________________
આપ્તવાણી-૧૧
૧૯૯ અહીં અક્રમમાં પણ શું કરવાનું છે? લગામ છોડી દો આપણે તે, પાંચે ય ઘોડા એમ ને એમ એની મેળે જ ચાલ્યા કરે. ઘોડા ખીણમાં લઈ જતા હોય તો ય એ પોતે હસે. અને આ તો ઘોડા ખીણમાં જતા પહેલાં જ એ ખેંચ-ખેંચ કરે છે. અલ્યા, એના મોઢાં પરથી લોહી નીકળે છે, અક્કરમી છોડ ! આ ડ્રાયવરો કરતાં તો ઘોડા ડાહ્યા હોય છે. આ ડ્રાયવરો ચક્કરો . તે ઘોડાનું આ જડબું તોડી નાખે છે. ભગવાન મહાવીરે કહ્યું હતું કે આ પાંચ ઘોડા એવા છે, એટલા ડહાપણવાળા છે, ‘જુઓ” તમે લગામ છોડી તો જો જો ! તમને એ ખાડામાં નહીં પડે ને તમે તો અંધા, ખાડામાં ઘોડાને ય પાડો છો ને તમે ય પડો છો. આ લગામ હાથમાં લઈને ગાડી ઊંધી નાખે છે બધી !
પ્રશ્નકર્તા : એ પાંચ ઘોડા ક્યાં ?
દાદાશ્રી : એ તો બધાં જાણે ઓળખે, ઘોડાને તો બધાં ! બધું ઓળખી ગયેલા. કંઈ કાચી માયા નથી. પાંચ ઇન્દ્રિયો, પાંચ ઘોડા નથી ?
૨0
આપ્તવાણી-૧૧ કે આ ઘોડો ઊંધું નાખશે, ફલાણું નાખશે, તે સવારના પહોરમાં લગામ છોડી દેવી, તો તે દહાડે ઘોડા ઊંધું નહીં નાખે ને પહેલાં કરતા સારા ચાલશે. કારણ કે તમે જે હાંકો છોને, તે ઘોડાને લગામ ખેંચી ખેંચીને લોહી નીકળે છે. એટલે લગામ છોડી દેવી, ને આખો રવિવાર જુઓ તો ખબર પડશે કે ‘વ્યવસ્થિત' કેવું સુંદર ચલાવે છે. સવારના પહોરમાં નક્કી કરો કે આજ લગામ છૂટી.
પ્રશ્નકર્તા : ઊલટું અનુકૂળતા આવી જાય એવું થઈ જાય.
દાદાશ્રી : અરે, એવી અનુકૂળતા આવી જાય. લગામ છૂટી કરીને, તે ઘડીએ જોવાની બહુ મઝા આવે, ઘોડા કેમ ચાલે છે, કેમ નહીં ? આપણને દેખાય આ ખાડો આવ્યો છે. હવે ઘોડો શું કરે તે જોવાની મઝા આવે. ઘોડો ખાડામાં નાખે છે કે શું ? આપણને તો બે આંખો છે, જ્યારે ઘોડાને તો દસ આંખો છે, ઘોડા કંઈ ખાડામાં નાખતા હશે ? બહુ ડાહ્યા ઘોડા છે !
પ્રશ્નકર્તા : બરાબર.
પ્રશ્નકર્તા : પુરુષાર્થ ભાગ જે છે. એમાં સૂક્ષ્મ સમજનો ભાગ એ જ પુરુષાર્થ કહેવાય ? ઇન્દ્રિયોની લગામ છોડી દેવી તે આ એમાં આવી જાય ?
દાદાશ્રી : એટલે ભગવાન લગામ છોડીને બેઠા હતા.
લગામ છોડી દો !
પ્રશ્નકર્તા : સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો ને વાણીના સંયોગો જે આ પરિવર્તન થયા કરે છે, તે બધું હવે વ્યવસ્થિતના આધીન થઈ ગયું.
દાદાશ્રી : હા, વ્યવસ્થિતના આધીન થઈ ગયું.
પ્રશ્નકર્તા : એટલે હવે એ સંયોગો માટે પુરુષાર્થ જેવો વિચાર નહીં કરવો ?
દાદાશ્રી : ના, કશું ય નહીં. બધી ગોઠવણી જ વ્યવસ્થિત કરશે ને તમારે બહુ એવું લાગે ને, તો પુરુષાર્થ કરવામાં શું કરશો ? તો જે દહાડે રવિવાર હોયને, તો સવારના પહોરમાં લગામ છોડી દેવી. પાંચ ઇન્દ્રિયોની એટલે જે આ પાંચ ઘોડા જે દોડે છે, તે આપણા મનમાં એમ
દાદાશ્રી : તમે સવારે બોલો કે આજે ઇન્દ્રિયોના ઘોડાની લગામ છોડી દઈએ છીએ. એવું પાંચ વખત શુદ્ધ ભાવે બોલો. પછી એની મેળે લગામ છૂટેલી જુઓ તો ખરા, એક રવિવારનો દહાડો પસાર તો થવા દો ! આ તો “શું થઈ જશે, શું થઈ જશે !” અલ્યા, કશું ય નથી થવાનું ! તું તો ભગવાન છો. શું થઈ જવાનું છે ભગવાનને ! પોતાની જાતને એટલી હિંમત ના આવવી જોઈએ કે હું ભગવાન છું ! ‘દાદાએ મને ભગવાન પદ આપ્યું છે ! આવું જ્ઞાન છે. પછી ભગવાન થઈ ગયા છો, પણ હજુ એનો લાભ પૂરેપૂરો મળતો નથી. એનું શું કારણ ? કે આપણે એને અખતરારૂપે લેતાં જ નથી ને ! એ પદ વાપરતા જ નથી ને ! થોડું ઘણું એવું રહેતા હોય તો !
એક ભાઈ મને કહે છે, “આ વ્યવસ્થિત સમજાતું નથી બરોબર, થોડું સમજાયું પણ પૂર્ણ જેટલું સમજાતું નથી.” ત્યારે મેં કહ્યું, ‘રવિવારને