________________
આપ્તવાણી-૧૧
દાદાશ્રી : એ તો એટલું બધું સજ્જડ થાય ત્યારે સજ્જડ જ્ઞાન. જે જ્ઞાન અનુભવ જ્ઞાન એને રહ્યા કરતું હોય.
પ્રશ્નકર્તા : તો પછી એ કોઈ પણ પ્રકારના ભાવ ન કરે.
૯૬
દાદાશ્રી : બંધ થઈ જાય અનુભવ જ્ઞાન એટલે શું કે ‘આ નથી કામનું. આ આમાં કશામાં સુખ નથી.' ત્યારથી છૂટ્યો એટલાથી. આમ મુક્ત થતો થતો જ આવે છે. અને મુક્ત થઈ રહ્યો છે.
આ વાત અજ્ઞાનીને લાગુ પડે. આપણને અહીંયા લાગુ પડતી નથી. આપણે તો અહીં પાંચ આજ્ઞા. એથી આગળ કશું વસ્તુ જાણવાની જ નથી. બહારના માટે આ વાતો છે.
܀܀܀܀܀