SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) ડિપ્રેશન સામે જુદાપણાની જાગૃતિ ૧૩૭ પ્રશ્નકર્તા : ડિપ્રેશનનું રૂટ કોઝ શું, દાદા ? ડિપ્રેશન આવવાનું રૂટ કોઝ શું? દાદાશ્રી : નબળાઈ પોતાની, બીજું શું ? પ્રશ્નકર્તા : કેવા પ્રકારની નબળાઈ ? દાદાશ્રી : બધાં પ્રકારની. પોતાની આમ દાનત ચોર એટલે ડિપ્રેશન જ આવે. પ્રશ્નકર્તા : એકઝેક્ટ શબ્દ છે, દાદા. દાદાશ્રી : દાનત ચોર નથી ને નિખાલસપણું છે, એને ડિપ્રેશન શાનું? ભોગવવાની ઇચ્છા છે માટે ને ? ઇચ્છા ના હોય, તેને શાનું ડિપ્રેશન આવે, નિરીચ્છકને ? આપણે આત્મા થયા તો ઇચ્છા હોય નહીં, નિરીછુક હોય ! બરકત વગરનો ચંદુ, પહેલેથી જ ! આત્મા થઈને આત્મા બોલો, આત્મા થઈને વર્તી એટલે પછી વાંધો નહીં, ભાંજગડ નહીં. પ્રશ્નકર્તા એટલે શું બોલવાનું? દાદાશ્રી : ચંદુલાલ શું કરે છે એ બધું આપણને ધ્યાનમાં રહ્યા કરે ને ડિપ્રેશન આવ્યું તો જાણવું કે આત્માને થતું નથી. આત્માને ડિપ્રેશન હોય નહીં. પ્રશ્નકર્તા ઃ હવે આ ડિપ્રેશનને જાણે, એવું બને ખરું ? દાદાશ્રી : હા, એવું બનેને ! પ્રશ્નકર્તા: તો ડિપ્રેશન જે બની ગયું એ શું છે? એટલે એક વખત આત્મા તરીકે રહેવામાં ? દાદાશ્રી : ડિપ્રેશન આવ્યું એટલે અત્યાર સુધી એ બાજુ રહેતો હતો, તે ત્યાંથી ઓચિંતું છૂટવા માંડ્યું હવે ! પ્રશ્નકર્તા : એટલે એની અસરમાં ડિપ્રેશન આવ્યું ? દાદાશ્રી : હા, આવ્યું. પણ હવે ફરી વધારે વારેઘડીએ જુદો થાય એટલે ડિપ્રેશન બંધ થઈ જાય. પ્રશ્નકર્તા: પછી એક વખત ડિપ્રેશન પરિણામ થાય નહીં. દાદાશ્રી : પછી એક વખત થાય નહીં, પણ છતાં હમણા એ તો પાંચ-સાત-દશ વખતેય આવી જાય. પ્રશ્નકર્તા : પણ એ આવી જાય તે વખતે જાગૃતિ ચૂક્યા જેવું કહેવાય ? - દાદાશ્રી : ના, એવું કંઈ ચૂકે નહીં. એ પરિણામ છે પહેલાનું. આ અમે કોઈ ફેરો કહીએ, ‘તને આ નથી આવડતું. એટલે પેલી બાજુથી એણે ઊઠીને શુદ્ધાત્મા થઈ જઈને આ ચંદુલાલને જોવા. અને ઊલટું આપણે ચંદુલાલને કહેવા લાગવું કે “તારામાં કશી બરકત નથી, આવડત નથી.” પ્રશ્નકર્તા ઃ હવે એ જે સાંભળતી ઘડીએ જો આ વાક્ય રહેને, તો ડિપ્રેશનની અસર નથી હોતી. દાદાશ્રી : હા, આપણે કહીએ કે ‘તમારામાં બરકત જ નથી. આ લોકો ખરું કહે છે, હું તો અનુભવું છું, પણ આ લોકોએ કહ્યુંને, જો ઊઘાડું પડી ગયુંને ! આમાં શું સ્વાદ કાઢ્યો તમે ?” એવું કહેવું આપણે ચંદુભાઈને. પણ તમે એવું કહેતાં નથીને ? પ્રશ્નકર્તા : તે અત્યારે આપની પાસે સાંભળ્યું એટલે હવે એવું લાગ્યું કે કહેવું જોઈએ. દાદાશ્રી : અને કહો તો સારું, રાગે પડી જાયને ! આમને તો બહુ વખતથી શીખવાડું છું. પણ એ તો કહે છે મારું જે પદ છે એ હું જાણું છું. તમને શું ખબર પડે આમાં ?(!) ડિપ્રેશન આવે તો ભલે આવે. મેં કહ્યું, “શેનું ડિપ્રેશન આવ્યું છે ?” આ બધાં મને કહે છે, તેનું ડિપ્રેશન
SR No.008836
Book TitleAptavani 12 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages251
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy