________________
ધર્મમાં રસ છે જ, નક્કી ?
સંસારની એક એક ક્રિયા - ચાહે એ ક્રિયા ભોજનની હોય કે ફોન કરવાની હોય, કોકને મળવા જવાની હોય કે ટી.વી.
જોવાની હોય, બજારમાં જવાની હોય કે બગીચામાં જવાની હોય-અત્યંત રસપૂર્વક જ થાય છે એમ ને? એક કામ કરો. ધર્મની જે પણ ક્રિયા કરતા હો - ચાહે એ ક્રિયા પ્રભુદર્શનની હોય કે નવકાર ગણવાની હોય, ગુરુવંદનની હોય કે સામાયિકની હોય - અત્યંત રસપૂર્વક જ કરવી છે એટલું નક્કી કરી દો.
પાપક્રિયા જો રસ સાથે જ થાય છે તો ધર્મક્રિયા પણ રસ સાથે જ કરવી છે. બોલો નક્કી?