________________
પ્રભુ ! મને એ દુર્જનતાથી તું દૂર જ રાખજે
માથા પછાડવાનું મન થાય, રાતોની રાતો તરફડતા રહીને પસાર કરવી પડે, મરવાની સતત ઇચ્છા થયા કરે અને છતાં મોત આવે જ નહીં, આંખમાંથી વહેતાં આંસુ અટકવાનું નામ લે જ નહીં” આવી વેદના કૅન્સરના દર્દીને હોય છે.
સાચું બોલો. આવું સાંભળતા એમ થાય જ ને કે આવા દર્દનો શિકાર હે ભગવાન ! હું ક્યારેય ન જ બને એવી કરુણા તું વરસાવજે ! હવે જવાબ આપો. પ્રભુ પાસે જવાનું મન ન થાય, પૈસા ખાતર સગા બાપ સાથે ય દુશ્મનાવટ કરવાનું મન થાય, સગી બહેનને ય વિકારી નજરે જોવાની દુર્બુદ્ધિ જાગે, ભક્ષ્યાભઢ્યનો કે પેયાપેયનો કોઈ વિવેક જ ન રહે” આવાં લક્ષણો દુર્જનના હોય છે. આવું જ્યારે પણ સાંભળવા મળે ત્યારે પ્રભુને પ્રાર્થના કરવાનું મન થાય જ ને કે હે પ્રભુ! આવી દુર્જનતાથી તું મને બચાવતો જ રહેજે. માત્ર આ જનમ માટે જ નહીં, જનમજનમ માટે!”
૩ ૬