SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૪ (ભાગ-૧) દાદાશ્રી : સ્વભાવમાં આવી ગયા, તેથી તો અડે નહીં. પ્રશ્નકર્તા : જોવાનું શું, ખાલી પુદ્ગલ જ જુએ ? એ જાગૃતિ એમની ક્યાં હોય તો પછી ? ૧૪૬ દાદાશ્રી : બધી જ્ઞેયોમાં. પ્રશ્નકર્તા : એટલે જ્ઞેયના જ્ઞાતા-દૃષ્ટા સ્વભાવિક રીતે રહ્યા કરે ? દાદાશ્રી : બસ, એટલું જ, બીજું કશું નહીં. ઍબ્સૉલ્યૂટ એટલે સાંસારિક વિચાર જ આવતા બંધ થયા હોય ! ‘પોતે’ પોતાના જ પરિણામને ભજે ! વૈજ્ઞાનિક જ્ઞાનીની વાતો વૈજ્ઞાનિક છે કે નહીં ? પ્રશ્નકર્તા : વૈજ્ઞાનિક છે. દાદાશ્રી : હું, વૈજ્ઞાનિક વાતને આપણા શાસ્ત્રોમાં લોકોએ આ ગૂંચવાડો ઊભો કર્યો છે. તે બધું આ ગૂંચાવી માર્યું છે અને એ લોકો તો કહેવાય એટલું કહી ગયા, પછી અવક્તવ્ય ને અવર્ણનીય બોલતા ગયા. આપણા લોકોએ લખ્યું કે અવક્તવ્ય છે ને અવર્ણનીય.... ત્યારે મૂઆ ખોળ ખોળ શું કરવા કરો છો મહીં ? બહાર ખોળો ને ત્યાં આગળ ! આ તો બોર્ડ જ બતાવે છે ગો ધેર (ત્યાં જાવ). એટલે ત્યાં બોર્ડ આગળ જ બેસી રહેવાનું ? વીતરાગો જાણતા હતા, આ બધી વાત. જે વીતરાગ થઈ ગયા હિન્દુસ્તાનમાં પણ વીતરાગોએ વાત શબ્દથી જેટલી કહેવાય એટલી કહી, પછી વધારે શી રીતે કહી શકે ? શબ્દથી એટલે નિઃશબ્દ વસ્તુની, આત્મા નિઃશબ્દ, અવક્તવ્ય, અવર્ણનીય છે, તેનું વર્ણન કેવી રીતે કરે ? પ્રશ્નકર્તા : ના થાય. દાદાશ્રી : અને આ જગતનું વર્ણન કેવી રીતે કરે, જ્યાં શબ્દ જ છે નહીં એટલે પછી. જગતને શી રીતે સમજાય ? આ કંઈ બુદ્ધિના ખેલ ઓછા છે ? ત્યાં બુદ્ધિ કંઈ પહોંચે એવી છે ? બહુ ઝીણી વાત. (૧.૧૧) વિશેષ પરિણામનો અંત આવે, ત્યારે... આ તો હું બોલું છું તે જાડી ભાષામાં વાત કરું છું. મેં જે જોયું છે ને, તે વાત વિગત સમજાવતાંય વાર લાગે. એ ભાષાના શબ્દો જ ના હોય ને ! ૧૪૭ પ્રશ્નકર્તા : ના, પણ આપના આ જે સાયન્ટિફિક શબ્દો નીકળે છે ને, એ એક્ઝેક્ટ બહુ ફોડ પાડતા નીકળે છે. દાદાશ્રી : એ હોય જ ને, પણ જોયેલું છે એટલે. પણ તેય એક્ઝેક્ટ તો બોલાય જ નહીં. એય તો જોયેલાનું વર્ણન, શબ્દ જ ના હોયને ત્યાં. એ જેમતેમ ખોળી કાઢીને બોલવા પડે શબ્દો. આપણી ભાષામાં સમજાય એવું ખોળી કાઢીને બોલવા પડે. છતાં આ વાણી વ્યતિરેક ગુણમાંથી ઊભી થઇ છે. પ્રશ્નકર્તા : એટલે એ ક્રોધ-માન-માયા-લોભ વગરનો ગુણ ? દાદાશ્રી : ના, ના, ક્રોધ-માન-માયા-લોભમાંથી જ આ બનેલી વસ્તુ છે. પ્રશ્નકર્તા : પણ આ તો ઉત્તમ વાણી છે, યથાયોગ્ય વાણી છે. દાદાશ્રી : ઉત્તમ વાણી છે, તોય પણ એ આમાંથી જ બનેલી છે. આ કઇ ભાષાની છે ? એ રિલેટિવ ભાષાની નથી, રિયલ રિલેટિવની છે. પ્રશ્નકર્તા : દાદા, આ તો નવું નીકળ્યું, અમારા માટે તો હું ! આ તો કેટલીક આવી વાતો તો દાદા પાસે એકલા બેઠા હોઇએ ત્યારે સંભળાય. દાદાશ્રી : એ તો એવો ટાઇમ આવે ત્યારે જ નીકળે. નહીં તો નીકળે નહીં ને ! એવો સંજોગ બાઝવો જોઇએ, ટાઇમ બાઝવો જોઇએ, એવું ક્ષેત્ર ફરતું હોવું જોઇએ. એક જગ્યાએ બેઠાં બેઠાં શી રીતે નીકળે ? ફરતું ક્ષેત્ર (જુદી જુદી જગ્યાએ સત્સંગ) હોય તો આવું નીકળે ! પ્રશ્નકર્તા : એટલે વ્યતિરેક ગુણમાંથી રિયલ રિલેટિવની ભાષા છે, એમ ?
SR No.008840
Book TitleAptavani 14 Part 1
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2006
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size131 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy