________________
નબળા-નકામા-નિરર્થક વિચારો મનમાં નહીં !
ઘર આટલું બધું સરસ એટલા માટે લાગી રહ્યું છે કે આ ઘરમાં નબળી-નકામી કે નિરર્થક વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવતો જ નથી.
શરીરની તંદુરસ્તી એ હિસાબે જળવાઈ રહી છે કે પેટમાં સડેલા કે નકામા એક પણ દ્રવ્યને ક્યારેય પધરાવવામાં આવતા જ નથી.
જવાબ આપો.
મનને આ જ અભિગમના સહારે સ્વચ્છ-સ્વસ્થ અને પવિત્ર રાખવામાં આજે આપણે સફળ બની જ રહ્યા છીએ એમ છાતી ઠોકીને આપણે કહી શકીએ તેમ છીએ ખરા?
નકામા વિચારો, નિરર્થક વિચારો, નુકસાનકારી વિચારો, નકારાત્મક વિચારો અને નિરાશાજનક વિચારો, આપણા મનને આપણે એવા વિચારોથી મુક્ત જ રાખીએ છીએ અને એમ કરવા દ્વારા મનને સદાબહાર પ્રસન્ન જ રાખીએ છીએ એમ કહેવામાં આપણને કોઈ જ રોકી શકે તેમ નથી એ નક્કીખરું?
૩૭