________________
આપ્તવાણી-૧૧
પ્રકૃતિના ભાગ જુદી જુદી જાતના હોય. પ્રકૃતિ એતો આ નળ હોય પાણીનો નળ, અરધા ઇંચનો પાઈપ હોય તો આંગળી ધરીએ તો જીરવી શકે. પણ કોઈના કર્મ વધારે હોય તો દોઢ ઇંચનો હોય તો આંગળી ખસી જાય, ખસી જાય એટલે પ્રકૃતિ ખપી ના કહેવાય. પ્રકૃતિ ઊભી રહી અને એ ટાઈમ ગયો એટલે ફરી ખપાવવી રહી.
પ્રશ્નકર્તા: પણ આપ જે જ્ઞાન આપો છો તે વખતે જે આ લક્ષ બેસાડી દો છો. એ લક્ષ બેસાડી દીધા પછીથી તો માત્ર પ્રકૃતિ જ રહી ને !
આપ્તવાણી-૧૧ બેસીએ છીએ, પછી એની મહીં સૂઈ ગયા, એ કંઈ તપાસ કરે છે કે નીચે કેટલાં ચકરડાં ચાલે છે ? કેટલી સ્પ્રીંગો ખચાક ખચાક કર્યા કરે છે ? ભઈ સૂઈ ગયા છે નિરાંતે, લે ! એવી રીતે આ ડિસ્ચાર્જ છે. આ ડિસ્ચાર્જ છે તે એની મેળે ચાલ્યા જ કરશે. સૂઈ જાય તો ય ચાલ્યા કરે. તો જાગતો રહે તો, ‘કેવી રીતે ચાલે ?” એનો ડખો કર્યા કરે ! નહીં તો ગાડીમાં સૂઈ જાય તો નીચે કેટલા ચકરડાં ચકર ચકર ચાલ્યા કરે એની ખબરે ય છે ? રાતે એ તો નિરાંતે ઊંઘી જાય છે બસ !
આમાં અમે જે જે કરીએ ને, તેમાં અમારું કર્તાપણું ના હોય પાછું, એ પૂર્વથી લઈને આવેલા એવું એટલે અમારું ડિસ્ચાર્જ જ આ બધું કર્યા કરે. કર્તાભાવ હોય તો ડહાપણ કરું અત્યારે કે મેં કર્યું આ. અમારું કર્તાપણું ના હોય. ડિસ્ચાર્જ જ એવું લઈને આવેલા કે બધું આમ ચાલ્યા કરે ને ઓછું થયા કરે.
અનંત અવતારતું ઉપાદાત...
દાદાશ્રી : હા. બીજું કશું જ રહ્યું નથી.
પ્રશ્નકર્તા : હવે જે પ્રકૃતિ રહી એ પ્રકૃતિનો સ્વભાવ જ એવો છે કે સહજપણે એ ગળ્યા કરે છે.
દાદાશ્રી : બસ, હવે એ વહ્યા જ કરે છે.
પ્રશ્નકર્તા : ત્યારે હવે આપ આધાર અમને જે આપો છો તે પાંચ આજ્ઞાનો આધાર આપો છો.
દાદાશ્રી : પાંચ આજ્ઞાનો આધાર એટલા માટે આપીએ છીએ કે તમારે હવે બહારની અસરો ન થાય. એટલે પ્રોટેક્શન છે એ !
પ્રશ્નકર્તા : એટલે અંદરથી તો કોઈ હવે અડચણ કરનારું રહ્યું જ
નથી.
દાદાશ્રી : હા. કોઈ રહ્યું જ નથી. પ્રશ્નકર્તા : અને આ બહારની અડચણો જે ન થાય તેને માટે..
દાદાશ્રી : બહાર કલીયરન્સ રહે એટલા માટે પાંચ આશા છે. કારણ કે બહાર આખું જગત જયાં જુઓ ત્યા કુસંગ હશે. એટલે કુસંગની અસર ઝેર, પોઈઝન ન થાય, એટલા માટે આ પાંચ આજ્ઞા છે.
એટલે ડિસ્ચાર્જ એની મેળે ચાલ્યા કરે. આ તો ચલાવા જાય, પછી એના માલિક થાય, ને માલિક થયા એટલે માર ખાવ. આપણે ગાડીમાં
પ્રશ્નકર્તા : આ જીવનનું વહન છે, જીવન જેમ ચાલી રહ્યું છે આપણું, એ ડિસ્ચાર્જ ભાવ છે, એ બરોબર છે, પહેલાનું પરિણામ છે. તો હવે એની અંદર સૂઝ જે છે એ શું કામ કરે છે ?
દાદાશ્રી : અટકોને ત્યારે સૂઝ પડે તો કામ થઈ જાય.
પ્રશ્નકર્તા : પણ જીવનને ઊંચે લઈ જવામાં કે જીવનને નીચું લઈ જવામાં...
દાદાશ્રી : ઊંચે કે નીચે લઈ જવામાં સૂઝ, એ બેઉ જગ્યાએ કામ લાગે છે.
પ્રશ્નકર્તા : બન્નેમાં કામ કરે ખરી ?
દાદાશ્રી : અજવાળું છેને એક જાતનું ! એ તો પછી માણસ ગૂંચાય ને, એટલે પછી આમ કરીને બેસી રહે થોડીવાર. પછી એને સૂઝ પડી જાય તે ઘડીએ, ત્યારે કામ ચાલુ થઈ જાય.