SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૧ રહેવું છે, ઊંઘવું નથી, એવો ભાવ કરે ને પછી ! તો એવું ફળ આવે ! દાદાશ્રી : જાણ્યા પછી ભાવ થાય જ ને ! ભાવ થાય એટલે આવે આપ્તવાણી-૧૧ ૪૭ દાદાશ્રી : શું થાય છે એ તારો બંધભાવ. બઈએ ધોલ મારી એ તારો બંધભાવ જોઈ લે. કેવો સરસ છે ? પ્રશ્નકર્તા : એમાં બહિરભાવ શું હોય છે ? દાદાશ્રી : ભાવ કરેલો. પ્રશ્નકર્તા : પણ કયો ભાવ ? દાદાશ્રી : બઈનો ગમે એવો સ્વભાવ હશે, પણ મને વાંધો નથી. પણ તે મારે એને જ પૈણવું છે. પ્રશ્નકર્તા : તો આમાંથી એને આ સંજોગ ભેગો થયો, હવે એમાંથી એને પાછો છૂટકારો લેવો હોય, તો કયો ભાવ ગોઠવે ? દાદાશ્રી : એનો છૂટકારો હોય જ નહીં, એ તો છૂટકારો એની મેળે આવે તો જોઈ લેવાનો. અને ના આવે તો ચલાવી લેવાનો. ‘શેષા મે બાહિરાભાવા' એવું જો સમજ્યા હોય ને, હું કહું છું એવી રીતે સમજ્યા હોત તો તો આખું જગત બંધ થઈ જાત. સમજણ પડે નહીં ને, કાયદેસર. પછી કહેશે, “જો હવે મારે તો આ વહુ સામી થાય છે. ત્યારે પાડોશીને પૂછીએ કે ‘ભઈ કેમ ?” તો “ખોટું કહેવાય.' બધા ય કહે. ત્યારે ભગવાન શું કહે, ‘મૂઆ, તારા બાહ્યભાવ આ તો.’ આવું કેવું બોલો છો !' ત્યાં ફરિયાદ કેમ કરી ? ઊલટું ફરિયાદ કરી તે ય જોખમદારી વધી. બાહ્યભાવ સિવાય આવું મળે ક્યાંથી તે ! હરેક વસ્તુ છે આ જગતમાં જેવી જોઈએ એવી સ્ત્રીઓ છે, અક્કરમીના હિસાબે આવી મળી આવે છે. પ્રશ્નકર્તા: મળવી, એ પણ બાહિરાભાવમાં જ જાય ને ! આ વિચારો પણ બાહિરાભાવ ! અને વર્તન પણ બાહિરાભાવ. દાદાશ્રી : હા. તમે હિસાબ કાઢ્યોને, બરોબર. પ્રશ્નકર્તા : એટલે એ બહિરભાવ આવો કરેલો. પણ હવે પેલું જાણ્યું ને કે આ ઊંઘ વસ્તુ તો આત્માના સુખને આવરે છે, એટલે પછી હવે જાગ્રત જ પ્રશ્નકર્તા એ બહિરભાવના આધારે સંજોગ હોય છે. તો સંજોગોના આધારે નવા બહિરભાવ હોય એવું બને ને ? દાદાશ્રી : એ નવા. આમ છોકરો મારે મૂઓ એના બાપને. ‘બાપને તો મરાતું હશે ?” લોકોને પૂછે ત્યારે લોક કહેશે “ના, ના, ના.” એટલે પછી આ સ્વીકારે, દીકરાની ભૂલ છે. ભૂલ છે એટલે પછી નક્કી કરે કે હવે તો મારી નાખવો જ જોઈએ આવું જ્યારે છોકરી કરે ત્યારે. તો પછી એવા ભાવ કરીને પછી ત્યાં આગળ જ્યારે છોકરો જન્મે ને પછી છોકરાને મારી નાખે મૂઓ, અને પછી જેલમાં જાય પાછો ! પ્રશ્નકર્તા : એટલે બાપા ભાવ કરે છે કે છોકરાને મારી નાખવો જોઈએ ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા: તો પછી એ આ ભવમાં એવું કરે કે આવતા ભવમાં ? આ ભવમાં જ મારી નાખે એને ? દાદાશ્રી : એ આ ભવમાં નહીં. નવો ભાવ કર્યો એટલે આવતા ભવમાં. એ ફરી એ બાહિરાભાવા નવી જાતના થાય. આ અમે ફોડ પાડ્યો, મોક્ષ માર્ગ આખો ઉઘાડો કરી આપ્યો, નહીં તો જડશે નહીં. છોકરો મારે એટલે બધા ય લોકો આવીને કહે કે “ના, ખોટું કરે છે, પેલું છોકરું.’ એટલે પેલાને દ્રઢ થઈ જાય કે છોકરો જ ખોટું કરે છે. મૂઆ તારા જ બાહિરાભાવા ! ક્યાંથી ભેગો થયો તને ? “છોકરો તોફાની હશે તો કશો વાંધો નહીં, જરા ચાલશે, પણ મારે છોકરો હવે આ જ જોઈએ છે.” એ ભાવ છે, તેથી આવો છોકરો ભેગો થયો.
SR No.008835
Book TitleAptavani 11 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages155
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy