SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ (૧.૫) અન્વય ગુણો-વ્યતિરેક ગુણો ! ૬૫ દાદાશ્રી : અત્યારેય શુદ્ધ છે. તે દહાડેય શુદ્ધ હતો, આજેય શુદ્ધ છે અને જ્યારે જુઓ ત્યારે શુદ્ધ જ હશે. પ્રશ્નકર્તા : પણ અજ્ઞાનથી મુક્ત હતો, શરૂઆતની સ્થિતિમાં દાદાશ્રી : એ અત્યારેય અજ્ઞાનથી મુક્ત છે. ક્યારેય પણ એ અજ્ઞાનવાળો થયો જ નથી. પ્રશ્નકર્તા : એટલે આ વિભાવ છે તે વૈજ્ઞાનિક છે. હવે ક્લિયર થઈ ગયું બધું. દાદાશ્રી : એ ક્લિયર વગર તો મને સમાધાન પામે નહીં ને ! સેટ થવું જોઈએ ને ! [૬] વિશેષભાવ - વિશેષજ્ઞાત - અજ્ઞાત ! અજ્ઞાત એય છે જ્ઞાત જ ! વિભાવ એટલે મૂળ જ્ઞાન, પોતાનું જ્ઞાન તો છે જ, પણ આ વિશેષજ્ઞાન ઉત્પન્ન થયું છે. પ્રશ્નકર્તા : તો એનો વાંધો કેમ લેવો, વિશેષજ્ઞાનનો ? દાદાશ્રી : વાંધો શેનો ? પ્રશ્નકર્તા : જ્ઞાન છે અને એમાં વૃદ્ધિ થઈ છે, વિશેષજ્ઞાન. દાદાશ્રી : ના, ના, વૃદ્ધિ નહીં, વિશેષજ્ઞાન એટલે જે નથી જાણવાનું, તેવું જ્ઞાન ઊભું થયું. જેની જરૂર નથી તે જ્ઞાન ઊભું થયું. અશુદ્ધ શાથી થયેલું ? ત્યારે કહે, વિશેષજ્ઞાનમાં સપડાયો એટલે અશુદ્ધ થતું ગયું અને સ્વભાવિકજ્ઞાનમાં આવ્યો ત્યાંથી શુદ્ધ થતું ચાલ્યું. વિશેષજ્ઞાનને વિભાવજ્ઞાન કહે છે. પ્રશ્નકર્તા : વિશેષભાવે બની શકે ? દાદાશ્રી : હા, વિશેષજ્ઞાન એટલે અજ્ઞાનને પણ જ્ઞાન કહેવામાં આવે. એટલે સંસારી ભાવ ઉત્પન્ન થઈ જાય. પૈણે કરે, સસરા થાય, સાસુ થાય, વડ સાસુ થાય, ફોઈ સાસુ થાય. અને એ તો આપણે જ ભેદ પાડવા માટે અજ્ઞાન કહીએ છીએ, બાકી વિશેષજ્ઞાન છે આ.. આપણે સમજીએ કે ભઈ, આ અજ્ઞાન ને આ જ્ઞાન. બાકી, અજ્ઞાન હંમેશાં અંધારું હોય, પણ આ અજ્ઞાન તો અજવાળું છે,
SR No.008840
Book TitleAptavani 14 Part 1
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2006
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size131 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy