________________
પૈસા, જીવનમાં મિત્રો કેટલા બનાવે છે
એ પ્રશ્ન છે પરંતુ શત્રુ તો પાર વિનાના ઊભા કરી દે છે એમાં કોઈ જ શંકા નથી.
સાચું બોલો. આપણી વ્યથા શી છે ? મનમાં ધર્મ આવતો નથી એ કે ધર્મમાં મન લાગતું નથી એ?
નિંદા સામાના જીવનને નહીં પણ બગાડે પરંતુ આપણા તો મરણને બગાડી નાખશે.
આ વાસ્તવિકતાનો ખ્યાલ રાખી નિંદાથી જાતને દૂર જ રાખજો.
વિકાસ આપે પણ વિશ્રામ ન આપે એવા વિજ્ઞાનના અંધભક્ત બની જતા
પહેલાં લાખ વાર વિચારજો.
નિયમાં નબળું કોઈના ય જીવનમાં દેખાઈ પણ જશે
તો ય એનો પ્રચાર હું તો નહીં જ કરું.
નિયમાં મહિનાના પગારની સાથે મારા તમામ માણસોને એમનાં બાળકો માટે ઓછામાં ઓછી ૫૦૦ ગ્રામ
મીઠાઈ તો હું આપીશ જ.