SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ ચિંતા ૨૨ ને ચિંતા જ ના કરે. દાદાશ્રી : નહીં, કમાવા જાય છે એ ય એમના હાથમાં જ નથી ને ! એ ભમરડા છે. આ બધા નેચરના ફેરવ્યા ફરે છે અને મોઢે અહંકાર કરે છે, કે હું કમાવા ગયેલો. અને આ વગર કામની ચિંતા કરે છે. ચિંતાવાળો રૂપિયા લાવે ક્યાંથી ? લક્ષ્મીજીનો સ્વભાવ કેવો છે ? જે આનંદી હોય એને ત્યાં લક્ષ્મી મુકામ કરે. બાકી, ચિંતાવાળાને ત્યાં મુકામ કરે નહીં. જે આનંદી હોય, જે ભગવાનને યાદ કરતા હોય, એને ત્યાં લક્ષ્મીજી જાય. ચિંતા છે ? મનમાં એમ લાગે છે કે “હું જ ચલાવું છું” તેથી ચિંતા થાય છે. ‘એ કોણ ચલાવનાર છે' એવું કંઈ સાધારણ પણ, કોઈ પણ જાતનું અવલંબન લેતો નથી. ભલે, તું જ્ઞાનથી ના જાણતો હોઉં, પણ બીજું અવલંબન તો કોઈ પણ પ્રકારનું લે ! કારણ કે તું ચલાવતો નથી એવું તને કંઈક અનુભવમાં તો આવેલું છે. ચિંતા એ મોટામાં મોટો ઈગોઈઝમ છે. વધુ ચિંતાવાળા કોણ ? પ્રશ્નકર્તા : રોજનાં બે ટાંટીયા મળતાં ન હોય, એને તો રોજની ચિંતા હોય ને કે “આનું આવતીકાલે શું કરશું? આવતીકાલે શું ખાશું?” દાદાશ્રી : ના, ના એવું છે ને સરપ્લસની ચિંતા હોય, ખાવાની ચિંતા કોઈને ય ના હોય. સરપ્લસની જ ચિંતા હોય. આ કુદરત એવી ગોઠવાયેલી છે કે સરપ્લસની જ ચિંતા ! બાકી, નાનામાં નાનો છોડવો ગમે ત્યાં ઉગ્યો હોય, ત્યાં જઈને પાણી છાંટી આવે. એટલી બધી તો વ્યવસ્થા છે. આ રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ છે. તે વર્લ્ડ રેગ્યુલેશનમાં જ રાખે છે નિરંતર. એવું આ ગપુંવાળું નથી. એટલે સરપ્લસની જ ચિંતા છે. એને ખાવાની ચિંતા નથી. પ્રશ્નકર્તા : આપને બધા એવા સરપ્લસવાળા જ મળ્યા લાગે છે. કે જે લોકોને ચિંતા કંઈ હોય જ ડેફિસિટવાળા કોઈ મળ્યા નથી લાગતા ! દાદાશ્રી : ના, એવું નહીં, ડેફિસિટવાળા બહુ મળેલા છે, પણ એમને ચિંતા ના હોય. એમને સહેજ મનમાં એમ થાય કે આજે આટલું લાવવું. તે લઈ આવે. એટલે ચિંતા-બિંતા કરે એ બીજાં અને ભગવાનને માથે નાખે. “એને ગમ્યું એ ખરું’ એમ કરીને ચાલવા દે અને આ તો ભગવાન નહીં, આ તો પોતે કર્તાને ?! કર્મનો કર્તા હું અને ભોક્તા પણ હું એટલે પછી ચિંતા માથે લે. ચિંતા ત્યાં લક્ષ્મી ટકે ? પ્રશ્નકર્તા : એવું જો હોય તો તો પછી લોકો કમાવા જ ના જાય, ચિંતાથી ધંધાનું મોત ! પ્રશ્નકર્તા : ધંધાની ચિંતા થાય છે, બહુ અડચણો આવે છે. દાદાશ્રી : ચિંતા થવા માંડે કે સમજો, કાર્ય વધારે બગડવાનું. ચિંતા ના થાય તો સમજવું કે કાર્ય બગડવાનું નથી. ચિંતા કાર્યની અવરોધક છે. ચિંતાથી તો ધંધાને મોત આવે. જે ચઢ-ઉતર થાય એનું નામ જ ધંધો, પુરણ-ગલન છે એ. પુરણ થયું એનું ગલન થયા વગર રહે જ નહીં. આ પૂરણ-ગલનમાં આપણી કશી મિલકત નથી અને જે આપણી મિલકત છે, તેમાંથી કશું જ પૂરણ-ગલન થતું નથી ! એવો ચોખ્ખો વ્યવહાર છે ! આ તમારા ઘરમાં તમારાં વહુ-છોકરાં બધા જ પાર્ટનર્સ છે ને ? પ્રશ્નકર્તા : સુખ-દુ:ખના ભોગવટામાં ખરાં. દાદાશ્રી : તમે તમારી બૈરી-છોકરાંના વાલી કહેવાઓ. એકલા વાલીએ શા માટે ચિંતા કરવી ? અને ઘરનાં તો ઊલટું કહે છે કે તમે અમારી ચિંતા ના કરશો. ચિંતાથી કશું વધી જાય ખરું ? પ્રશ્નકર્તા : નથી વધતું. દાદાશ્રી : વધતું નથી ? તો પછી એ ખોટો વેપાર કોણ કરે ? જો ચિંતાથી વધી જતું હોય તો તે કરવું.
SR No.008850
Book TitleChinta
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2001
Total Pages22
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size272 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy