________________
૧૧
જીવનને લંબાવવાની વાત વિજ્ઞાન કરે છે
જ્યારે
વાતે વાતે જેને ‘ઓછું’ આવી જતું હોય અને નાના નાના પ્રસંગોમાં જેને “ખોટું લાગી જતું હોય એને જીવનમાં ‘મિત્ર'નું સ્થાન આપતા પહેલાં લાખ વાર વિચાર કરજો.
જીવનને સમજવાની વાત ધર્મ કરે છે. એ બંને વચ્ચે મેળ શું પડવાનો?
10 સ્કૂલમાં ભણવા દાખલ થયા ત્યારે બુદ્ધિ મંદ હતી. કૉલેજમાંથી ડિગ્રી મેળવીને
જ્યારે બહાર નીકળ્યા ત્યારે બુદ્ધિ વક્ર બની ગઈ ! આ પ્રગતિને ‘વિકાસ’નું નામ આપવું કે “વિનાશ’નું?
| ૧૨ પોતાની પાસે જે છે એનાથી માણસ સુખી’ નથી અને એ જ વસ્તુ પોતાની
પાસેથી છિનવાઈ જાય છે તો માણસ ‘દુઃખી’ થઈ જાય છે.
કરુણતા જ છે ને?
નિયમ લગ્નના વરઘોડામાં અશ્લીલતાનું પ્રદર્શન કરતાં નૃત્યોમાં
સામેલ થવાથી મારી જાતને હું દૂર જ રાખીશ.
નિચમાં અટકી ગયેલ ઉઘરાણીને પતાવવા હું ગુંડાઓને
‘સોપારી' વગેરે તો નહીં જ ખવડાવું.