________________
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા : ચોખું મન એટલે શું ?
દાદાશ્રી : ચોખું મન એટલે સામાને માટે ખરાબ વિચાર ના આવે તે, એટલે શું ? કે નિમિત્તને બચકાં ના ભરે. કદાચ સામા માટે ખરાબ વિચાર આવે તો તરત જ પ્રતિક્રમણ કરે અને તેને ધોઈ નાખે.
પ્રશ્નકર્તા : ચોખ્ખું મન થઈ જાય એ તો છેલ્લા સ્ટેજની વાત ને ? અને જ્યાં સુધી સંપૂર્ણ ચોખ્ખું નથી થયું, ત્યાં સુધી પ્રતિક્રમણ કરવાં પડે ને ?
દાદાશ્રી : હા. એ ખરું, પણ અમુક બાબતમાં ચોખ્ખું થઈ ગયું હોય, અને અમુક બાબતમાં ના થયું હોય, એ બધાં સ્ટેપિંગ છે. જ્યાં ચોખ્ખું ના થયું હોય ત્યાં પ્રતિક્રમણ કરવું પડે.
આપણે શુદ્ધાત્માનો ચોપડો ચોખ્ખો રાખવો. તે રાત્રે ચંદુભાઈને કહેવું કે જેનો જેનો દોષ દેખાયો હોય તેની જોડે ચોપડો ચોખ્ખો કરી નાખવો. મનના ભાવો બગડી જાય તો પ્રતિક્રમણથી બધું શુદ્ધિકરણ કરી આપે. બીજો કોઈ ઉપાય નથી. ઇન્કમટેક્ષવાળો ય દોષિત ના દેખાય એવું રાત્રે કરીને સૂઈ જવાનું. ચંદુભાઈને કહેવાનું. આખું જગત નિર્દોષ જોઈને પછી ચંદુભાઈને સૂઈ જવા
(૩૨૭). પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ પ્રત્યક્ષમાં થવું જોઈએ ને ? દાદાશ્રી : પ્રતિક્રમણ પાછળથી થાય તો ય વાંધો નથી.
પ્રશ્નકર્તા : મેં તમારી અવહેલના કરી હોય, અશાતના કરી હોય તો મારે તમારા પ્રત્યક્ષમાં આવીને પ્રતિક્રમણ કરવું જોઈએને ?
દાદાશ્રી : જો પ્રત્યક્ષ થાય તો સારી વાત છે. ન થાય તો પાછળ કરે, તો ય સરખું જ ફળ મળે.
અમે શું કહ્યું. તમને દાદા માટે એવા ઊંધા વિચાર આવે છે, માટે તમે એનું પ્રતિક્રમણ કર્યા કરો.' કારણ કે એનો શો દોષ બિચારાનો. વિરાધક સ્વભાવ છે. આજનાં બધાં મનુષ્યોનો સ્વભાવ જ વિરાધક છે. દુષમકાળમાં વિરાધક જીવો જ હોય. આરાધક જીવો ચાલ્યા ગયા બધા. તે આ જે રહ્યા છે,
એમાંથી સુધારો થાય એવા જીવો ઘણા છે, બહુ ઊંચા આત્માઓ છે હજુ આમાં !
(૩૨૮) અમારા વિષે અવળો વિચાર આવે તો પ્રતિક્રમણ કરી નાખવું. મન તો ‘જ્ઞાની પુરુષનું' ય મૂળીયું ખોદી નાખે. મન શું ના કરે ? દઝાયેલું મન સામાને દઝાડે. દઝાયેલું મન તો મહાવીરને ય દઝાડે.
પ્રશ્નકર્તા: ‘જે ગયા તે કોઈનું કશું ધોળે નહીં.’ તો મહાવીરનો અવર્ણવાદ તેમને પહોંચે ?
દાદાશ્રી : ના, એ સ્વીકારે નહીં. એટલે રીટર્ન વીથ થેંક્સ ડબલ થઈને આવે. એટલે પોતે પોતાના માટે માફી માગ માગ કરવાની. આપણને જ્યાં સુધી યાદ ના આવે એ શબ્દ, ત્યાં સુધી માફી માગ માગ કરવાની. મહાવીરનો અવર્ણવાદ બોલ્યા હોય તો, માફી માગ માગ કરવાની. તે તરત ભૂંસાઈ જાય બસ. એમને પહોંચે ખરું, પણ એ સ્વીકાર ના કરે. તીર મારેલું પહોંચે ખરું, પણ એ સ્વીકાર ના કરે.
(૩૨૯) ૨૪. જીવતભરના વહેણમાં, તણાતાતે તારે જ્ઞાત.. પ્રશ્નકર્તા : યાદ કરીને પાછલા દોષ જોઈ શકાય ?
દાદાશ્રી : પાછલા દોષ ઉપયોગથી જ ખરેખર દેખાય, યાદ કરવાથી ના દેખાય. યાદ કરવામાં તો માથું ખંજવાળવું પડે. આવરણ આવે એટલે યાદ કરવું પડે ને ? આ ચંદુભાઈ જોડે ભાંજગડ થઈ હોય તો, આ ચંદુભાઈનું પ્રતિક્રમણ કરે તો ચંદુભાઈ હાજર થઈ જાય જ. એ ઉપયોગ જ મુકવાનો, આપણા માર્ગમાં યાદ કરવાનું તો કશું છે જ નહીં. યાદ કરવાનું એ તો મેમરી’(સ્મૃતિ)ને આધીન છે. જે યાદ આવે છે તે પ્રતિક્રમણ કરાવવા માટે આવે છે, ચોખ્ખા કરાવવા.
આ જગતમાં કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી.’ એવું તમે નક્કી કર્યું છે ને ? છતાં કેમ યાદ આવે છે ? માટે પ્રતિક્રમણ કરો. પ્રતિક્રમણ કરતાં ફરી પાછું યાદ આવે ત્યારે આપણે જાણવું કે આ હજુ ફરિયાદ છે !
કહેવું.