નથી આવતો તો વ્યવહારનાં અનેક રહસ્યોને સમજ્યા વિના જીવને ચાલવામાં કોઈ જ જાતનો વાંધો નથી આવતો. એમાં શંકા કરીશ નહીં. હિંમત કેળવવી જ પડે છે અને નદીને જો સાગર બનવું છે તો એણે વહેતા રહીને પોતાની જાતને વિલીન કરી દેવાની હિંમત કેળવવી જ પડે છે. બસ, આ જ ન્યાય જીવન માટે સમજી લેવાનો છે. જો તારે અશાંતિમાંથી શાંતિમાં જવું છે તો તર્કનિષ્ઠ જીવનશૈલીને તિલાંજલિ આપી દેવાનું સત્ત્વ તારે દાખવવું જ પડવાનું છે અને શાંતિમાંથી પ્રસન્નતામાં જવાની જો તારી ગણતરી છે તો પ્રેમસભર જીવનશૈલી અપનાવી લેવાનું પરાક્રમ તારે દાખવવું જ પડવાનું છે. મેં ઘણા એવા યુવાનો જોયા છે કે જેમણે પોતાની તર્કપ્રધાન જીવનશૈલીથી, શંકા-કુશંકાપ્રધાન વ્યવહારથી કુટુંબીઓ સાથેના મીઠા સંબંધોને કડવા ઝેર જેવા બનાવી દીધા છે. હું તને પૂછું છું—તારી પત્ની પાસે તું ‘દાળમાં મીઠું તો નાખ્યું છે ને?' એ શંકા વ્યક્ત કરે ત્યાં સુધી તો તારા પત્ની સાથેના લાગણીભર્યા સંબંધો ટકી રહેવામાં વાંધો ન આવે પણ તું ‘દાળમાં ઝેર તો નથી નાખ્યું ને ?” આ શંકા વ્યક્ત કરે પછીય આત્મીયતાભર્યા સંબંધો ટકી જ રહે એવું છાતી ઠોકીને કહી શકે તેમ છે ખરો ? બસ, આ જ વાત છે મારી. ઘરની શાંતિ સ્થિરતા સાથે બંધાયેલી છે અને વધુ પડતા ખુલાસા-પ્રતિખુલાસા, ઘરની સ્થિરતાને ડહોળે જ છે અને જ્યાં સ્થિરતા ડહોળાય છે ત્યાંથી શાંતિ રવાના થઈ જાય છે. એટલું જ કહીશ તને કે આંખથી હૃદય સુધી જતો રસ્તો એ છે કે જે બુદ્ધિમાંથી પસાર થતો નથી અને જે રસ્તો બુદ્ધિમાંથી પસાર થઈને જ રહે છે એ રસ્તો બહુધા હૃદય સુધી પહોંચતો નથી. હું શું કહેવા માગું છું એ તું સમજી ગયો હોઈશ. હું મહારાજસાહેબ, આપે તો જાણે કે મારા જ મનની વાત કરી દીધી. હું આપને એ જ પૂછવા માગતો હતો કે વડીલોની આજ્ઞા પાછળનો હેતુ સમજ્યા વિના, માત્ર એ વડીલ જ છે, ઉપકારી જ છે, આત્મીયજન જ છે, એટલા માત્રથી એમની આજ્ઞા પાળ્ય જવામાં જીવન “મોળું રહી જાય એવી શક્યતા નથી ? જીવન ‘બોદું’ રહી જાય એવી શક્યતા નથી? ભલે આપે પૂર્વપત્રમાં લખ્યું છે કે ન સમજાઈ હોય તેવી વાતોને પણ સમજાઈ ગઈ છે એમ માનીને આગળ ચાલવું જ પડે છે, પણ, આ અભિગમના સ્વીકાર સાથે વ્યવહારમાં જીવવું અને વ્યવહારમાં રહેવું શક્ય છે ખરું ? | દર્શન, સરોવરને જો નદીમાં રૂપાંતરિત થવું છે તો એણે દીવાલ તોડવાની મહારાજસાહેબ, આપની વાત સમજી ગયો. જીવનમાં તર્કને એવું પ્રાધાન્ય ન આપવું કે જેને કારણે લાગણીના સંબંધોમાં કડાકો બોલી જાય, કૌટુંબિક ભાવના વેરવિખેર થઈ જાય, સફળતા મળી જાય પણ પ્રસન્નતા નંદવાઈ જાય, પદાર્થના નુકસાનથી બચી
SR No.008910
Book TitleLakhi Rakho Aarasni Takhti Par
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages47
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size254 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy