SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણ માફી માગજે. માફી માગતો જજે ને પીતો જજે. પણ મનમાં નક્કી કરજે મારે હવે છોડી દેવી છે. સાચા દિલથી મનમાં નક્કી કરજે. મારે છોડી દેવી છે. પછી પીતો જજે ને માફી માગતો જજે, એક દહાડો એનો અંત આવશે. આ સો ટકાનું મારું વિજ્ઞાન છે. આ તો વિજ્ઞાન છે !! ઉગ્યા વગર રહે નહીં. તરત જ ફળ આપનારું છે. ધીસ ઈઝ ધ કૅસ બેન્ક ઑફ ડિવાઈન સોલ્યુશન’ ‘કૅશ બેન્ક’ આ જ ! દસ લાખ વર્ષથી નીકળી જ નથી ! બે કલાકમાં મોક્ષ લઈ જાવ !! અહીં આગળ તું જે માગું એ આપવા તૈયાર છું. માગતો ભૂલે. (૧૯) એક માણસને ચોરી કર્યા પછી પસ્તાવો થાય છે, એને કુદરત જતો કરે છે. પશ્ચાતાપ કર્યો. એનો ભગવાનને ત્યાં એ ગુનો નથી. પણ જગતનાં લોકો દંડ કરે એ આ ભવમાં ભોગવી લેવો પડે. આ બધું ખોટું છે, આ ના કરવું જોઈએ એવું બધાં બોલે છે, તે ઉપલક બોલે છે. ‘સુપરફલુઅસ’ બોલે છે. ‘હાર્ટિલી’ નથી બોલતાં બાકી જો એવું ‘હાર્ટિલી’ બોલે તો એને અમુક ટાઈમે ગયે જ છૂટકો ! તમારો ગમે તેવો ખરાબ દોષ હોય પણ તેનો તમને ખૂબ ‘હાર્ટિલી’ પસ્તાવો થાય તો એ દોષ ફરી ના થાય. અને ફરી થાય તોય તેનો વાંધો નથી, પણ પસ્તાવો ખૂબ કર્યા કરો. (૨૧) પ્રશ્નકર્તા ઃ પ્રતિક્રમણ ને પશ્ચાત્તાપમાં ફેર શો ? દાદાશ્રી : પશ્ચાત્તાપ એ બાધે ભારે છે, ક્રિશ્ચિયનો રવિવારે ચર્ચમાં પશ્ચાત્તાપ કરે છે. જે પાપ કર્યા તેનો બાધે-ભારે પશ્ચાત્તાપ કરે છે. અને પ્રતિક્રમણ તો કેવું છે કે, જેણે ગોળી મારી, જેણે અતિક્રમણ કર્યું, તે પ્રતિક્રમણ કરે. તે જ ક્ષણે ! ‘શૂટ ઑન સાઈટ' – તેને ધોઈ નાખે. (૨૮) આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન મહાવીર ભગવાનના સિદ્ધાંતનો સાર છે અને અક્રમ માર્ગમાં ‘જ્ઞાની પુરુષ’ એ સાર છે, એટલું જ સમજવું જોઈએ. આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ છે. પણ એ ડખો કર્યા વગર રહે નહીં ને ! અનાદિની કટેવ પડી છે. (૨૯) ૧૦ પ્રતિક્રમણ ૩. ત હોય ‘એ' પ્રતિક્ર્મણ મહાવીરનાં ! પ્રશ્નકર્તા : અનાદિકાળથી પ્રતિક્રમણ તો કરતો આવ્યો છે છતાં છૂટકારો તો થયો નથી. દાદાશ્રી : પ્રતિક્રમણ તે સાચાં પ્રતિક્રમણ કર્યા નથી. સાચાં પ્રત્યાખ્યાન ને સાચાં પ્રતિક્રમણ કરે તો એનો ઊકેલ આવે. પ્રતિક્રમણ શૂટ ઑન સાઈટ હોવું જોઈએ. હવે મારાથી એક શબ્દ જરા વાંકો નીકળી ગયો, એટલે મારે અંદર પ્રતિક્રમણ થઈ જ જવું જોઈએ. તરત જ આઁન ધી મોમેન્ટ. આમાં ઉધાર ના ચાલે. આ તો વાસી રખાય જ નહીં. (૩૦) પ્રતિક્રમણ એટલે પસ્તાવો કરવાનો. તો પસ્તાવો શેનો કરો છો ? પ્રશ્નકર્તા : પસ્તાવો નથી કરી શકતાં. ક્રિયા કર્યા રાખીએ બધી. દાદાશ્રી : પ્રતિક્રમણ એટલે પાછા વળવું. પાપ જે કર્યા હોય, ક્રોધ કર્યા હોય, તેની પર પસ્તાવો કરવો એનું નામ પ્રતિક્રમણ કહેવાય.(૩૧) પ્રતિક્રમણ કોનું નામ કહેવાય કે જે કરવાથી દોષ ઘટે. જે કરવાથી દોષ વધ્યા કરે એને પ્રતિક્રમણ કેમ કહેવાય ? એટલે આ ભગવાને આવું નહોતું કહ્યું. ભગવાન કહે છે, સમજાય એ ભાષામાં પ્રતિક્રમણ કરો. પોતપોતાની ભાષામાં પ્રતિક્રમણ કરી લેજો. નહીં તો લોકો પ્રતિક્રમણને પામશે નહીં. તે આ માધિ ભાષામાં રાખી મેલ્યું છે. હવે આ ગુજરાતી નથી સમજતાં, એની પાસે માગધિનું પ્રતિક્રમણ કરવું, શું ફાયદો કરે ? અને સાધુ-આચાર્યો સમજતાં નથી, કશો એમનામાં ય દોષ ઘટ્યાં નથી. એટલે આમાં પરિસ્થિતિ આ થાય છે. માધિ ભાષામાં ભગવાને ફક્ત એક નવકારમંત્ર એકલો જ છે તે ગાવાનો કહ્યો હતો. નવકાર-મંત્ર એકલો જ માધિ ભાષામાં બોલવાનો, ને તે ય પાછો સમજીને ગાજો.' એટલે માધિમાં ફક્ત રાખવા જેવું ફક્ત આ નવકારમંત્ર એકલો જ, કારણ કે ભગવાનના શબ્દો છે. બાકી પ્રતિક્રમણમાં પહેલાં તો એનો અર્થ સમજવો જ પડે કે, આ હું પ્રતિક્રમણ કરું છું ! કોનું ? મને ચંદુભાઈએ અપમાન કર્યું, અગર તો મેં કોઈનું અપમાન કર્યું, તેનું હું
SR No.008869
Book TitlePratikramana Sankshipt
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size82 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy