________________
©©
૧૧૩ પ્રભુ પર તો આપણને પ્રેમ છે પણ પ્રભુને જેમના પર પ્રેમ છે એ આ જગતના સર્વ જીવો
પર આપણને પ્રેમ ખરો ?
| ૧૧૫ પૈસા ખાતર આપણે જો ક્રોધને કાબૂમાં રાખી શકીએ જ છીએ તો પરમાત્માની આજ્ઞા ખાતર
આપણે ક્રોધને કાબૂમાં ન રાખીએ?
૧૧૪ છીએ આંધળા અને મેઘધનુષ્યના વર્ણન સામે
ઊતર્યા છીએ દલીલબાજીમાં! બુદ્ધિના નામે કાંઈ છે નહીં આપણી પાસે અને પરમાત્માનાં વચનોનું પોસ્ટમૉર્ટમ’ કરવામાં લાગી ગયા છીએ આપણે !
૧૧૬ ક્રોધ ન કરીએ એ તો બરાબર જ છે પણ પ્રેમ વધારીએ નહીં ત્યાં સુધી જીવન સફળ નથી. મહેમાનની થાળીમાં કચરો ન પીરસીએ એ તો
બરાબર જ છે પણ મીઠાઈ પીરસવી તો પડે જ ને?
નિયમ મનમાં આવી જતા કોઈ પણ અશુભ વિચારને અમલમાં મૂકી દેતા પહેલાં ઓછામાં ઓછું એક
કલાકનું અંતર તો હું પાડી જ દઈશ.
નિયમ લગ્નાદિ પ્રસંગોમાં ‘મર્યાદા’ અને ‘સંસ્કારો'ની રક્ષા થઈને જ રહે એ બાબતમાં હું પૂરેપૂરો .
આગ્રહી રહીશ.