________________
પરિવારને પાપમાર્ગે વાળી દેવા તૈયાર ?
જેઓના જીવનમાં ધર્મ જેવી કોઈ ચીજ નથી અને પાપો પાર વિનાનાં છે એવા માણસોનાં સુખો [3] ને જોઈને મન વારંવાર એક વિચારનું ભોગ બની જાય છે ને કે ‘પાપીઓ આ જગતમાં જલસા કરે છે અને ધર્મીઓ બધારિબાય છે.' એક પ્રશ્નનો જવાબ આપશો?
સાચે જ જો તમને એમ લાગી રહ્યું છે કે પાપીઓ જ સુખી છે અને ધર્મીઓ દુઃખી જ છે. તો તમારા સમસ્ત પરિવારને એક વાર બેસાડીને તમે એમ કહી દેવા તૈયાર છો ખરા કે “આપણે બધાએ હવે ધર્મ છોડીને પાપને માર્ગે જ વળી જવાનું છે! કારણ કે દુઃખી આપણે થવું નથી
અને ધર્મના માર્ગે દુઃખ સિવાય કાંઈ છે નહીં. સુખી આપણે થવું છે અને પાપના માર્ગે સુખ જ સુખ છે!” આ માટે તમે તૈયાર?