SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૧ પ્રશ્નકર્તા : જયાં હુંપણું આવ્યું ત્યાં કર્મ બંધાયું. દાદાશ્રી : હા અને ‘કર્તા કોણ છે” એ જાણવું પડે, એટલે પછી કર્મ ના બંધાય. અજ્ઞાતતામાં બાંધે પુણ્ય-પાપ, કર્મ ! આપ્તવાણી-૧૧ વળગે છે. ‘હવે પુણ્ય-પાપ બંધાવાનું, મૂળ કારણ શું ? એ ન બંધાય એવો કંઈક ઉપાય ખરો ?” ત્યારે કહે છે, ‘કર્તાપણું ન થાય તો પુણ્ય-પાપ ના બંધાય.’ ‘કર્તાપણું કેવી રીતે ના થાય ?” ત્યારે કહે છે, “જ્યાં સુધી અજ્ઞાન છે, ત્યાં સુધી હું કરું છું એ ભાન છે હવે ખરેખર કરે છે કોણ, એ જાણે તો કર્તાપણું ના થાય.” પુણ્ય-પાપની જે યોજના છે એ આ બધું કરે છે અને આપણે માનીએ છીએ. ‘મેં કર્યું’ નફો તો આપણને એ જ કરાવડાવે છે, પુણ્યના આધારે નફો આવે ત્યારે આપણે જાણીએ કે ઓહોહો, હું કમાયો અને જયારે પાપનાં આધીન થાય ત્યારે ખોટ જાય છે, ત્યારે ખબર પડે છે કે આ તો મારે આધીન નથી. પણ પાછો બીજે વખતે પોતાને આધીન થયું એટલે ભૂલી જાય છે, એટલે પાછો કર્તા થઈ જાય પ્રશ્નકર્તા : આપે જે કહ્યું ને વ્યવહારમાં અસર થઈ જાય છે તો ‘તમે ચંદુભાઈ છો', તે અત્યારે જે તબક્કે હું અહીંયા આવ્યો છું, આપ ‘જ્ઞાની છો' એવું જાણીને, હું આપની પાસેથી લેવા માટે આવ્યો છું. એટલે આ તબક્કે ‘હું ચંદુભાઈ નથી.’ દાદાશ્રી : અત્યારે ‘તમે ચંદુભાઈ નથી', ત્યારે અત્યારે યોનિમાં બીજે ય પડે નહીં. જ્યાં સુધી ‘તમે ચંદુભાઈ છો', ત્યાં સુધી યોનિમાં બીજ પડે. પ્રશ્નકર્તા : એ વાત બરાબર છે આપની. પણ સાથે સાથે મારું કહેવાનું છે કે પાપથી અને પુણ્યથી યોનિની પ્રાપ્તિ કેવી રીતે થાય છે કે બન્નેનું મિશ્રણ થાય, તો કઈ યોનિમાં આપણો જન્મ થાય ? દાદાશ્રી : જન્મને, પાપ અને પુણ્યને લેવાદેવા નથી. જન્મ થયાં પછી પાપ-પુણ્ય એને ફળ આપનારું છે. યોનિ શેનાં આધારે થાય છે ? કે, ‘હું ચંદુભાઈ જ છું અને આ મેં કર્યું,’ એમ બોલેને તેની સાથે યોનિમાં બીજ પડયું. હવે કર્તાપણું કેમ છે ? ત્યારે કહે, ‘કરે છે બીજો, પરશક્તિ કામ કરી રહી છે અને પોતે એમ માને છે કે હું કરું છું.’ પરશક્તિનો પ્રત્યક્ષ પુરાવો શો ? ત્યારે કહે, “આ જગતમાં કોઈ એવો જભ્યો નથી કે જેને સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય. એ તો પરશક્તિ કરાવે છે ત્યારે થાય આ પાંચ ઇન્દ્રિયથી જે કરવામાં આવે છે, પાંચ ઇન્દ્રિયથી જે બધું અનુભવમાં આવે છે, આ જગત જે ચાલી રહ્યું છે એ બધી જ પરસત્તા છે અને એમાં આ લોકો કહે છે કે ‘આ મેં કર્યું.’ એ કર્મનો કર્તા થયો, એ જ અધિકરણ ક્રિયા છે. એટલે પછી ભોક્તા થવું પડે છે. હવે કર્તાપણું કેમ મટે ? ત્યારે કહે છે, જ્યાં સુધી આરોપિત ભાવ છે ત્યાં સુધી કર્તાપણું મટે જ નહીં. પોતે પોતાના મૂળ સ્વરૂપમાં આવે તો કર્તાપણું મટે. એ મૂળ સ્વરૂપ કેવું છે ? ત્યારે કહે, ‘ક્રિયાકારી છે નહીં. એ પોતે ક્રિયાકારી જ નથી એટલે એ કર્તા થાય જ નહીં ને.’ પણ આ તો અજ્ઞાનતાથી ઝાલી પડયો છે કે ‘આ હું જ કરું છું. એવું એને બેભાનપણું રહે છે અને એ જ આરોપિતભાવ છે. અક્રમજ્ઞાતે રહ્યું માત્ર ડિસ્ચાર્જ કર્મ ! પ્રશ્નકર્તા : બધી બાબતમાં બીજું કોઈ કરાવી રહ્યું છે એવું નહીં, આપણે પણ થોડું કાંઈ કરીએ છીએ. દાદાશ્રી : હા. કરીએ છીએ એ વાત ખરી. પણ કરીએ છીએ તે આવતાં ભવનું કરીએ છીએ. અને આ ભવનું બધું કરાવી રહ્યું છે, ડિસ્ચાર્જ બધું કરાવી રહ્યું છે. ચાર્જ એકલું આપણે કરીએ છીએ. હવે આ પરશક્તિ શાથી ઉત્પન્ન થઈ ગઈ ? ત્યારે કહે છે, દરેક જીવ અજ્ઞાનતામાં પુણ્ય અને પાપ બે જ કરી શકે છે. એ પુણ્ય-પાપ જે કરે છે, તેનાં ફળ સ્વરૂપે કર્મના ઉદય આવે છે. એ ઉદયથી પછી આ કર્મો
SR No.008834
Book TitleAptavani 11 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1996
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size97 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy