________________
અકળામણ શેની ?
અગ્નિની ઉપસ્થિતિની જાણ કરતાં ધુમાડાથી અકળાઈ જવું, એમાં કોઈ નવાઈ નથી. સાચું પરાક્રમ તો એ છે કે અગ્નિને ઉત્પન્ન કરનાર દીવાસળીથી જ દૂર થઈ જવું ! દીવાસળીથી જ દૂર થઈ જનાર પાસે ધુમાડો નજીક આવવાનું નામ જ ક્યાં લે છે? જવાબ આપો.
આપણી અકળામણ શેમાં ? પાપસેવનની જાહેરાત કરતા દુઃખમાં કે પછી પાપસેવન માટે લલચાવતાં અને મનને ઉશ્કેરતાં પાપનિમોમાં ?
યાદ રાખશે.
દીવાસળી સાથેની દોસ્તી પછી ધુમાડાથી
નથી જ બચી શકાતું. પાિિનમ સાથેની દોસ્તી પછી પાપથી અને દુઃખથી નથી જ બચી શકાવાનું !