________________
૨૦૮
આપ્તવાણી-૧૧ આ શું થઈ ગયું છે, તે આ અજ્ઞાનતાથી કરેલાં, તેનું આ ફળ આવ્યું છે. હવે ‘તારે' કશું લેવાદેવા નથી આજ. અને એકઝેક્ટ વ્યવસ્થિત છે. ગમે તેવું કાર્ય કર્યું હોય ને, એનું ફળ ભયંકર ખરાબ આવ્યું હોય, તો પ્રતિક્રમણ કરવા જેવું નથી, વ્યવસ્થિતમાં રહેતો હોય તો વાંધો શો
આપ્તવાણી-૧૧
૨૦૭ શુદ્ધાત્માનું સ્વરૂપ એના ગુણ સાથે પ્રગટ થાય.
શુદ્ધાત્મા એ કંઈ પરમાત્મા નથી. શુદ્ધાત્મા તો પરમાત્માના યાર્ડમાં આવેલું સ્થાન છે. તમને (મહાત્માને) શુદ્ધાત્મપદ કેમ આપવામાં આવ્યું છે ? તમે શુદ્ધાત્મા અને ચંદુભાઈ જે કંઈ પણ કરે છે તેના તમે રીસ્પોન્સિબલ નથી, એવી ખાતરી થાય. સારું કરો તેનો ય ડાઘ નથી પડતો ને ખોટું કરો તેનો ય ડાઘ નથી પડતો. કર્તાપદ જ મારું ન્હોય. એ શુદ્ધાત્માનું લક્ષ બેઠું કહેવાય.
અમે “જ્ઞાન” આપીએ છીએ ત્યારે તો બોલીએ છીએ કે ‘તું શુદ્ધાત્મા છું, એકઝેક્ટ ?” ત્યારે કહે, ‘હા, એકઝેક્ટ.' તો પણ આ શું રહ્યું ? એ તારું વ્યવસ્થિત, ચોખ્ખું કહી દીધું ને !
વ્યવસ્થિતનો અર્થ શો ? “ચંદુભાઈ શું કરે છે એ તારે જોયા જ કરવાનું, એ વ્યવસ્થિતનો અર્થ ! પછી ચંદુભાઈએ કો'કનું નુકસાન કર્યું બે લાખનું, તે ય ‘જોયા’ કરવાનું, “આપણે” એમાં નહી પડવાનું કે આવું કેમ કર્યું ? “આપણે” પ્રતિક્રમણે ય કરવાનું નહીં. આ તો પછી આ બધાને ના સમજણ પડે એટલે પછી પ્રતિક્રમણ ગોઠવેલું કે “ચંદુભાઈ પાસે પ્રતિક્રમણ કરાવજે.” વ્યવસ્થિત એટલે જે છે એ જ એકઝેક્ટ તું જોયા કર, એ જ છૂટા !
પ્રશ્નકર્તા: ચંદુભાઈને એમ રહેવું જોઈએ કે કોઈને પણ કિંચિત્માત્ર દુ:ખે ન થાય, એ ભાવ રહેવો જોઈએ.
પ્રશ્નકર્તા : એટલે પેલું કરેક્ટ છે કે મન-વચન-કાયા વ્યવસ્થિતના તાબામાં છે, અને તું તારામાં રહે.
દાદાશ્રી : આ ધીમું ધીમું આ તમારે ગોઠવવું. નહીં તો પેલું ઊંધી જગ્યાએ જયા કરે, એટલે જ્ઞાન એકઝેક્ટ ના રહે.
પ્રશ્નકર્તા ઃ એટલે મૂળ વસ્તુ આવી જ છે. દાદાશ્રી : ગમે તેવું ભયંકર હોય ને !
પ્રશ્નકર્તા : તો પણ મન-વચન-કાયા વ્યવસ્થિતને તાબે ગયા, એટલે પોતે કરનારો નથી. માટે જોખમદારી નહીં !
દાદાશ્રી : હવે કર્તા રહ્યો નથી પછી. તો પણ પેલા પક્ષમાં બેસવા જાય છે માટે જોખમ છે. એ પક્ષ જ છોડી દેવાનો, પછી એનો જ્ઞાતાદ્રષ્ટા થયો, એ દ્રશ્ય થાય અને જોય છે. જ્ઞાન દીવા જેવું છે કે નથી ? એ રહી શકાય એવું છે, તારો નિશ્ચય હોય તો !
વ્યવસ્થિતનું જ્ઞાન આપેલું અને એની સમજણ આપીએ છીએ. ખરેખર તે દહાડાથી જ મુક્ત થઈ ગયો છે.
પ્રશ્નકર્તા : એ જો વ્યવસ્થિતને પૂરેપૂરું માને તો.
દાદાશ્રી : એટલા માટે વ્યવસ્થિતનું જ્ઞાન આપેલું. કોઈ કહે, ‘અમારી જોખમદારી નહીં ?” ત્યારે કહે ‘ભાઈ, તારી જોખમદારી નહીં ! જા, અમારી જોખમદારી’, એવું કહીએ ને !
અક્રમ માર્ગમાં આપણે શુદ્ધાત્માપદ એમ ને એમ નથી આપતા. શુદ્ધ જ આપીએ છીએ અને આ વ્યવસ્થિત છે, બસ. રહ્યું શું હવે ?
દાદાશ્રી : એ ભાવે ય કશું ના રહે તો જરૂર નથી. આ તો મોક્ષ એટલે કશો ભાવ જ નહીં. કશામાં, પુદ્ગલમાં હાથ જ નહીં ઘાલવાનો એનું નામ વ્યવસ્થિત. વ્યવસ્થિતનો અર્થ એકઝેક્ટ કે આ જે બને છે એમાં તારું કર્તાપણું નથી, તારી કોઈ લેવાદેવા નથી. ગમે તેવું હોય તો ય ! પછી ‘ચંદુભાઈ ભયંકર કૃત્ય કરતો હોય, તો ‘મને શું થઈ જશે હવે ? એવું ના હોવું જોઈએ. એ ય ‘જોયા’ જ કરવાનું, એવું વ્યવસ્થિત આપેલું છે. જે ચંદુભાઈને થયું હોય એ જ જોયા કરવાનું. પછી એ જોયા કરે એ દ્રશ્ય અને પોતે દ્રષ્ટા. કાયમ આ વ્યવહાર ચાલ્યા કરે. પણ શું થાય, સમજણ ના પડે તો ? બીજા રસ્તા બતાડવા પડે. નહીં તો એકઝેક્ટ મોક્ષ આપેલો છે.