________________
પાપમાં રસ નથી, નક્કી ?
હંમેશાં પ્રવચનોમાં સાંભળતા આવ્યા છો કે “ધર્મ રસપૂર્વક જ કરવો જોઈએ અને છતાં ધર્મ રસ વિના જ થતો હોય એવું લાગે છે એમ ને? એક કામ કરવું છે? ધર્મને રસપૂર્વક કરવાની વાત આપણે પછી કરશું. પહેલાં તમે આટલું નક્કી કરી દો કે જીવનમાં પાપો જેટલાં પણ ચાલુ છે એ બધાંય ધર્મની જેમનિરસતા સાથે જ કરવાં છે. જો ધર્મમાં રસ નથી આવતો તો પાપમાં રસ નથી રાખવો!
બોલો, નક્કી?