SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ મૃત્યુ પછી દેહને અગ્નિને કેમ સમર્પિત કરાય છે ? સૌથી સ્પીડિલી અગ્નિ જ એને નષ્ટ કરે છે માટે. બાકી, માટી, પાણી પણ ધીમે ધીમે એને નષ્ટ કરે. અનંત કાળથી આજ માટીના ચૂંથારા ચાલ્યા છે ને ! પાણી, વાયુ, પૃથ્વી તેમ જ અગ્નિ, એમાં માત્ર જડ તત્ત્વ જ નથી પણ એ જીવો છે બધા. અગ્નિના લાલ-ભૂરા રંગો દેખાય તે બધા જીવ છે. એને તેઉકાય જીવો કહ્યા, જેનું શરીર અગ્નિરૂપે હોય છે. તેવું જ બીજાં તત્ત્વો પણ જીવોનાં શરીર જ છે. જીવ-અજીવ બે તત્ત્વોથી કેવડી મોટી રામલીલા થઈ ! દરેક વસ્તુ રૂપાંતર થયા કરે. રૂપાંતર એટલે ઉત્પાદ, ધ્રુવ ને વ્યય. ઉત્પન્ન થવું વિનાશ થવું એ પર્યાયથી છે અને સ્થિર થવું એ સ્વભાવથી છે. દા.ત. તમે ‘પોતે’ શુદ્ધાત્મા એ ધ્રુવ તરીકે છો અને કાયમી છો, અને અવસ્થાઓ એટલે કે સંયોગો ઉત્પન્ન થાય ને વિયોગ થાય. સંયોગ-વિયોગ બેઉ અવસ્થાઓ જ છે અને આત્મા સ્થિર જ છે કાયમનો. સ્થૂળ-સૂક્ષ્મ અવસ્થાઓ સ્વભાવથી જ જાણી શકાય. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એના સ્વભાવિક જ્ઞાનપ્રકાશથી બહારની અવસ્થાઓ જો જો કરે છે. અવસ્થા ઉત્પન્ન થાય, ટકે ને વિલય થાય. અવસ્થા ટકે એનો અર્થ અહીં ધ્રુવ થતો નથી. કારણ કે ટકેલી હોય ત્યારેય નાશ થવાની પ્રક્રિયા સૂક્ષ્મતાએ ચાલુ જ હોય છે. ધ્રુવ એટલે તો કાયમ તે જ સ્વરૂપે રહે તે, ‘સૃષ્ટિનું સર્જન, પાલન, વિસર્જન હું કરું છું.’ તેવું ગીતામાં કહ્યું છે તેનો સૂક્ષ્મ અર્થ એ છે કે ‘હું’ એ આત્મા માટે છે ને તેના પર્યાય ઉત્પન્ન થાય ને નાશ થાય અને આત્મા પોતે ધ્રુવ રહે છે. આત્માના ગુણ કે મૂળ દ્રવ્ય ના બદલાય પણ પર્યાય બદલાય એને ધર્મ કહ્યું. જ્ઞાતા-દ્રષ્ટાપણું એ ધર્મ છે. એની શરૂઆત ક્યાંથી થાય ? અનંત ભાગ વૃદ્ધિ સૌથી ઓછા પ્રમાણમાં વૃદ્ધિ. અસંખ્યાતભાગ વૃદ્ધિ એટલે ખૂબ જ ઓછા પ્રમાણમાં વધે. સંખ્યાતભાગ એથી વધુ વધે. એવી જ રીતે રિવર્સમાં હાનિ માટે સમજવું. 52 હાનિ-વૃદ્ધિ એ પર્યાયોમાં થાય છે. વૃદ્ધિ થાય ત્યારે :અનંતભાગ વૃદ્ધિ → અસંખ્યાતભાગ વૃદ્ધિ → સંખ્યાતભાગ વૃદ્ધિ – સંખ્યાતગુણ વૃદ્ધિ — અસંખ્યાતગુણ વૃદ્ધિ અનંતગુણ વૃદ્ધિ → હાનિ થાય ત્યારે : → અનંતગુણ હાનિ → અસંખ્યાતગુણ હાનિ → સંખ્યાતગુણ હાનિ → સંખ્યાતભાગ હાનિ → અસંખ્યાતભાગ હાનિ → અનંતભાગ હાનિ → અનંતભાગ વૃદ્ધિ... અત્યારે પહેલાં લોકોની ચહલ-પહલની શરૂઆત અનંત ભાગ વૃદ્ધિથી થાય. એટલે સિદ્ધ ભગવાનને પોતાના દ્રવ્યમાં ઝળકે, વૃદ્ધિ થાય ત્યારે અનંતભાગ વૃદ્ધિ સવારે ૩-૪ વાગે લાખે ૧૦-૨૦ માણસો હરતાં ફરતાં દેખાય. લાખે પ૦-૧૦૦ માણસો વધે સવારે ૫-૬ વાગે સવારે ૭-૮ વાગે લાખે પ૦-૭૦૦ માણસો વધે સવારે ૯-૧૦ વાગે લાખે ૨-૩ હજાર માણસો વધે. સવારે ૧૦-૧૧ વાગે લાખે ૧૨-૧૫ હજાર માણસો વધે. સવારે ૧૧-૧૨વાગે લાખે ૬૦-૭૦ હજાર માણસો વધે (વધીને સીતેર-એંસી હજાર જેટલું થાય) હાનિ થાય ત્યારે (ઘટવાનો કાળ આવશે ત્યારે) અનંતગુણ નિ અસંખ્યાતભાગ વૃદ્ધિ સંખ્યાતભાગ વૃદ્ધિ સંખ્યાતગુણ વૃદ્ધિ અસંખ્યાતગુણ વૃદ્ધિ અનંતગુણ વૃદ્ધિ બપોરે ૫-૬ વાગે લાખે ૬૦-૭૦ હજાર માણસો ઘટે. (ઓફિસેથી ઘરે જવા માંડે એટલે રસ્તા ખાલી થવા માંડે) અસંખ્યાતગુણ હાનિ સાંજે ૬-૭ વાગે લાખે ૧૨-૧૫ હજાર માણસો ઘટે. સંખ્યાતગુણ નિ સાંજે ૭-૮ વાગે લાખે ૨-૩ હજાર માણસો ઘટે સંખ્યાતભાગ હાનિ રાત્રે ૯-૧૦ વાગે લાખે પ૦૦-૭૦૦ માણસો ઘટે. અસંખ્યાતભાગ હાનિ રાત્રે ૧૦-૧૧ વાગે લાખે પ૦-૧૦૦ માણસો ઘટે. અનંતભાગ નિ રાત્રે ૧૨-૧ વાગે લાખે ૧૦-૨૦ માણસો ઘટે એ ઓછું થતું જાય, તે સવારે ૩-૪ વાગે પાછું વધતું જાય. ઉપરના ક્રમ 53
SR No.008840
Book TitleAptavani 14 Part 1
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2006
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size131 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy