________________
૨ ૧૯
૨ ૧૮
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રકારના હોય છે કે જ્ઞાનને પણ ઉડાડી મેલે. તો તે ક્યા પ્રકારનો ચારિત્રમોહ ?
દાદાશ્રી : એ વિષયમાંથી ઊભો થયેલો ચારિત્રમોહ. એ પછી જ્ઞાનને ને બધાને ઉડાડી મેલે, એટલે અત્યાર સુધી વિષયથી જ આ બધું અટક્યું છે. મુળ વિષય છે અને તેમાંથી આ લક્ષ્મી ઉપર રાગ બેઠો, અને તેનો અહંકાર છે. એટલે મૂળ વિય જો જતો રહે, તો બધું જતું રહે.
વિષયબીજ શેકાય આમ !
પ્રશ્નકર્તા : તો બીજને શેકી નાખતાં આવડવું જોઈએ, પણ તે કેવી રીતે શેકવાનું ?
દાદાશ્રી : એ તો આપણું આ પ્રતિક્રમણથી. આલોચના પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાનથી.
પ્રશ્નકર્તા : એ જ. બીજો ઉપાય નહીં ?
દાદાશ્રી : બીજો કોઈ ઉપાય નથી, તપ કરવાથી તો પુણ્ય બંધાય, સમજ પડીને ? અને બીજને શેકવાથી ઉકેલ આવે.
આ સંસાર અબ્રહ્મચર્યથી ઊભો રહ્યો છે અને આવું કંઈ કેટલાંય કાળ સુધી ચાલ્યા કરશે. જે નિકાચીત દુ:ખો છે એ અબ્રહ્મચર્યનાં છે. નિકાચીત દુઃખો એટલે સહન કરતાં ખસે નહીં, ગમે એટલા ઉપાય કરીએ તો ય ખસે નહીં. બીજાં બધાં દુઃખો તો સહેજાસહેજ જતા રહે. જ્યારે નિકાચીતમાં તો બીજા માણસનો કલેઈમ રહે છે. બીજી બધી વસ્તુઓ કલેઈમ ના માંડે, પણ આ વિષયમાં તો તમે ‘પ્રસંગ’ છોડી દો તો ય એ દાવો માંડે, અગર તો તમારી ઉપર વેર બાંધે. એ કલેઈમ જ ઊભા થાય પછી !
પ્રશ્નકર્તા : એટલે એક પત્ની સિવાયનો વિષય હોય છે ?
દાદાશ્રી : ના, એક પત્ની જોડે હોય તો ય, એક જ વિષયસુખમાં બે જણ પાર્ટનર હોય છે ને ? એટલે આપણે “કંટાળ્યા’ કહીએ, ત્યારે એ કહેશે, ‘હું નથી કંટાળી’ ત્યારે શું થાય ?
સમજથી પ્રાપ્ત બ્રહમચર્ય
આ ‘સમભાવે નિકાલ’ કરવાનો કાયદો શું કહે છે, તે ગમે તે રસ્તે એની જોડે વેર ના બંધાય એવી રીતે કરી નાખ, વેરથી મુક્ત થઈ જા.
વેરતું કારખાનું ! આપણે અહીં તો એક જ કરવા જેવું છે કે વેર ના વધે અને વેર વધારવાનું મુખ્ય કારખાનું કયું છે ? આ સ્ત્રીવિષય અને પુરુષવિષય !
પ્રશ્નકર્તા : એમાં વેર કેવી રીતે બંધાય ? અનંત કાળનું વેર બીજ પડે છે એ કેવી રીતે ?
દાદાશ્રી : એવું છે ને કે આ મરેલા પુરુષ કે મરેલી સ્ત્રી હોય તો એમ માનો ને કે એમાં કોઈ દવાઓ ભરી અને પુરુષ પુરુષ જેવો જ રહેતો હોય ને સ્ત્રી સ્ત્રી જેવી જ રહેતી હોય તો વાંધો નહીં, એની જોડે વેર નહીં બંધાય. કારણ કે એ જીવતું નથી. અને આ તો જીવતું છે, ત્યાં વેર બંધાય છે.
પ્રશ્નકર્તા : તે શાથી બંધાય છે ?
દાદાશ્રી : અભિપ્રાય ‘ડિફરન્સ’ છે તેથી. તમે કહો કે, “મારે અત્યારે સિનેમા જોવા જવું છે. ત્યારે એ કહેશે કે, “ના, આજ તો મારે નાટક જોવા જવું છે.” એટલે ટાઇમિંગ નહીં મળી રહે. જો એક્કેક્ટ ટાઈમિંગે ટાઈમિંગ મળી રહે તો જ પૈણજે.
પ્રશ્નકર્તા : છતાં કો'ક એવો હોય કે એ કહે એવું થાય પણ ખરું.
દાદાશ્રી : એ તો કોઈ ગજબના પુણ્યશાળી હોય તો એની સ્ત્રી નિરંતર એને આધીન રહે. એ સ્ત્રીને પછી બીજું કશું પોતાનું ના હોય, પોતાનો અભિપ્રાય જ ના હોય, એ નિરંતર આધીન જ રહે.
ત મળે આધીતતામાં રહે એવી ! એવું છે, આ સંસારીઓને જ્ઞાન આપ્યું છે. કંઈ બાવા થવાનું મેં નથી કહ્યું, પણ જે ‘ફાઈલો’ હોય એનો ‘સમભાવે નિકાલ’ કરી કહ્યું છે !