________________
૩૯
૪૦
આપ્તવાણી-૧૧ નથી. ઉપાધિ આવી હોય તો ‘વ્યવસ્થિત’ કહીશું એટલે ચૂપ થઈ જાય. પછી રહ્યું શું ? આપણે આપણું, આત્માનું જ કરવાનું છે !
આપ્તવાણી-૧૧
હવે એ ઊંઘતો હોય તો ? સવારમાં ઠીકરાં દૂર નાખી આવે, તો ચાલે કે ના ચાલે ?
પ્રશ્નકર્તા : ચાલે, ખબર ના પડે. દાદાશ્રી : અને જો એ મરેલો હોય તો. પ્રશ્નકર્તા : મરેલો હોત તો પછી કાંઈ એને રહ્યું જ નહીં ને !
દાદાશ્રી : અને મરેલો થઈને જીવતો હોય તો? મર્યા પછી જીવે તે ?
પ્રશ્નકર્તા : એ તો જ્ઞાની, અમર થઈ ગયો.
દાદાશ્રી : મર્યા પછી જીવતો હોય, તે જુએ-જાણે, બસ એટલું જ. પછી મમતાથી મરી ગયો. તમને મારીને જીવતાં કર્યા છે મેં ! સમજાયું ને ?!
કહેવાય અગાઉથી “વ્યવસ્થિત છે' !
જગત તો વ્યવસ્થિત છે. પણ માણસોનું એટલું ગજું નથી કે ‘વ્યવસ્થિત છે” બોલી શકે. ‘વ્યવસ્થિત’ અમે બોલી શકીએ, અમે ગમે તે આગળથી બોલીએ. કારણ કે અમે જાણીએ છીએ કે વ્યવસ્થિતમાં કયાં
ક્યાં છે તે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. તે આ શરીરમન-વાણી બધું એમાં એવિડન્સ છે. તે લોકો તો પોતે “હું છું’ એમ માને એટલે પેલું વ્યવસ્થિત બગાડે છે. જ્ઞાતા રહીને શુદ્ધાત્મા તરીકે જોનાર, ચંદુભાઈ શું કરે છે એ જાણે તે વ્યવસ્થિત બોલી શકે. કારણ કે વ્યવસ્થિત એટલે ચંદુભાઈ સાથે હોય બધું ય. આ તો પોતે મનમાં એમ કહે કે સવારમાં જે થવાનું હશે એ થશે, જોઈ લેવાશે, એવું ના થાય વ્યવસ્થિત. વ્યવસ્થિતનો દુરુપયોગ કરવો એ ભયંકર ગુનો છે અને એક્કેક્ટ, વ્યવસ્થિત જ છે !
આપણું ‘વ્યવસ્થિત’નું જ્ઞાન બીજું કશું ઉપાધિ કરાવડાવે એવું