SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તો એને જેમ હાર જ સ્વીકારી લેવી પડતી હોય છે તેમ યુદ્ધના મેદાનમાં દુશ્મન સૈનિકોનાં ડોકાં ઉડાડી દેવામાં પુરુષને કદાચ સફળતા મળતી હશે પણ સ્ત્રીના હાવભાવ સામે, કટાક્ષ સામે અને પ્રેમાલાપ સામે અચ્છા અચ્છા મર્દોની મૂછ નીચી થઈને જ રહી છે. સ્ત્રી શરીર જો આગ છે તો પુરુષનું મન તો એની સામે માત્ર મીણનું પૂતળું છે. શું કહું તમને ? સ્ત્રીની ઉપસ્થિતિ જ પુરુષને બાયલો બનાવવા કાફી છે એમ નહીં, સ્ત્રીની સ્મૃતિમાત્ર પુરુષને સત્ત્વહીન બનાવવા કાફી છે.” ‘માનવતી ?” ‘તમારે ત્રાડ પાડવાની કોઈ જ જરૂર નથી. સખીઓ વચ્ચે બોલાયેલા મારા શબ્દોને પકડી લઈને તમે મને આજે લલકારી છે ને? પણ યાદ રાખજો કે..' છે. અધ્યાત્મ જગતમાં જો દેવ-ગુરુ અને ધર્મ એ તત્ત્વત્રયીની મુખ્યતા છે. આરાધનાક્ષેત્રે જો જ્ઞાન-દર્શન અને ચારિત્ર એ રત્નત્રયીની પ્રધાનતા છે તો દોષક્ષેત્રે કામ-ક્રોધ અને લોભ આ ત્રણ પરિબળો રાજાના સ્થાને છે. મનમાં ઇચ્છા પેદા થાય એ કામ. એ નિષ્ફળ બને એટલે ક્રોધ અને એ જો સફળ બને તો લોભ, ઇચ્છાની નિષ્ફળતા ક્રોધને તો જન્મ આપે છે. જાગૃતિ ન હોય તો એ ક્રોધ મનમાં સંગ્રહિત થઈને વેરમાં રૂપાંતરિત થતો રહે અને મનમાં જન્મી જતો વૈરભાવ તક મળતાં જ હાથને હિંસા માટે તૈયાર કરીને જ રહે. અને હા, એક ઇચ્છા સફળ બની જાય એટલે જીવ ન તો તૃપ્ત બને કે ન તો શાંત બને, એ નવી નવી ઇરછાઓને મનમાં જન્મ આપતો જ રહે અને પ્રત્યેક ઇચ્છાને સફળ બનાવવા એ જીવનભર દોડતો જ રહે. ટૂંકમાં, સફળ ઇચ્છા લોભની માતા બની રહે અને નિષ્ફળ ઇચ્છા ક્રોધની. એ બંને દોષથી બચવાનો એક જ વિકલ્પ. મનને ઇચ્છાનું ગર્ભગૃહ બનવા જ ન દેવું. માનવતીના મુખમાંથી નીકળેલા આક્રોશભર્યા વચનો સાંભળીને માનતુંગનો ચહેરો લાલઘૂમ થઈ ગયો. એણે ત્રાડ પાડી. ‘માનવતી ! પુરુષના બાવડાનાં બળની તને જેમ કોઈ કલ્પના નથી તેમ એના બુદ્ધિબળની પણ તને કોઈ કલ્પના નથી. બાવડાના બળે એ અજેય કિલ્લાઓને જીતે છે, હિંસક એવા સિંહને ય વશ કરે છે તો મદ ઝરતા હાથીઓને ય એ ગુલામ બનાવે છે. બુદ્ધિના બળે એ કપટનાં મંદિર ગણાતી સ્ત્રીઓને પોતાની નોકરડી બનાવે છે તો જિંદગીભર સ્ત્રીઓને એને આધીન જ રહેવું પડે એવી પરિસ્થિતિ સર્જે છે. તું મારા પૌરુષત્વને લલકારે છે ? તું મારા સત્ત્વને પડકાર ફેંકે છે ? કાન ખોલીને સાંભળી લે, મારા આ રાજમહેલમાં તું સર્વથા લાચાર-પરાધીન અને નોકરડી જ છે. તારા માટે હું જે ઇચ્છું છું એ જ થવાનું છે. સખીઓ વચ્ચે ગુમાનના શબ્દો બોલી જવા એ જુદી વાત છે અને અહીં મારા તાબામાં એ જ ગુમાન ટકાવી રાખવું એ જુદી વાત છે. ‘જો તમારા મનની આ જ વાત હોય તો મારી વાત તમે કાન ખોલીને સાંભળી લો.’ ‘બોલ, શું કહેવું છે તારે ?' ‘ભાગ્યનો પાર પામવામાં અચ્છા અચ્છા ખેરખાંઓ જેમ નાસીપાસ થયા છે તેમ નારીના સામર્થ્યનો તાગ પામવામાં ય અચ્છા અચ્છા પરાક્રમી પુરુષો થાપ ખાઈ ગયા છે. તલવાર થાંભલાને કાપી નાખવામાં સફળ બનતી હશે પણ રૂને કાપવાની બાબતમાં ‘સખીઓ વચ્ચે હું જે કાંઈ બોલી છું એ તમામ શબ્દોને જો હું સાચા પુરવાર ન કરું તો મારું નામ માનવતી નહીં ! બાકી, એક મુગ્ધ યુવતી સાથે કપટબાજી કરીને લગ્ન કરી દેવામાં સફળતા મેળવીને તમે તમારી નામર્દાઈ જ જાહેર કરી છે કે બીજું કાંઈ જાહેર કર્યું છે? હું એવી નામર્દાઈમાં માનતી નથી. અને એટલે જ તમને સ્પષ્ટ શબ્દોમાં આજે કહું ‘માનવતી ! ખબરદાર ! આગળ એક પણ શબ્દ, જો તું બોલી છે તો ! તારા ગર્વના ચૂરેચૂરા કરી નાખીને તને મારી સમક્ષ ખોળો પાથરતી ન કરી દઉં અને તારા શબ્દો પાછા ખેંચી લેવા મજબૂર ન કરું તો મારું નામ રાજવી માનતુંગ નહીં.’ આટલું કહીને માનતુંગે તાળી વગાડી. તાળીનો અવાજ સાંભળીને બહાર ઊભેલો પહેરેગીર અંદર આવ્યો અને માનતુંગ સમક્ષ મસ્તક નમાવીને ઊભો રહી ગયો. | ‘મંત્રી સુબુદ્ધિને હમણાં ને હમણાં જ અત્રે મોકલ’ ‘જી હજૂર’ કહીને પહેરગીર ત્યાંથી રવાના થયો અને ગણતરીની પળોમાં સુબુદ્ધિ ત્યાં આવીને ઊભો રહ્યો. | રાજન ! આશા કરો’ ‘તું હમણાં ને હમણાં જ એક સ્તંભવાળા મહેલને ઉઘાડ અને અંદર ખાવા-પીવાની તમામ સામગ્રીઓ પર્યાપ્ત માત્રામાં ભરીને મને એની જાણ કર.' રાજાએ મંત્રીને કરેલ આજ્ઞા માનવતીએ સાંભળી. રાજા શું કરવા માગે છે? એનો ૨૯ ૩૦
SR No.008880
Book TitleAho Ashcharyam
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy