________________
છે ધમરાધનાના ઉલ્લાસમાં કડાકો નહીં જ. નક્કી ?
જમીનમાં વાવેલા બધા જ દાણા ઊગવાના નથી એનો ખેડૂતને ખ્યાલ હોવા છતાં ય જમીનમાં એ દાણાંઓ વાવતો જ રહે છે. ખાધેલો બધો જ ખોરાક પચી જવાનો નથી એનો બરાબર ખ્યાલ હોવા છતાં માણસ પેટમાં ખોરાકપધરાવતો જ રહે છે. જવાબ આપો. ધર્મારાધના કરતી વખતે આપણો આ અભિગમ ખરો? કરેલી બધી જ ધર્મારાધનાઓ વિધિ-બહુમાનાદિની કચાશના કારણે કદાચ ફળવતી ન પણ બનતી હોય તો ય ધર્મારાધના કરતા રહેવાના આપણા ઉલ્લાસમાં કોઈ જ કડાકો બોલાતો નથી એ કહી શકવાની સ્થિતિમાં આપણું
અંતઃકરણ ખરું?