________________
૧૧૭
સ્વભાવ બદલ્યા વિના પ્રભાવ વધારતા રહેવાની ઇચ્છા, માત્ર જાતને માટે જ નહીં, જગતને માટે પણ નુકસાનકારક જ બની રહેવાની છે એ સતત આંખ સામે રાખજો,
૧૧૮
ધન ન મળવાના દુઃખ કરતાં ય વિપુલ ધન મળી ગયા પછી ય ‘સુખ’ ન મળ્યાનું દુઃખ કેવું હોય છે એ જાણવું હોય તો કોક અબજોપતિના મનની મુલાકાત લઈ જોજો.
- નિયમ
વર્તમાનપત્રોમાં આવતી ‘જાતીય સમસ્યાઓ'
ની કૉલમ હું ક્યારેય વાંચીશ નહીં.
200
૩૦
૧૧૯
ન્યાય એ ગણિતની વાત છે. ત્યાં હૃદયને કોઈ સ્થાન નથી. સમાધાન એ હૃદયની વાત છે. ત્યાં ગણિતને કોઈ સ્થાન નથી.
૧૨૦
ફળ-ફૂલ ખરી ગયા પછી ય વૃક્ષને જમીન
પર ટકી જવામાં જો વાંધો નથી આવતો તો સુખ-સગવડ ચાલ્યા ગયા પછી ય આપણને જીવનમાં ટકી રહેવામાં વાંધો શા માટે આવવો જોઈએ ?
નિયમ
પિક્ચર હું કદાચ જોઈ આવ્યો હોઈશ તો ય એની પ્રશંસા બીજા કોઈ પાસે તો હું નહીં જ કરું.