________________
૧૨૧ કોઈનું ય આપણે બગાડીએ નહીં એ તો બરાબર જ છે પરંતુ કોઈની ય સાથે આપણે બગાડીએ નહીં એ પણ
એટલું જ જરૂરી છે.
૧૨૩ જે પાપની આપણે માફી ચાહીએ છીએ
એ જ પાપની આપણે બીજાને માફી આપી દેવા તૈયાર ખરા?
૧૨૨ કઈ ચીજ સાથે જીવવું એની અક્કલ તમને
કદાચ વિજ્ઞાન પાસેથી મળી જશે પણ કઈ ચીજ માટે જીવવું એની સમજ મેળવવા
તો તમારે ધર્મ પાસે જ આવવું પડશે.
૧૨૪ પાપની કબૂલાત આબરૂ માટે કદાચ કલંકપ્રદ બનતી હશે
પરંતુ આત્મા માટે તો એ કલ્યાણકારક જ પુરવાર થાય છે.
COS
* નિયમો
નિયમ ક્રોધ જેના પર પણ થઈ જશે એને હું પાંચ રૂપિયાનું ઇનામ આપીશ.
અઠવાડિયામાં કમ સે કમ એક દિવસ તો અમારા ઘરનો સમસ્ત પરિવાર ભોજન કરવા સાથે બેસશે જ.