________________
આપ્તવાણી-૧૧ સલામત, સબ સલામત !
છૂટે કર્તાભાવ તો બંધ બાહિરાભાવા !
પ્રશ્નકર્તા : એટલે બાહિરાભાવ બંધ ક્યારે થાય તો પછી ? સંજોગ ઊભો થાય છે એ બહિરભાવને આધારે છે. તો સંજોગો જ ના ભેગા થાય એવો બહિરભાવ બંધ ક્યારે થાય ?
દાદાશ્રી : કરી આપ્યો છે મેં બધાને બંધ ! જુઓને તો ય કહે છે, ક્યારે બંધ થાય ?!
પ્રશ્નકર્તા એટલે આત્માનું ભાન થાય તો જ બંધ થાય ને ?
દાદાશ્રી : બંધ કરી આપ્યા મેં તમને ! કોઝિઝ બંધ કર્યા પછી તમારા બંધ થઈ ગયા છે.
: ખરેખર આમ પ્રશ્ન પૂછે કોઈ, તો એનો શું જવાબ હોય ? બહિરભાવ બંધ કેવી રીતે થાય ? સ્વભાવ જાણે તો બહિરભાવ બંધ થાય ?
દાદાશ્રી : કર્તાભાવ છૂટી જાય ત્યારે બાહિરાભાવો બંધ થાય ! સંયોગ એ પરિણામ તે ોય એ સ્વભાવિક !
આપ્તવાણી-૧૧ છે, કરેલાનું એ પરિણામ છે ને શેય સ્વભાવિક છે
અમે તમને એ કહીએ છીએ કે સંજોગ માત્ર શૈય છે. કડવો-મીઠો સંજોગ આવે તેને જોય તરીકે જોયા કરો તેથી કડવો-મીઠો નહીં લાગે. એટલે પેલાનો રસ તમને અસર કરશે નહીં. માટે શૈય તરીકે જોયા કરો. ગાળો દીધી કોઈ પણ માણસે. એ ગાળ દીધી એ સંજોગ કહેવાય. કે ‘ચંદુભાઈએ મારું આ બધું બગાડયું, આ નુકસાન કર્યું.’ હવે એ શબ્દ સંજોગ તમને થયો. તો પછી તમે વિચાર કરો કે આ સંજોગ મને કેમ ભેગો થયો? ત્યારે કહે છે બાહિરાભાવના આધારે, એટલે બાહ્ય ભાવ જે કરેલો કે આ ભાઈ આવો છે ને તેમ છે ને એમ તેમ કર્યા. એટલે એ બાહિરાભાવનું ફળ પાછું સંજોગ ઊભો થયો. હવે તે ઘડીએ અમે શું કહીએ છીએ કે સંજોગ માત્ર શેય સ્વરૂપ છે. તો જો તમે શેય તરીકે જુઓ તો પેલાની અસર ધોવાઈ જાય બાહીરાભાવની, અને જો તમે એમ જ જુઓ કે આ ભાઈએ મને કહ્યું તો તમે તન્મયાકાર થયા !
પ્રશ્નકર્તા : હા, તો એ સંજોગને ય તરીકે જ જોવો.
દાદાશ્રી : અને ખરેખર શેય છે. પણ કોઈ માણસ એમ કહે કે સંજોગ અને શેય એક જ છે ? તો તે ના કહેવાય અને આમ કહેવું પડે કે એક છે, કારણ કે એનું સ્થિર થવા માટે. પણ કાયદેસર નથી ને ! મૂળ ભાષામાં તો કહેવું પડે કે શેય છે તે વીતરાગભાવથી છે અને સંયોગ રાગ ભાવથી છે. સંયોગ કર્મના ઉદયના પરિણામથી છે. એટલે મૂળ સંયોગ એટલે આ સંયોગ ભાવ છે.
આપણે એની જોડે કંઈ પણ રાગ કે દ્વેષ કર્યો છે. તેનું પરિણામ છે અને શેયમાં, શેય સ્વભાવિક હોય.
આ અરિસો જો જીવતો હોય ને તે બધું જોય તરીકે દેખાય એમાં. પ્રશ્નકર્તા : હા, એ બધાને જુએ શેય તરીકે.
દાદાશ્રી : એવી રીતે એ આત્મા પોતે જુએ છે, ય તરીકે જુએ છે. ફક્ત આ જીવતો નથી અને આ જીવતો છે એટલું જ ફેર છે.
પ્રશ્નકર્તા : સંયોગને આધારે જ શેય છે કે ?
દાદાશ્રી : ના, સંયોગ એ જ જોય છે. પણ આ સંજોગોથી દુઃખ ઊભું થયું છે. બાકી દુઃખ આત્માને હોય જ કેમ ? જોયથી દુ:ખ નથી, સંજોગથી દુઃખ છે.
સંજોગ અને શેયમાં ફેર એટલો જ છે કે સંજોગ દુઃખદાયી લાગે છે ને શેય દુઃખદાયી નથી.
સંજોગ એ બાહ્યભાવનું ફળ છે તેથી કડવું કે મીઠું હોય ને શેયને કશું નથી. શેય આધીન ભાવ નથી, સ્વભાવિક છે. સંયોગ એ પરિણામ