SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ (૧.૧) વિભાવની વૈજ્ઞાનિક સમજ ! ૧૬ આપ્તવાણી-૧૪ (ભાગ-૧) તે મૂળ આત્મા તો આરોપ નથી કરતો પાછો. અજ્ઞાનથી વિશેષ પરિણામ ઊભાં થયાં છે. પ્રશ્નકર્તા : એટલે આત્મા પોતે કરે છે આવું ? આત્મા એમ આરોપ કરે છે ? દાદાશ્રી : મૂળ આત્મા તો આરોપ નથી કરતો. આ તો મૂળ આત્માનો જે એક દર્શન નામનો ગુણ છે, તે આ સંજોગોના દબાણને લઈને દર્શન એનું વિશેષભાવને પામે છે. અને વિશેષભાવને પામે ને તેનાથી આ બધું ઊભું થયું છે. સ્વભાવિકભાવને પામે તો વાંધો નથી પણ વિશેષભાવે પામે છે. વ્યતિરેકમાં મુખ્ય, અહમ્ ! પ્રશ્નકર્તા : એટલે વ્યતિરેક ગુણોમાં અહમ્ભાવ ઉત્પન્ન થવો એવું નથી ? દાદાશ્રી : ના, અહમ્ભાવ એ પોતે જ વ્યતિરેક ગુણ (મૂળ ફર્સ્ટ લેવલનો) છે, જ્યાં સુધી બે વસ્તુનો સામીપ્યભાવ છે અને અહમ્ભાવ ઊભો રહ્યો છે, ત્યાં સુધી વ્યતિરેક ગુણો બધાય રહે છે. મૂળ અહમ્ભાવ જ વ્યતિરેક ગુણનો મુખ્ય થાંભલો છે. એ ના હોય તો કશુંય નહીં. વ્યતિરેક નાસી જાય બધા, બિચારા ! પ્રશ્નકર્તા : રોંગ બિલીફ આપણે કહીએ છીએ, એ ને અહમ્ એક ? દાદાશ્રી : એ અહંકાર જ છેને ! રોંગ બિલીફ એ જ અહંકાર અને રાઈટ બિલીફ એ શુદ્ધાત્મા. પ્રશ્નકર્તા : કષાય જે છે, એ કયા ગુણના પર્યાય છે ? દાદાશ્રી : પુદ્ગલ પર્યાય છે. પ્રશ્નકર્તા : આપણે જે ભાવ કરીએ છીએ, એ પુદ્ગલનું પરિણામ છે ? દાદાશ્રી : ભાવ (વિશેષભાવ) એ ચેતનની અજ્ઞાનતા છે અને ક્રોધ-માન-માયા-લોભ એ પુદ્ગલ પર્યાય છે. ભાવ જે કરે છે તે અજ્ઞાન છે ત્યાં સુધી. અજ્ઞાન જાય તો ભાવ કરતો જ નથી. પ્રશ્નકર્તા : જ્ઞાની હોય એ ભાવ નથી કરતા ? દાદાશ્રી : નહીં. ભાવ નહીં. પછી સ્વભાવિકભાવ. તારા વિશેષભાવથી આ જગત ઊભું થયું છે. સ્વભાવિકભાવ એટલે તારો મો.
SR No.008840
Book TitleAptavani 14 Part 1
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2006
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size131 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy