________________
પ્રતિક્રમણ
૧૨
પ્રતિક્રમણ
પ્રતિક્રમણ કરું છું.
પ્રતિક્રમણ એટલે કષાયને ખલાસ કરી નાખવાના. | (૩૩)
આ લોકો વરસમાં એક વાર પ્રતિક્રમણ કરે, ત્યારે નવાં કપડાં પહેરીને જાય. તે પ્રતિક્રમણ એ શું પૈણવાનું છે કે શું છે ? પ્રતિક્રમણ કરવાનું એટલે કેટલું બધું પસ્તાવાનું ! ત્યાં નવાં કપડાં શેમાં ખાવાં છે ?! એ કંઈ પૈણવાનું છે ? પાછાં રાયશી ને દેવશી. તે સવારનું ખાધેલું સાંજે યાદ રહેતું નથી, તે કેવી રીતે પ્રતિક્રમણ કરે ?!
વીતરાગ ધર્મ કોને કહેવાય કે રોજ પાંચસો-પાંચસો પ્રતિક્રમણ કરે. જૈન ધર્મ તો છે બધે, પણ વીતરાગ ધર્મ નથી, બાર મહિને એકવાર પ્રતિક્રમણ કરે. એને જૈન કેમ કહેવાય ? છતાં સંવત્સરી પ્રતિક્રમણ કરી તેનો ય વાંધો નથી.
(૩૭) અમે આવું બોલીએ, પણ અમે તો બોલતાં પહેલાં જ પ્રતિક્રમણ કરી લીધેલું હોય, તમે આવું બોલશો નહીં. અમે આવું કડક બોલીએ છીએ, ભૂલ કાઢીએ છીએ, છતાં અમે નિર્દોષ જોઈએ છીએ. પણ જગતને સમજાવવું તો પડશે ને ? યથાર્થ, સાચી વાત તો સમજાવવી પડશે ને ?! (૪૦)
આત્મજ્ઞાન એ મોક્ષમાર્ગ છે. આત્મજ્ઞાન થયા પછીનાં પ્રતિક્રમણ મોક્ષમાર્ગ આપે. પછી બધી સાધનાઓ મોક્ષમાર્ગ આપે.
પ્રશ્નકર્તા તો એને આત્મજ્ઞાન થવાનું કારણ બની શકે એ પ્રતિક્રમણ?
દાદાશ્રી : ના. આ નાનું પ્રતિક્રમણ કરે ને નવાં અતિક્રમણ ઊભાં થાય છે પાછાં મોહનાં. મોહ બંધ થયેલો નહીં ને ? મોહ ચાલુ ને ? દર્શનમોહ એટલે જૂનાં બધાં પ્રતિક્રમણ કરે ને એ વિલય થઈ જાય અને નવાં ઊભાં થાય. પુણ્ય બંધાય, પ્રતિક્રમણ કરીએ તે ઘડીએ.
(૪૪) સંસારના લોકો પ્રતિક્રમણ કરે, કોઈ જાગૃત હોય તો, રાયશી-દેવશી બેઉ કરે, તે એટલાં છે તો દોષ ઓછા થઈ ગયા, પણ દર્શનમોહનીય જ્યાં સુધી છે ત્યાં સુધી મોક્ષ ના હોય, દોષો ઊભા થયા જ કરે. જેટલાં પ્રતિક્રમણ કરે
એટલાં બધાંય જાય.
(૪૫) એટલે આ કાળમાં અત્યારે ‘શૂટ ઑન સાઈટ'ની વાત તો ક્યાં ગઈ પણ સાંજે કહે છે કે, આખા દહાડાનું પ્રતિક્રમણ કરજો. તે વાતેય ક્યાં ગઈ, અઠવાડિયે એકાદવાર કરજો તે વાતે ય ક્યાં ગઈ, ને પાલીકે ક્યાં ગયું અને બાર મહિને એક ફેરો કરે. તે ય સમજતા નથી ને કપડાં સરસ પહેરીને ફર્યા કરે છે. એટલે આમ રીયલ પ્રતિક્રમણ કોઈ કરતાં નથી. એટલે દોષો વધતા જ ચાલ્યા. પ્રતિક્રમણ તો એનું નામ કહેવાય, કે દોષ ઘટતા જ આવે. (૪૮)
આ બેનને તમારા માટે જરાક અવળો વિચાર આવે કે આ વળી આવ્યાં ને મને ભીડ શું કરવા કરી ? એટલો વિચાર મહીં આવે પણ તે તમને જાણવા ના દે. મોટું હસતું રાખે. તે વખતે પ્રતિક્રમણ કરે. અવળો વિચાર કરે તે અતિક્રમણ કર્યું કહેવાય. એ રોજ પાંચસો, પાંચસો પ્રતિક્રમણ કરે છે. નર્યા દોષ જ થાય છે. ભાન જ નથી હોતું.
(૫૦) પ્રશ્નકર્તા : એ તો ભાવ પ્રતિક્રમણ છે. ક્રિયા પ્રતિક્રમણ તો થાય જ નહીં
દાદાશ્રી : ના, ક્રિયામાં પ્રતિક્રમણ હોય જ નહીં, પ્રતિક્રમણ તો ભાવ પ્રતિક્રમણની જ જરૂર છે, જે કામ કરે. ક્રિયા-પ્રતિક્રમણ હોય નહીં.
પ્રશ્નકર્તા : દ્રવ્ય પ્રતિક્રમણ અને ભાવ પ્રતિક્રમણ એટલે શું એ જરા સમજાવો.
દાદાશ્રી : ભાવ એવો રાખવો કે આવું ના હોવું જોઇએ, એ ભાવ પ્રતિક્રમણ કહેવાય છે. અને પેલું દ્રવ્યથી તો આખું બધું શબ્દેશબ્દ બોલવો પડે. જેટલા શબ્દ લખેલા હોય છે ને, એ બધા આપણે બોલવા પડે. એ દ્રવ્ય પ્રતિક્રમણ કહેવાય.
(૫૨) તો આ પ્રતિક્રમણ તો જો આજ ભગવાન હોતને, તો આ બધાને જેલમાં પૂરી દેત. તે મુઆ આવું કર્યું ? પ્રતિક્રમણ એટલે એક ગુનાની માફી માગી લેવી, સાફ કરી નાખવું. એક ડાઘ પડ્યો હોય, એ ડાઘને ધોઈને સાફ કરી