SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ આપ્તવાણી-૧૧ વ્યવસ્થિતથી વિરમે વેર ! પ્રશ્નકર્તા : વ્યવહારમાં અત્યારે કોઈને માટે કંઈ આમ સહેજ વેરભાવ જેવું પણ ઊભું થાય, પણ તરત જ પાછું વ્યવસ્થિત અને સમભાવે ફાઈલોનો નિકાલ આવી જાય. એટલે પેલું ઉડી જાય તરત જ. દાદાશ્રી : એ બરોબર છે. પ્રશ્નકર્તા : જે સમકિતનું પ્રાપ્ત થયું છે, એમાં કંઈ આઘુંપાછું નહીં થઈ જાયને ? એવો પ્રશ્ન ઊભો થાય, છતાં અંદર આઘુંપાછું થશે એવી એ શંકા નથી. આપ્તવાણી-૧૧ ૨૦૫ ‘વ્યવસ્થિત’ ચલાવે છે એ જોયા કર, બસ. આટલું જ વિજ્ઞાન છે આપણું. આ ‘વ્યવસ્થિત' જે ચલાવે છે, ‘ચંદુભાઈને, તે ‘તું જોયા કર. એટલું જ કહીએ છીએને તમને ! પ્રશ્નકર્તા : વ્યવસ્થિત ઉપર બધું નાખી દેવાનું હોય, તો પછી આપણે કરવાનું કશું રહે જ નહીં ને ? દાદાશ્રી : તમારે કશું કરવાનું જ નથી. તમારે જોયા કરવાનું. ચંદુભાઈ શું કરે છે ? ચંદુભાઈને કરવાનું રહે છે. તમારે કશું કરવાનું નથી. તે ચંદુભાઈ તો વ્યવસ્થિતનાં તાબામાં કર્યા કરશે. જેમ વ્યવસ્થિત સમજણ પાડશે ને, એવું કર્યા કરશે. એટલે તમારે તો જોયા કરવાનું. ચંદુભાઈ શું કર્યા કરે છે', એ જોયા કરવાનું. એ ફાવે કે ના ફાવે એ? ચંદુભાઈના ઉપરી થવાનું ફાવશે તમને ? પ્રશ્નકર્તા શુદ્ધાત્મા તો એ જ ને, જોયા કરવાનું છે એ જ ને ? દાદાશ્રી : હા, જોયા જ કરવાનું, નહીં તો ય કશું વળવાનું નથી. અમથું આડાઅવળી થશે ને તો ય કશું વળે નહીં. અને આ ડખળામણ ઊભી થાય છે. હવે ચંદુભાઈની પાસે કંઈક કામ થઈ જાય, તો કરનાર કોણ ? વ્યવસ્થિત. ‘વ્યવસ્થિત' પ્રેરણા કરે અને ચંદુભાઈ બધું કામ કર્યા કરે, તમારે જ્ઞાતાદ્રષ્ટા રહેવું. હવે, ચંદુભાઈથી કંઈ ખરાબ કામ થઈ ગયું. કોઈ જગ્યાએ તો તમને ગભરાટ ના રહેવો જોઈએ. કારણ કે એ તો વ્યવસ્થિત શક્તિએ કર્યું અને તમે તો શુદ્ધાત્મા છો. શુદ્ધ જ છો. હવે ફરી તમે લેપાયમાન થાવ જ નહીં, અસંગ જ છો ! શુદ્ધાત્મા શાથી મૂકવામાં આવ્યો છે ? કે તમે શુદ્ધ જ છો. હવે ગમે તે આવે. ચંદુભાઈથી કોઈ દોષ થઈ જાય. તો ય તમે શુદ્ધ જ છો. દોષ એ પૂર્વકર્મનો હિસાબ છે. હવે પોતાનો હિસાબ છે તો આપણે એનો નિકાલ કરી નાખવો. એ દોષથી સામાને દુ:ખ થયું હોય તો આપણે ચંદુભાઈને કહીએ ‘ભઈ, પશ્ચાતાપ કરો. પસ્તાવો લો.’ ‘ફરી નહીં કરું? એવો નિશ્ચય કરો. દાદાશ્રી : એ તો મોટું હઉ બગડી જાય, પણ તે પોતે જાણે કે મોટું બગડી ગયું છે. પ્રશ્નકર્તા : પહેલાં જે ચાર દિવસ સુધી જે પરિણામ ઊભા થતાં હતા તે હવે વ્યવસ્થિતને તાબે સોંપી દીધું છે. સમભાવે ફાઈલનો નિકાલ કરવો છે, એટલે એક-બે મિનિટ પેલું ઊભું થાય, પણ તરત જ પાછું શમી જાય. દાદાશ્રી : આ વ્યવસ્થિત જ છે એકઝેક્ટ. મન-વચન-કાયાના જે પણ કોઈ પરિણામ થાય, તો એ વ્યવસ્થિત છે એને જોવાનું ફક્ત. પ્રશ્નકર્તા : એટલે આ જે વ્યવસ્થિતની દ્રષ્ટિ છે, એટલે પોતાનાં મન-વચન-કાયા ગમે તે કરે, ત્યાં પણ વ્યવસ્થિતની જાગૃતિમાં રહેવાનું. અને સામાના મન-વચન-કાયા ગમે તે કરે, ત્યાં પણ એ જ જાગૃતિમાં રહેવાનું. એવું જ ને ! દાદાશ્રી : પુદ્ગલ પુદ્ગલનું કરે છે, આત્મા એ જોયા કરવાનું. ત્રણે ય કાળ “શુદ્ધાત્મા' તો છે શુદ્ધ જ ! કર્તાભાવ છૂટે તો જ શુદ્ધાત્માનું લક્ષ બેસે. આ તમને શુદ્ધાત્મા અમે આપ્યો છે તે ફર્સ્ટ સ્ટેપ છે. એની આગળ તો ઘણું છે. પછી
SR No.008835
Book TitleAptavani 11 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages155
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy