SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાતા દ્રષ્ટા ૧૫૫ પ્રશ્નકર્તા : હા. એ જો સમજાય તો પછી બહુ ગૂંચ નથી રહેતી. જોવા-જાણવાતું તત્ક્ષણે જ ! પ્રશ્નકર્તા : આ ચંદુભાઈની બધી ક્રિયાઓને ‘જોવાની’ જ છેને ? દાદાશ્રી : તમે પોતે આ બધી ક્રિયાના જ્ઞાતા થયા. ‘તમારે’ ‘સ્વરૂપ’માં રહેવું જોઈએ, જ્ઞાતા-દ્રષ્ટાપણું જ રહેવું જોઈએ, પછી શું વાંધો છે ? પ્રશ્નકર્તા : એટલે અત્યારે હું આપની સાથે વાત કરતો હોઉં, એ વખતે મારે તો એને ‘જોવું’ જોઈએ કે આ ચંદુભાઈ શું બોલી રહ્યા છે ! દાદાશ્રી : હા, એ ના રહે તો પછી એ ફાઈલ પાછી ફરી ‘જોવી’ પડશે. પ્રશ્નકર્તા : હા. કારણ કે સાઈમલટેનીયસલી (સાથે સાથે), પાછળથી નહીં પણ એટ એ ટાઈમ રહેવું જોઈએ. દાદાશ્રી : ના રહે તે જાગૃતિ ઓછી એટલી. પ્રશ્નકર્તા : જ્યારે બનાવ બનતો હોય ત્યારે, હું એનો જ્ઞાતા-દ્રષ્ટા હોવો જોઈએ. આપણને પછી ખ્યાલ આવે પણ એ કામનું નહીં ને ? દાદાશ્રી : છતાં પછી ખ્યાલ આવે, તો ય બહુ થઈ ગયું. ફાઈલ જોયા વગર ગઈ તો ? પ્રશ્નકર્તા : હવે જમતી વખતે જાગૃતિ ના રહી. એટલે પાછળથી જ્યારે જાગૃતિ આવે, ત્યારે ખંખેરી નાખે કે આ ખાનાર જુદો ને હું જુદો તો... દાદાશ્રી : જુદું જ છેને એ તો ! પ્રશ્નકર્તા : પણ એ જુદું નથી રાખ્યું એથી તો બંધાયેલા. દાદાશ્રી : તો ફરી નિવેડો કરીશું. ફરી વાર આ ફાઈલને ‘જોવી’ પડે. એક ફેરો ફાઈલમાં સહી થયા વગરની જતી રહી તો પછી ફરી સહી કરવી પડે. સહી કર્યા વગર તો જવા દેવાય જ નહીં. ૧૫૬ આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : એટલે સહી એટલે શું ? દાદાશ્રી : ‘જોયું’ એ સહી થઈ ગઈ. ‘જોયા’ વગર જો જતું રહ્યું, સહી રહી ગઈ ત્યાં. આપણે સહી કરીને જ જવું પડશે. તેમાં કંઈ સાહેબને ગાળો દેવાતી હશે એવું ? એક સહી જોઈએ, સિગ્નેચર. પ્રશ્નકર્તા : એ સિગ્નેચર એટલે જરા બરોબર કહો. એ સિગ્નેચર એટલે કેવી રીતે વર્તે ? દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટાભાવે ‘જોઈને' જાય ફાઈલ. પ્રશ્નકર્તા : પણ આ ખાવાનું શરૂ કરે ત્યારે બોલે કે આહારી આહાર કરે છે અને હું નિરાહારી માત્ર તેને જાણું છું. પછી નિરાંતે બરોબર ખાય, તો એમાં સહી તો ક્ષણે ક્ષણે હોવી જોઈએને, જુદાપણાની ? દાદાશ્રી : ના, એવું કંઈ નહીં. જ્યાં આગળ ભૂલ ખઈએ ત્યાં જોઈએ. પ્રશ્નકર્તા : આખો દસ મિનિટ જમવાનો ટાઈમ પસાર થઈ ગયો અને એ દસ મિનિટ પછી ય જાગૃતિ નહોતી આવી. આજે દોઢ મહિના પછી ખબર પડી કે આ તો તે દહાડે જાગૃતિ નહોતી રહી, તો ત્યાં એ સહી કરવાની તો રહીને... દાદાશ્રી : એ ફરી જમતી વખતે ફરી સહી થશે. પ્રશ્નકર્તા : તે એ જે ચૂકી ગયા, એનું શું આવશે ? દાદાશ્રી : એ ફરી સહી કરવી પડશેને ! પ્રશ્નકર્તા : પહેલાં જે જે ચૂક્યો એ બધું અત્યારે ‘જોયું’ એ સહી કરી કહેવાય ? એણે ક્યાં ચૂકી ગયો એનું જાગૃતિપૂર્વક બધું પૃથ્થકરણ કર્યું, એનું શું ફળ આવે ? દાદાશ્રી : એ એમાં છે તે ફળ શાનું આવવાનું ? એ તો કરેક્ટ કર્યું એટલે એની એ જ ફાઈલ ફરી નહીં આવે. પ્રશ્નકર્તા : એ સહી કરવાની રહી જાય એ ભૂલ કહેવાય ?
SR No.008836
Book TitleAptavani 12 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages251
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy