SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૧ પ્રશ્નકર્તા : આજ્ઞા પાળે તો ય દુઃખ, ને ન પાળે તો ય દુ:ખ. દાદાશ્રી : પાળે તો દુઃખ નથી, પાળે તો ફાયદો. ના પાળે તો ભય, જોખમ ? બે-ત્રણ અવતાર વધારે થાય. જ્ઞાતાતિથી ભસ્મીભૂત પ્રકૃતિ ! પ્રશ્નકર્તા : આ જે ટેપ ઉતરી તે બેધ્યાનપણું ખરુંને, તો ચાર્જ કહેવાય ને ? દાદાશ્રી : કર્તાપદ છે કે હું આ કરું છું'. એટલે કર્તા નથી પોતે, છતાં કર્તાનો આરોપ કરે છે, માટે એ ચાર્જ થાય છે. નહીં તો ચાર્જ ના થાય. ફિલ્મો તો પડ્યા કરે, ફિલ્મોની કંઈ કિંમત નથી એટલી બધી. ચાર્જ થાય એટલે ફિલ્મો ભોગવવી જ પડે અને પેલી તો ફિલ્મો ભોગવાય નહીં ને એમ ને એમ પડી રહે. પ્રશ્નકર્તા : અને મહત્વની ના હોય ! દાદાશ્રી : હા. આપણે આ જે ડિસ્ચાર્જ થાય છેને, એ ચાર્જ થયેલું આપ્તવાણી-૧૧ દાદાશ્રી : તે કરે છેને ડહાપણ ડહાપણ કરે છે એટલે બધાને સુખ આવતું બંધ થઈ જાય. જે સુખ આવવું જોઈએ એ ના આવે. પ્રશ્નકર્તા : એટલે સુખ રોક્યું ? દાદાશ્રી : સુખ રોકાઈ જાય. બાકી ચાર્જ તો ‘હું કરું છું” તો જ થાય. નહીં તો તો ચાર્જ ના થાય. હવે તમને ‘હું કરું છું' નથીને ? તો પછી ચાર્જ નહીં થવાનું ! પ્રશ્નકર્તા : હવે પ્રકૃતિ જે એનું કામ કર્યા કરે છે, તે કયું કામ ? ગલન થવાનું ને ? દાદાશ્રી : હા, ગલનનું. પ્રશ્નકર્તા : ગલનનું જ કામ. અને એ જ ગલન થયા કરતું હોય એની અંદર જો ડખોડખલ ના કરીએ તો પ્રકૃતિ એની મેળે બધી વિસર્જન થઈ જાય છે. દાદાશ્રી : એ ડખોડખલ ના હોય તો ! અને પુરણ થાય તો પછી ઠેઠ સુધી ચાલ્યા કરે. એટલે આપણે કઈ જાતની પ્રકૃતિ ઓછી થઈ જાય છે આ? કો'કને એમ લાગે છે કે પ્રકૃતિ હવે ઓછી થઈ ગઈ દાદાની જોડે રહેવાથી. પણ પેલું પુરણ થતી હતી ને તે બંધ થઈ ગઈ. ગલન તો છોડે નહીં ને ? એની પ્રકૃતિનો અમુક ભાગ તો અમે ભસ્મિભૂત કરી નાખીએ, પાણી અને વરાળરૂપે જે ભાગ છે તે. અને જે સન્મુખ થયા હતા ફળ આપવા માટે, જે બરફરૂપે હતા તે આ એકલા રહ્યા. નહીં તો પ્રકૃતિ ઉત્પન્ન ના થાય ને ! આ જ્ઞાન આપીએ છીએ તે ઘડીએ બધો ફેરફાર થઈ જાય. પ્રશ્નકર્તા : તો પછી આપ જે કહો છો તેનું એવી રીતે સમજાય છે કે આપે જે જ્ઞાન આપ્યું, એ જ્ઞાન આપ્યા પછીથી હવે કશું જ કરવાનું નથી, માત્ર પ્રકૃતિ જે હવે ગળ્યા કરે છે તે ‘જોયા કરો. દાદાશ્રી : ‘જોયા’ કરો. પણ તે હવે કશું કરવાનું નથી, છતાં પ્રશ્નકર્તા : એ ડિસ્ચાર્જ સ્વભાવિક રીતે થતું જ હોય છે, તેમાં સહેજ પણ ડખલ કરવા ગયો કે ચાર્જ થાય. દાદાશ્રી : ના. ચાર્જ ક્યારે થાય ? ‘હું કર્તા છું” થાય તો જ ચાર્જ. પ્રશ્નકર્તા ઃ હા, તે એ ડખલ કરી, એટલે હું કર્તા થયોને ? દાદાશ્રી : ના. ડખલ તે એમ ને એમ અણસમજણથી કરે, અણસમજણ એટલે વાત ના સમજણ પડે તો. પણ ‘કર્તા છું' ભાન ના હોયને ! એટલે આ તો ફક્ત એને સુખ ના આવે. પ્રશ્નકર્તા : નિર્જરા થતી હોય તે વખતે જો ડહાપણ કરવા જાય તો સુખ આવરાય ?
SR No.008835
Book TitleAptavani 11 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages155
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy