________________
૪૨
આપ્તવાણી-૧૧
જાય. એ પોઈઝન ફાકી ને નવરાશ !
એગો મે શાષઓ અપ્પા....
(3) બાહિરાભાવા સંજોગ લક્ષણ !
કારણ સંયોગોતા મિલકતું !
પ્રશ્નકર્તા : મને પ્રશ્ન શું હતો કે સંયોગો આપણે કહ્યું ને, સંયોગો ભેગા થાય અને વૈજ્ઞાનિક રીતે આ બધું ચાલે છે. પણ સંયોગોની પાછળ કોઝ ખરું કે નહીં કોઈ ?
પ્રશ્નકર્તા: તો મારા સંજોગ સારા નથી, એમાં સંયોગ અને મારું, એ બેનો સંબંધ શું ?
દાદાશ્રી : કશું ય નહીં. પોતાનાં માની બેઠો છે, એટલું જ છે. પ્રશ્નકર્તા : બાકી એ સંજોગો જ છે. દાદાશ્રી : હા, બધા ય સંજોગો જ છે. પ્રશ્નકર્તા : તો પછી શુદ્ધાત્મા ને સંયોગો બે જ રહ્યું.
દાદાશ્રી : હા, બસ. શુદ્ધાત્મા અને આ બધા સંયોગો જ છે. તેથી મહાવીર ભગવાને કહ્યું,
એગો મે શાષઓ અપ્પા, નાણદંશણ સંજૂઓ; શેષા મે બાહિરાભાવા, સર્વે સંજોગ લખણો. સંજોગ મુલા જીવેણ, પત્તા દુખે પરંપરા; તહા સંજોગ સંબંધમ્, સવમ્ તિવિહેણ વોસિરામિ.
સંયોગો મારા હોય અને હું જ્ઞાતા-દ્રષ્ટા છું, જ્ઞાયક છું' કહ્યું કે સંયોગો વોસરાવી દીધા.
કોઈ પણ સંજોગ એમ ને એમ બનતો નથી. પોતાના બાહિરાભાવનું ફળ છે. એટલે સંયોગ થયો ત્યાં એડજસ્ટ થઈ જાવને !
પ્રશ્નકર્તા : એ બાહ્યભાવો જે છે તે બધા પેલા ભવના ?
દાદાશ્રી : બાહિરાભાવ માત્ર પરભવનો હોય. પરભવનો ને પરભાવના હોય, આત્મભાવના નહીં. પુદ્ગલના ભાવ એટલે પરભાવ. આપણે એકલું પુદ્ગલભાવ કહોને, પેલું તો ગૂંચાય પાછું. પુદ્ગલ સિવાય બીજા ક્યા ભાવો ઉત્પન્ન થવાના છે ! અને આત્મભાવ આવે તો તો કામ થઈ ગયું !
દાદાશ્રી : હા. એ ભેગા થવાની પાછળ આપણે જે ભાવકર્મ ક્યાં છે ને, આપણે જે કર્મ કયાં છે ને, તે એ કોઝ છે એનું, અને આ એનાથી આ બધા ભેગા થાય છે.
ભાવ એટલે અત્યારે આ “જ્ઞાન” ના હોય ત્યારે તને કોઈ દૈડકાવે, તો તને મહીં અંદર ભાવ તો ઉત્પન્ન થાયને, પોલીસવાળા ટૈડકાવે તો મોંઢે બોલું નહીં, પણ અંદર ભાવ થાયને કે સાલો બહુ ખરાબ છે, નાલાયક છે. એ ત્યાં આગળ જાય ફીડ તરીકે અને પછી એનું આ સંજોગ બધા ભેગા થઈને ફળ મળે. મરવાના ભાવ કર્યા હોય આપણે, એનું ફળ શું આવે ? કે આપણને એવા સંજોગો ઊભા થાય કે મરવાની બધી ઇચ્છા થઈ જાય. અને પોઈઝનની શીશી તરત મળી જાય હઉ પાછી. ભેગી થઈ