________________
મનની પ્રસન્નતાના દુશ્મન : આસક્તિભાવ-માલિકીભાવ
મને ગમી ગયેલ સ્ત્રી મારા સિવાય બીજા કોઈને ય ગમવી ન જોઈએ અને મને મળી ગયેલ ગાડી મારા સિવાય બીજા કોઈને ય મળવી ન જોઈએ? બસ, આખી જિંદગી આ આસક્તિભાવ અને માલિકીભાવના ગુલામ બનીને જ જીવવાનું અને જીવનભર અત્યંત ત્રસ્ત અને વ્યથિત જ રહેવાનું
જવાબ આપો. મનના આ ત્રાસથી સાચે જ છુટકારો મેળવી લેવાની અંતરની ઇચ્છા છે? આ આસક્તિભાવ અને માલિકીભાવ મનની પ્રસન્નતાના જાલિમ દુશ્મન છે એ વાત અનુભવથી સમજાઈ ગઈ છે? તો એક કામ કરો. આસક્તિના સ્થાને ભક્તિને ગોઠવી દો.
માલિકીભાવનું સ્થાન સંતોષભાવને આપી